SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ 122 ભગવાઈ- - 273. મંદવિપાકવાળાં છે, સત્તાવિનાનાં છે, વિપરિણામવાળાં છે માટે શીધ્રજ વિધ્વસ્ત થાય છે અને જેટલી તેટલી પણ વેદનાને વેદતા તે શ્રમણ નિગ્રંથો મોટી નિર્જરાવાળા અને મહાપર્યવસાનવાળા થાય છે, જેમ કોઈ એક પુરુષ ઘાસના સૂકા પુળાને અગ્નિમાં ફેકે અને હે ગૌતમ ! તે નક્કી છે કે અગ્નિમાં ફેંકવામાં આવેલો ઘાસનો સૂકો પૂળો શીઘજ બળી જાય? હા, તે બળી જાય, એજ પ્રમાણે હે ગૌતમ! શ્રમણ નિગ્રંથોના પૂલતર સ્કંધ રૂપ કર્મો યાવતું તે શ્રમણો મોટા પર્યવસાનવાળા થાય જેમ કોઈ એક પુરુષ ધગધગતા લોઢાના ગોળા ઉપર પાણીનું ટીપું મૂકે યાવતુ તે વિધ્વંસ પામે એજ પ્રમાણે હે ગૌતમ ! શ્રમણ નિગ્રંથોનાં કર્મો યાવતુ. તે શ્રમણ નિગ્રંથો મહાપર્યવસાનાવાળા છે, તે હેતુથી એમ કહેવાય છે કે, જે મહાવેદનાવાળો હોય તે મહાનિર્જરાવાળો હોય યાવતુ પ્રશસ્તનિર્જરાવાળો હોય. [274] હે ભગવન્! કરણો કેટલા પ્રકારનાં કહ્યાં છે? હે ગૌતમ ! કરણો ચાર પ્રકારનાં કહ્યાં છે, જેમકે, મનકરણ, વચનકરણ, કાયકરણ, અને કર્મકરણ. હે ભગવનું ! નૈરયિકોને કેટલા પ્રકારનાં કિરણો કહ્યાં છે? હે ગૌતમ ! ને રયિકોને ચાર જાતનાં કારણો કહ્યાં છે, તે જેમકે, મનકરણ, યાવતુ કર્મકરણ. સર્વ પંચેન્દ્રિય જીવોને એ ચારે જાતનાં કરણો છે, એકેંદ્રિય જીવને બે જાતનાં કારણ છે તે જેમકે, એક કાયકરણ અને બીજું કર્મકરણ વિકસેન્દ્રિયોને વચન-કરણ, કાયકરણ અને કર્મકરણ એ ત્રણ કરણ હોય છે. હે ભગવનું ! શું નૈરયિકો કરણથી અશાતવેદનાને વેદે છે. કે અકરણથી ? હે ગૌતમ કરણથી વેદે છે કે અકરણથી? હે ગૌતમ કરણથી વેદે છે પણ અકરણથી અશાતા દુઃખરૂપ વેદનાને નથી અનુભવતા. હે ભગવન! તે શા હેતુથી? હે ગૌતમ ! નરયિકોને ચાર પ્રકારનું કરણ કહ્યું છે, તે જેમકે, મનકરણ, યાવત્ કર્મકરણ, એ ચાર પ્રકારના અશુભ કરણો હોવાથી નૈરયિકો કરણદ્વારા અપાતાવેદનાને અનુભવે છે પણ કરણ. વિના અશાતાવેદનાને અનુભવતા નથી હે ભગવન્! શું અસુકકુમારો કરણથી કે અકરણથી શાતા સુખરૂપ વેદનાને અનુભવે છે? હે ગૌતમ ! કરણથી, અકરણથી નહિં. હે ભગવન્! તે શા હેતુથી? હે ગૌતમ! અસુરકુમારોને ચાર પ્રકારનાં કરણ કહ્યાં છે, તે જેમકે, મનકરણ, યાવત્ કર્મકરણ; એ શુભકરણો હોવાથી અસુરકુમારો કરણદ્વારા સુખરૂપ વેદનાને અનુભવે છે પણ કરણ વિના અનુભવતા નથી એ પ્રમાણે યાવત્ અનિતકુમાર સુધીના ભુવનપતિ માટે સમજવું. પૃથિવી કાયિક જીવો માટે એ પ્રમાણેજ પ્રશ્ન કરવો. વિશેષ એ કે શુભાશુભકરણ હોવાથી પૃથિવીકકાયિક જીવો કરણદ્વારા વિવિધ પ્રકારે અથતુ કદાચ સુખરૂપ અને કદાચ દુઃખરૂપ વેદનાને અનુભવે છે પણ કરણ વિના અનુભવતા નથી. ઔદારિક શરીરવાળા સર્વ જીવો શુભાશુભ કરદ્વારા વિમાત્રાએ વેદનાને અનુભવે છે. દેવી શુભ કરણદ્વારા સુખરૂપ વેદનાને અનુભવે છે. [25] હે ભગવન્! શું જીવો મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે ? મહાવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે? અલ્પવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે ? કે અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે ? હે ગૌતમ ! કેટલાક જીવો મહાવેદનાવાળા અને મહાનિર્જરાવાળા છે, કેટલાક જીવો મહાવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે, કેટલાક જીવો અલ્પવેદનાવાળા અને મહાનિરાવાળા છે અને કેટલાક જીવો અલ્પવેદનાવાળા અને અલ્પનિર્જરાવાળા છે. હે ભગવન્! તે શા હેતુથી? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy