SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૬, ઉદ્દે સો-૧ 123 હે ગૌતમ ! જેણે પ્રતિમાને પ્રાપ્ત કરી છે એવો મહાવેદનાવાળો અને મહાનિર્જરાવાળો છે. છઠ્ઠી, સાતમીપૃથિવીમાં રહેનારા નૈરયિકો મોટી વેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે, શૈલેશપ્રાપ્ત અનગાર અલ્પવેદનાવાળો, મોટી. નિર્જરાવાળો છે અનુત્તરૌપપાતિક દેવો અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરા- વાળા છે. હે ભગવન્! તે એ પ્રમાણે છે, મહાદેવન, કર્દમથી અને ખંજનથી કરેલું રંગેલું વસ્ત્ર, અધિકરણી એરણ, તૃણનો પૂળો, લોઢાનો ગોળો, કરણ અને મહાવેદનાવાળા જીવો. તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે. એમ કહી યાવતુ વિહરે છે. | [શતક દઉદ્દેશો: ૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂણી | ( ઉદ્દેશક:-) [77] રાજગૃહ નગર યાવતુ એ પ્રમાણે બોલ્યા આહાર ઉદેશક, જે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યો છે તે બધો અહિં જાણવો. હે ભગવન્! તે એ પ્રમાણે છે, હે ભગવન્! તે એ પ્રમાણે છે, એમ કહીયાવત્ વિહરે છે. | શતક૬- ઉદેસોઃ ર નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] ( ઉદેશક 3:-) [278-27] બહુકમ. વસ્ત્રમાં પુદ્ગલો પ્રયોગથી અને સ્વાભાવિકરીતે, આદિસહિત, કર્મસ્થિતિ, સ્ત્રી, સંત, સમ્યગૃષ્ટિ, સંજ્ઞી, ભવ્ય, દર્શન, પર્યાપ્ત, ભાષક, પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, આહારક, સૂક્ષ્મ, ચરમ, બંધ, અને અલ્પબહુત્વ, આટલા વિષયો આ ઉદ્દેશમાં કહેવાશે. | [૨૮]હે ભગવન્! તે નક્કી છે કે, મહાકર્મવાળાને, મહાક્રિયાવાળાને મહાઆશ્રવાળાને અને મહાવેદનાવાળાને સર્વથી સર્વ દિશાઓથી સર્વ પ્રકારે પુદ્ગલોનો બંધ થાય? સર્વથી પુદ્ગલોનો ચય થાય? સર્વથી પુદ્ગલોનો ઉપચય થાય? હમેશાં નિરંતર પગલોનો બંધ થાય, હમેશાં નિરંતર પગલોનો ચય થાયકે હમેશાં નિરંતર પુત્રલોનો ઉપચય થાય? અને તેનો આત્મા, હમેશાં નિરંતર દુરપાણે, દુર્વણપણે, દુગંધપણે, દૂરસપણે, દુઃસ્પર્શપણે, અનિષ્ટપણે, અકાંતપણે, અમનોપ, અમનામ- પણે મનથી સંભારી પણ ન શકાય એ સ્થિતિએ, અનીપ્સિતપણે-અભિશ્ચિતપણે જે સ્થિતિને પ્રાપ્ત કરવાનો લોભ પણ ન થાય તે સ્થિતિ પણે, જઘન્યપણે, અનૂધવપણે, દુઃખપણે અને અસુખપણે વારંવાર પરિણમે છે? હા, ગૌતમ! મહાકર્મવાળા માટે તેજ પ્રમાણે છે. હે ભગવનું ! તે શા હેતુથી ? હે ગૌતમ! જેમ કોઈ અહત-અક્ષત-અપરિભક્ત-અઘોતું ધોતું વાપરીને પણ ધોએલું અને શાળ ઉપરથી હમણાં તાજુંજ ઉતરેલું વસ્ત્ર હોય, તે વસ્ત્ર જ્યારે ક્રમે ક્રમે વપરાશમાં આવે ત્યારે તેને સર્વ બાજુએથી પગલો બંધાય છે લાગે છે, સર્વ બાજુએથી પુલોનો ચય થાય છે યાવત્ કાલાન્તરે તે વસ્ત્ર, મસોતા જેવું મેલું અને દુગંધી તરીકે પરિણમે છે, તે હેતુથી મહાકર્મવાળાને ઉપર પ્રમાણે કહ્યું છે. હે ભગવન્! તે નક્કી છે કે, અલ્પા- શ્રવવાળાને અલ્પકર્મવાળાને, અલ્પક્રિયાવાળાને અને અલ્પવેદનાવાળાને સર્વથી પદુગલો ભેદાય છે ? સર્વથી પુદ્ગલો છેદાય છે ? સર્વથી પુદ્ગલો વિધ્વંસ પામે છે? સર્વથી પુદ્ગલો સમસ્તપણે નાશ પામે છે? હમેશા નિરંતર પુદ્ગલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy