SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ 148 ભગવાઈ - 7-3349 હે ગૌતમ! કર્મને વેદે છે અને નોકમને નિર્ભર છે, તે હેતુથી એમ કહેવાય છે કે એ પ્રમાણે નારકો યાવતુ વૈમાનિકો જાણવા. હે ભગવન્! શું જેને વેદશે તેને નિર્જરશે, અને જેને નિર્જરશે તેને વેદશે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન! એમ શા હેતુથી કહો છો કે વાવતુ તેને વેદશે નહિ? હે ગૌતમ ! કમને વેદશે અને નોકમને નિર્જરશે, તે હેતુથી હે ભગવન્! શું જે વેદનાનો સમય છે તે નિર્જરાનો સમય છે, અને જે નિર્જરાનો સમય છે તે વેદનાનો સમય છે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! શા હેતુથી એમ કહેવાય છે? હે ગૌતમ! જે સમયે વેદ છે તે સમયે નિર્જરા કરતો નથી, જે સમયે નિર્જરા કરે છે તે સમયે વેદતો નથી. અન્ય સમયે વેદે છે. અન્ય સમયે નિર્જરા કરે છે, વેદનાનો સમય ભિન્ન છે અને નિર્જરાનો સમય ભિન્ન છે, તે હેતુથી યાવતુ વેદનાનો સમય છે તે નિર્જરાનો સમય નથી. હે ભગવન્! શું નારકોને જે વેદનાનો સમય છે, તે નિર્જરાનો સમય છે, અને નિર્જરાન સમય છે તે વેદનાનો સમય છે? હે ગૌતમ! એ અર્થ યોગ્ય નથી. હે ભગવન્! એમ શા કારણથી કહો છો હે ગૌતમ ! નારકો જે સમયે વેદે છે તે સમયે નિર્જરા કરતા નથી, અને જે સમયે નિર્જરા કરે છે તે સમયે વેદતા નથી, અન્ય સમયે વેદે છે અને અન્ય સમયે નિર્જરા કરે છે, તેઓનો વેદનાનો સમય જૂદો છે, અને નિર્જરાનો સમય જુદો છે; તે હેતુથી એમ કહ્યું. એ પ્રમાણે થાવતું વૈમાનિકોને જાણવું. [35] હે ભગવન્! શું નારકો શાશ્વત છે કે અશાશ્વત છે? હે ગૌતમ! કથંચિત શાશ્વત છે, અને કથંચિત્ અશાશ્વત પણ છે? હે ભગવનું શા કારણથી એમ કહો છો? હે ગૌતમ! દ્રવ્યાર્થિકનય ની અપેક્ષાએ શાશ્વત છે, અને પર્યાયિનયની અપેક્ષાએ અશાશ્વત છે, તે હેતુથી યાવતુ કથંચિત્ શાશ્વત છે અને કથંચિત્ અશાશ્વત છે. એ પ્રમાણે યાવતું વૈમાનિકો જાણવ હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી ગૌતમ યાવતુ વિચરે છે. [ [શતક ૭-ઉદેસાઃ૩નીમુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂણી (ઉદ્દેશક:-) [૩પ૧-૩૫રરાજગૃહ નગરમાં (ગૌતમ) વાવતુ એ પ્રમાણે બોલ્યા- હે ભગવન! સંસારી જીવો કેટલા પ્રકારના કહ્યા છે? હે ગૌતમ ! છ પ્રકારના કહ્યા છે, તે આ પ્રમાણેપૃથિવીકાવિક વિગેરે. એ પ્રમાણે જેમ જીવાભિગમસૂત્રમાં કહ્યું છે તેમ સમ્યકત્વક્રિયા અને મિથ્યાત્વક્રિયા સુધી અહીં જાણવું. જીવોના છ પ્રકાર, પૃથિવીના છ પ્રકાર, પૃથિવીના ભેદોની સ્થિતિ-આયુષ, ભવસ્થિતિ, સામાન્ય કાયસ્થિતિ નિર્લેપના-ખાલી થવાનો કાળ, અનગાર સંબંધી હકીકત, સમ્યકત્વક્રિયા અને મિથ્યાત્વક્રિયા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, તે એ પ્રમાણે છે એમ કહી ગૌતમ યાવતુ વિચરે છે. શતક: ૭-ઉદ્દેસાઃ૪નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ - ઉદેશક૫:-) [૩પ૩-૩પ૪ રાજગૃહ નગરમાં (ગૌતમ) યાવતુ એ પ્રમાણે બોલ્યા- હે ભગવન! ખરેખર પંચેન્દ્રિય તિર્યંચોનો યોનિ સંગ્રહ કેટલા પ્રકારે કહ્યો છે ? હે ગૌતમ ! તેઓનો યોનિસંગ્રહ ત્રણ પ્રકારે કહ્યા છે, તે આ પ્રમાણે-અંડજ, પોતજ અને સંમૂચિંછમ. જેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy