SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ 136 ભગવઈ - 6-7309 ન બાળે, વાયુ ન હરે, જેઓ કોહાઈ ન જાય, નાશ ન પામે અને જેઓ કોઈ દિવસ સડે નહિં. ત્યારબાદ તે પ્રકારે વાલાઝના ભરેલા તે પલ્યમાંથી સો સો વરસે એક એક વાલાઝને કાઢવામાં આવે, એવી રીતે જ્યારે-જેટલે કાળે નિરજ થાય, નિર્મલ થાય, નિષ્ઠિત થાય. નિર્લેપ થાય, અપહતું થાય અને વિશુદ્ધ થાય ત્યારે તે કાળ પલ્યોપમકાળ કહેવાય. [310-311 એવા કોટાકોટી પલ્યોપમને જ્યારે દસગણા કરી ત્યારે તે કાળનું પ્રમાણ, એક સાગરોપમ થાય છે.” એ સાગરોપમ પ્રમાણે ચાર કોડાકોડ સાગરોપમાં કાળ તે એક સુષમસુષમા કહેવાય. ત્રણ કોડાકોડી સાગરોપમ કાળ તે એક સુષમાં કહેવાય. કોડાકોડ સાગરોપમ કાળ તે. એક સુષમદુઃષમા કહેવાય, જેમાં બેંતાળીશ હજાર વરસ ઊણાં છે એવો એક કોડાકોડ સાગરોપમ કાળ તે એક દુષમસુષમાં કહેવાય, એકવીશહજાર વરસ કાળ તે દુઃષમાં કહેવાય.એકવીશ હજાર વર્ષ, કાળ તે દુષ- મદુઃષમા કહેવાય, વળી પણ ઉત્સર્પિણીમાં એકવીશ હજાર વરસ કાળ તે દુષમદુઃષમા કહેવાય, એકવીશહજાર વરસ યાવતું ચાર કોડાકોડી સાગરોપમ કાલ તે સુષમસુષમા, દસ કોડાકોડી સાગરોપમ કાળ તે અવસર્પિણી કાળ, દસ કોડાકોડી સાગરોપમ કાળ તે ઉત્સર્પિણી કાળ અને વીશ કોડાકોડી સાગરોપમ કાળ તે અવસર્પિણી અને ઉત્સર્પિણી. [312] હે ભગવન્! જંબૂદ્વીપ નામના દ્વીપમાં ઉત્તમાર્થ પ્રાપ્ત આ અવસરિણીમાં-સુષમસુષમા કાળમાં ભારત વર્ષના કેવા આકાર ભાવપ્રત વતાર-આકારના અને પદાર્થોના આવિર્ભાવો હતા ? હે ગૌતમ ! ભૂમિભાગ બહુસમ હોવાથી રમણીય હતો, તે આલિંગપુષ્કર-મુરજના મુખનું પુટ હોય તેવો ભારતવર્ષનો ભૂમિભાગ હતો. એ પ્રમાણે અહિં ભારતવર્ષ પરત્વે ઉત્તરકુરની વક્તવ્યતા જાણવી યાવતુ બેસે છે, સુવે છે, તે કાળમાં ભારતવર્ષમાં તે તે દેશોમાં ત્યાં ત્યાં સ્થળે ઘણા મોટા ઉદ્ધાલક યાવત્ કુશ અને વિકુશથી વિશુદ્ધ વૃક્ષમૂલો યથાવત્ છ પ્રકારના માણસો હતા, તે જેમકે, પદ્મ સમાના ગંધવાળા, કસ્તૂરી સમાન ગંધવાળા, મમત્વ વિનાના, તેજસ્વી અને રૂપાળા, સહનશીલ તથા શનૈશારી-ઉતાવળ વિનાના એ પ્રમાણે છ પ્રકારના મનુષ્યો હતા. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે એમ કહી યાવતુ વિહરે છે. [ [શતક -ઉદેસાઃ ૭ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (ઉદ્દેશક 8:-) [313] હે ભગવન્! કેટલી પૃથિવીઓ કહી છે? હે ગૌતમ! આઠ પૃથિવીઓ કહી છે, તે જેમકે, રત્નપ્રભા યાવતુ ઈષપ્રાગભારા, હે ભગવન! આ રત્નપ્રભાથિવીની નીચે ગૃહો કે ગૃહાપણો છે ? હે ગૌતમ ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીની નીચે ગ્રામો યાવતુ સંનિવેશો છે? હે ગૌતમ! તે અર્થ સમર્થ નથી. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીની નીચે મોટા મેઘો સંર્વેદે છે, સમૂછે છે, વરસાદ વરસે છે ? હા. વરસે છે, તે વરસાદને દેવ પણ કરે છે, અસુર પણ કરે છે, નાગ પણ કરે છે. હે ભગવન્! આ રત્નપ્રભા પૃથિવીમાં બાદર સ્વનિત શબ્દો છે? હે ગૌતમ ! હા, તે શબ્દને ત્રણે પણ. કરે છે. હે ભગવન! આ રત્નપ્રભા પૃથિવીમાં નીચે બાદર અગ્નિકાય છે? હે ગૌતમ ! એ અર્થ સમર્થ નથી, અને એ નિષેધ વિગ્રહગતિસમાપનક જીવો સિવાય બીજા જીવો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy