SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ 144 ભગવઈ - ૭-ર૩૩૮ રહિત), લેષિત સામુદાયિક-ભિક્ષારૂપ પાનભોજનનો શો અર્થ કહ્યો છે ? હે ગૌતમ ! કોઈ સાધુ યા સાધ્વી જે શસ્ત્ર અને મુશલાદિરહિત છે, તેમ પુષમાલા અને ચન્દનના વિલેપન રહિત છે તેઓ કમ્યાદિ જતુ રહિત, નિર્જીવ, (સાધુને માટે) નહિ કરેલ, નહિ કરાવેલ, નહિ સંકલ્પલ.-આમત્રણ રહિત, નહિ ખરીદેલ, ઔદેશિક રહિત, નવકોટિ વિશુદ્ધ, સંકિતાદિ દશદોષ રહિત, ઉદ્ગમ અને ઉત્પાદનૈષણાના દોષથી વિશુદ્ધ, અંગારદોષરહિત, ધૂમદોષ- રહિત, સંયોજનાદોષરહિત, સુરસુરકે ચપચપ શબ્દ રહિતપણે, બહુ ઉતાવળથી નહિ તેમ બહુ ધીમેથી નહિ, (આહારના) કોઈ ભાગને છોડ્યા સિવાય, ગાડાની ધરીના મેલની પેઠે કે વ્રણ ઉપરના લેપની પેઠે, કેવળ સંયમના નિર્વાહને માટે, સંયમના ભારને વહન કરવા અર્થે જેમ સાપ બિલમાં પેસે તેમ પોતે આહાર કરે, હે ગૌતમ ! એ શસ્ત્રાતીત, યાવતુ પાનભોજનનો અર્થ કહ્યો છે. હે ભગવન! તે એમજ છે, હે ભગવન્! તે એમજ છે, એમ કહી ગૌતમ! યાવત્ વિચરે છે. { [શતક ૭-ઉદેસા ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂણી (-: ઉદેશક૨:-) [339] હે ભગવન્! સર્વ પ્રાણોમાં, સર્વ ભૂતોમાં જીવોમાં અને સર્વ સત્ત્વોમાં મેં હિંસાનું પ્રત્યાખ્યાન કર્યું છે એ પ્રમાણે બોલનારને સુપ્રત્યાખ્યાન થાય કે દુષ્પત્યા ખ્યાન થાય? હે ગૌતમ ! એ પ્રમાણે બોલનારને કદાચ સુપ્રત્યાખ્યાન થાય અને કદાચ દુમ્રત્યાખ્યાન થાય. હે ભગવનું ! એમ શા હેતુથી કહો છો હે ગૌતમ ! સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્ત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે એ પ્રમાણે બોલનાર જેને આવા પ્રકારનું જ્ઞાન ન હોય કે “આ જીવો છે, આ અજીવો છે, આ ત્રસો છે, આ સ્થાવરો છે" તેને–સુપ્રત્યાખ્યાન ન થાય, પણ દુષ્પત્યાખ્યાન થાય. એ રીતે ખરેખર તે દુwત્યાખ્યાની “સર્વ પ્રાણિઓમાં યાવતુ સર્વ સત્ત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે એમ બોલતો સત્ય ભાષા બોલતો નથી, અસત્ય ભાષા બોલે છે. એ પ્રમાણે તે મૃષાવાદી સર્વ પ્રાણોમાં યાવત્ સર્વ સત્વોમાં ત્રિવિધત્રિવિધે અસંયત-અવિરત-જેણે પાપકર્મનો ત્યાગ પ્રત્યાખ્યાન કર્યું નથી એવો, સક્રિય-કર્મબન્ધ- સહિત, સંવરરિત, એકાન્ત દર્પ એટલે હિંસા કરનાર અને એકાન્ત અજ્ઞ છે. સર્વ પ્રાણોમાં યાવતું “સર્વ સત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે એ પ્રમાણે બોલનાર જેને આવું જ્ઞાન થયું હોય કે “આ જીવો છે, અજીવો છે, આ ત્રસો છે, આ સ્થાવરો છે,” - તેને “સર્વ પ્રાણોમાં યાવતુ સર્વ સત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે એ પ્રમાણે બોલનારનેસુપ્રત્યાખ્યાન થાય, દુwત્યાખ્યાન ન થાય. એ પ્રમાણે ખરેખર તે સુપ્રત્યાખ્યાની સર્વ પ્રાણોમાં યાવતું સર્વ સત્વોમાં પ્રત્યાખ્યાન કર્યું છે.” એમ બોલતો સત્ય ભાષા બોલે છે, મૃષા ભાષા બોલતો નથી. એ રીતે તે સુપ્રત્યાખ્યાની, સત્યભાષી, સર્વ પ્રાણોમાં યાવતુ સર્વ સત્વોમાં ત્રિવિધ ત્રિવિધ સંયત, વિરતિ યુક્ત, જેણે પાપકર્મની ઘાત ને પ્રત્યાખ્યાન કર્યું છે એવો, અક્રિય-કર્મબંધરહિત, સંવરયુક્ત એકાન્ત પંડિત પણ છે. હે ગૌતમ! તે હેતુથી એમ કહેવાય છે [34] હે ભગવન્! કેટલા પ્રકારે પચ્ચખાણ કહ્યું છે? હે ગૌતમ ! બે પ્રકારે પચ્ચકખાણ કહ્યું છે. મૂલગુણપચ્ચકખાણ અને ઉત્તરગુણપચ્ચખાણ. હે ભગવનું ! મૂલગુણપચ્ચકખાણ કેટલા પ્રકારનું કહ્યું છે? હે ગૌતમ ! બે પ્રકારનું કહ્યું છે, સર્વમૂલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy