SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૫, ઉદેસો-૧ [21] તે કાળે, તે સમયે ચંપા નામની રાજધાનીની નગરી હતી. તે ચંપા નગરીનીબહાર પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. ત્યાં સ્વામી (શ્રીવીર) પધાય અને થાવત્-સભા ગામની બહાર નીકળી. તે કાલે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય-ગૌતમ ગોત્રના-ઈદ્રભૂતે નામના અનગાર વાવતુ આ પ્રમાણે બોલ્યા કે હે ભગવન્! જંબૂઢીપ નામના દ્વીપમાં સૂર્યો ઈશાન ખૂણામાં ઉગીને અગ્નિ ખૂણામાં આથમે છે? નૈઋત ખૂણામાં ઉગીને વાયવ્ય ખૂણામાં આથમે છે ? અને વાયવ્ય ખૂણામાં ઉગીને ઈશાન ખૂણામાં આથમે છે? હે ગૌતમ! હા, એજ રીતે સૂર્યનું ઉગવું અને આથમવું થાય છે-જંબૂદીપ નામના દ્વીપમાં સૂર્યો ઉત્તર અને પૂર્વ-ઈશાન ખૂણામાં ઉગીને યાવતુ-ઈશાન ખૂણામાં આથમે છે. હે ભગવન્જ્યારે જંબુદ્વિપમાં દક્ષિણાર્ધમાં દિવસ હોય છે, ત્યારે ઉત્તરાર્ધમાં પણ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં પણ દિવસ હોય છે ત્યારે જંબૂઢીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે રાત્રિ હોય છે? હે ગૌતમ! હા, એજ રીતે હોય છે. જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાધમાં પણ દિવસ હોય છે ત્યારે યાવતુ-રાત્રી હોય છે. હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે દિવસ હોય છે ત્યારે પશ્ચિમમાં પણ. દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમમાં દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની ઉત્તર દક્ષિણે રાત્રી હોય છે? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે. જ્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે દિવસ હોય છે ત્યારે યાવતુ-રાત્રી હોય છે. હે ભગવનું ! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં વધારેમાં વધારે મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં પણ વધારેમાં વધારે મોટો અઢાર મુહુર્તનો દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં સૌથી મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જબૂદીપમાં મંદર પૂર્વ પશ્ચિમે નાનામાં નાની બારમુહૂર્તની રાત્રી હોય છે?હે ગૌતમ!હાએજ રીતે હોય છે-જબૂદ્વીપમાં યાવતુ-બારમુહૂર્તની રાત્રી હોય છે. * [117] હે ભગવન્! જ્યારે જંબુદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે મોટામાં મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં પશ્ચિમે પણ મોટામાંમોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમે મોટામાં મોટો અઢાર મુહૂર્તનો દિવસ હોય છે ત્યારે તે ભગવન્જંબૂદ્વીપમાં ઉત્તરાર્ધમાં નાનામાં નાની બાર મુહૂર્તની રાત્રી હોય છે ? હું ગૌતમ ! હા, એજ રીતે વાવતુ હોય છે. હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં દક્ષિણાર્ધમાં અઢાર મુહૂર્ત કરતાં કાંઈક ઊણો-મહૂતનિત્તર-દિવસ હોય છે ત્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂતનિત્તર દિવસ હોય છે અને જ્યારે ઉત્તરાર્ધમાં અઢાર મુહૂતનત્તર દિવસ હોય છે ત્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વ પશ્ચિમે બાર મુહૂર્ત કરતાં કાંઈક વધારે લાંબી રાત્રી હોય છે? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે- હે ભગવન્! જ્યારે જંબૂદ્વીપમાં મંદર પર્વતની પૂર્વે અઢાર મુહૂતનત્તર દિવસ હોય છે ત્યારે પશ્ચિમે અઢાર મુહૂતનિન્તર દિવસ હોય છે અને જ્યારે પશ્ચિમે અઢાર મુહૂતનિત્તર દિવસ હોય છે ત્યારે જબૂદ્વીપમાં મંદિર પર્વતની ઉત્તર દક્ષિણે બાર મુહૂર્ત કરતાં કાંઇક વધારે લાંબી રાત્રી હોય છે? હે ગૌતમ ! હા, એજ રીતે હોય છે. એ પ્રમાણે એ ક્રમવડે દિવસનું માપ ઓછું કરવું અને રાત્રીનું માપ વધારવું; જ્યારે સત્તર મુહૂર્તનો દિવસ હોય ત્યારે તેર મુહૂર્તની રાત્રી હોય. જ્યારે સત્તર મુહૂર્ત કરતાં કાંઈક ઓછો લાંબો-દિવસ હોય ત્યારે તેર મુહૂર્ત કરતાં કાંઈક વધારે-લાંબી-રાત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005065
Book TitleAgam Deep 05 Bhagavai Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages532
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy