SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૬, ઉદેસો-૩ 1 25 મનુષ્યો, અને દેવ ગતિ આગતિને અપેક્ષાથી સાદિ અને સાંત છે, સિદ્ધગતિને અપેક્ષી સિદ્ધો સાદિ અનંત છે, ભવસિદ્ધિકો લબ્ધિને અપેક્ષી અનાદિ સાંત છે અને અભવસિદ્ધિકો સંસારને અપેક્ષી અનાદિ અનંત છે. તે હેતુથી તેમ કહ્યું છે. 283] હે ભગવન! કેટલી કર્મપ્રવૃતિઓ કહી છે? હે ગૌતમ ! આઠ કર્મપ્રકૃતિઓ કહી છે, તે જેમકે, જ્ઞાનાવરણીય દર્શનાવરણીય યાવતું અંતરાય. હે ભગવનું ! જ્ઞાનાવરણીયકર્મની બંધસ્થિતિ કેટલા કાળની છે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રીશસાગરોપમકોડાકોડી,અનેત્રણ હજારવરસ અબાધાકાળ,તે અબાધાકાળ જેટલી ઊણી કર્મસ્થિતિ-કમનિષેક જાણવો, એ પ્રમાણે દર્શનાવરણીયકર્મ પરત્વે પણ જાણવું. વેદનીયકર્મ જઘન્ય બે સમયની સ્થિતિવાળું અને ઉત્કૃષ્ટ જેમ જ્ઞાનાવરણીયકર્મ કહ્યું છે તેમ જાણવું. મોહનીયકર્મ જઘન્ય અન્તર્મુહૂર્તની સ્થિતિવાળું અને ઉત્કરે 70 સાગરોપમ કોડાકોડી સ્થિતિવાળું છે અને સાતહજાર વરસ તેનો અબાધાકાળ છે કમસ્થિતિ-કર્મનિષેક કાળ,તે અબાધા કાળથી ઊણો જાણવો. આયુષ્યકર્મની સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્તે છે અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિના ત્રિભાગથી અધિક તેત્રીશ સાગરોપમ કર્મ સ્થિતિ છે. નામકર્મનો અને ગોત્રકમનોજઘન્યકાળઆઠઅત્તમૂહુર્ત અને ઉત્કૃષ્ટકાળ વિશ સાગરોપમ છે તથા બે હજારવરસ અબાધાકાળ છે, તે અબાધા કાળથી ઊણીકમસ્થિતિ જાણવો.જેમ જ્ઞાનાવરણીયકર્મકહ્યું તેમ અંતરાય કર્મ સમજવું. [284] હે ભગવન્! જ્ઞાનાવરણીયકર્મ શું સ્ત્રી બાંધે? પુરુષ બાંધે? કે નપુંસક બાંધે ? કે નોસ્ત્રી-નોપુરષ નોનપુંસક એટલે જે સ્ત્રી, પુરુષ કે નપુંસક ન હોય તેવો જીવ બાંધે ? હે ગૌતમ ! સ્ત્રી પણ બાંધે, પુરુષ પણ બાંધે, અને નપુંસક પણ બાંધે. પણ જે નોસ્ત્રી નોપુરુષ-નોનપુંસક હોય તે કદાચ બાંધે ને કદાચ ન બાંધે; એ પ્રમાણે આયુષ્યને વર્જીને સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું. હે ભગવન! આયુષ્યકર્મ પૂર્વવત્ પ્રશ્ન કરવો. હે ગૌતમ ! સ્ત્રી બાંધે અને ન પણ બાંધે. એ પ્રમાણે બીજા બે માટે પણ જાણવું અને જે નોસ્ત્રીનો પુરુષનોનપુંસક હોય તે તો આયુષ્યકર્મ ન બાંધે. હે ભગવનું ! જ્ઞાનાવરણીય કર્મ શું સંયત બાંધે? અસંયત બાંધે? કે સંયતાસંયત બાંધે? કે જે નોસંયતનોઅસંવતનોસંયતાસંમત હોય તે બાંધે ? હે ગૌતમ ! કદાચ સંયત બાંધે, કદાચ ન બાંધે; અસંયત બાધે અને સંયતાસંયત પણ બાંધે પણ જે નોસંયત-નો અસંત-નોસંયતાસંમત હોય તે તો ન બાંધે. એ પ્રમાણે આયુષ્યને વજીને સાતે કર્મપ્રકૃતિઓ માટે જાણવું, આયુષ્ય કર્મના સંબંધમાં નીચેના ત્રણ સંયત, અસંયત અને સંયતાસંવત માટે ભજનાવડે જાણવું અને ઉપરનો નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયત અર્થાત્સિદ્ધ ન બાંધે. હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કર્મ શું સમ્યગૃષ્ટિ બાંધે ? મિથ્યાદ્રષ્ટિ બાંધે કે સમ્યુગ્મિધ્યાદ્રષ્ટિ બાંધે ? હે ગૌતમ ! સમ્યગ્દષ્ટિ કદાચ બાંધે અને કદાચ ન બાંધે. મિથ્યાવૃષ્ટિ બાંધે અને સમ્પમ્પિય્યાદ્રષ્ટિ પણ બાંધે. એ પ્રમાણે આયુષ્ય સિવાયની. સાતે કમપ્રકૃતિઓ માટે જાણવું, આયુષ્યમાં નીચેના બે સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદ્રષ્ટિ ભજનાવડે કદાચ ન બાંધે અને કદાચ બાંધે અને સમ્યમ્મિથ્યાવૃષ્ટિ ન બાંધે. હે ભગવન્! જ્ઞાનાવરણીય કર્મ શું સંસી જીવ બાંધે? અસંજ્ઞી જીવ બાંધે ? કે નોસંસી અને નોઅસંશી બાંધે ? હે ગૌતમ ! સંજ્ઞી કદાચ બાંધે અને કદાચ ન બાંધે, અસંજ્ઞી બાંધે અને નોસંશીનોઅસંજ્ઞી જીવ ન બાંધે. એ પ્રમાણે વેદનીય અને આયુષ્ય વજીને છ કર્મપ્રવૃતિઓ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy