SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ સત્ર-૨૯દ 459 કરી. ત્યાં ત્યાં શરીર પ્રમાણ દ્રવ્યની વૃષ્ટિ થઈ હતી. [297-303] તે ચોવીસ તીર્થંકરોના ચોવીસ ચૈત્યવૃક્ષો હતાં. જે વૃક્ષની નીચે કેવળજ્ઞાન થયું હોય તેને વૃક્ષને ચૈત્ય વૃક્ષ કહે છે. તેમના નામ-ન્યગ્રોધ, સપ્તવર્ણ, શાલ, પ્રિયક, પિગળુ, છત્રાભ, શિરીષ, નાગવૃક્ષ માલી, પિલક્ષુવૃક્ષ હિંદુક, પારસ, જંબૂ અખ્યત્વ, દધિપણે નદીવૃક્ષ, તિલક, અમ્રવૃક્ષ, અશોક, ચંપક, બકુલ, વેતસવૃક્ષ, ધાતકીવૃક્ષ અને વર્ધમાન, ભગવાનનું સાલવૃક્ષ, જિનવરોનાં તે ચૈતવૃક્ષો હતા. વર્ધમાન ભગવાનનું ચૈત્યવૃક્ષ બત્રીસ ધનુષ પ્રમાણ ઉંચું હતું. તે સમસ્ત ઋતુઓથી યુક્ત હતું. શોક ઉપદ્રવ આદિથી રહિત હતું અને સાલવૃક્ષોથી ઘેરાયેલું હતું ઋષભદેવ ભગવાનનું ચૈત્ય વૃક્ષ પણ કોશ ઉંચું હતું. બાકીના તીર્થકરોના ચૈિત્યવૃક્ષો તેમના શરીરની ઉંચાઈ કરતાં બાર ગણી ઉંચાઈવાળા હતા. તે બધા ચૈત્ય વૃક્ષો છત્ર, પતકા, વેદિકે અને તોરણોથી યુક્ત હતાં. તે બધાં ચૈત્યવૃક્ષો સુર, અસુર અને સુપર્ણ કુમારી દ્વારા સેવાતા હતા. [304-307) એ ચોવીસ તીર્થંકરોના જે ચોવીસ પહેલાં શિષ્યો થયા તેમનાં નામ-ઋષભસેન, સિંહસેન, ચારૂ, વજનાભ, અમર, સુવ્રત, વિદર્ભ, દત્ત, વરાહ, આનંદ, ગોસ્તુભ, સુધમાં, મન્દર, યશ, અરિષ્ટ ચકાલ, સ્વયંભૂ, કુસા, ઈન્દ્ર, કુલ, શુભ, વરદ, દત્ત અને ઈન્દ્રભૂતિ તે બધા શિષ્યો ઉત્તરો ઉત્તર ઉત્કર્ષ પામતા કુળરૂપ વંશવાળા હતાં. તેઓ માતૃ અને પિતૃવંશની નિર્મળતા યુક્ત હતા, સમ્યગ્દર્શન આદિ ગુણોથી શોભતા હતા. એ પ્રકારના તીપ્રવર્તક જિનેન્દ્ર દેવોના અનુક્રમથી પ્રથમ શિષ્યો હતા. [308-311] તે ચોવીસ તીર્થંકરોની ચોવીસ પહેલી શિષ્યાઓ હતી, તેમનાં નામ-બ્રાહ્મી, ફાલ્ગ, શ્યામા, અજિતા, કાશ્યપી, રતિ, સોમા, સુમના, વારૂણી, સુલતા, ધારિણી, ધરણિ, ધરણિધરા, પદ્મા, શિવા, શ્રુતિ, અંજુકા, રક્ષી, બંધુમતી, પુષ્પવતી, મિલા, યક્ષિણી, પુષ્પચૂલા અને ચન્દના, તે આર્યાઓ ભાવિતાત્મા હતી. આ સર્વે પૂર્વોક્ત આયઓિ તીર્થપ્રવર્તક જિનેન્દ્રદેવોની પહેલી શિષ્યાઓ હતી. * [312-314] જંબુદ્વીપ નામના આ દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણીકાળમાં બાર ચક્રવર્તીઓના પિતાના નામો ઋષભ, સુમિત્ર, વિજય, સમુદ્રવિજય, અશ્વસેન, શૂર, સુદર્શન કાર્તવીર્ય પદ્યોત્તર, મહાહરિ, રાજાવિજય અને બ્રહ્મ આ પ્રમાણે ચક્રવર્તી- ઓના પિતાના નામ કહેલ છે. [315] જમ્બુદ્વીપ નામના દ્વીપમાં આવેલા ભારતવર્ષમાં આ અવસર્પિણી. કાળમાં જે બાર ચક્રવર્તીઓ થયા તેમની માતાઓના નામ-સુમંગલા, યશસ્વતી, ભદ્રા, સહદેવી અચિરા, શ્રીદેવી, તારા, વાલા, મેરા, વયા અને ચલ્લણી [31-320 જંબૂદ્વીપ નામના દ્વીપમાં ભારતવર્ષમાં આ અવસર્પિણીકાળમાં જે બાર ચક્રવર્તીઓ થયા. તેમના નામ-ભરત, સગર, મધવા, સનકુમાર, શાન્તિ, કુછ્યું, અર, સુલુમ, મહાપધ, હરિર્ષણ, જય અને બ્રહ્મદત્ત તે બાર ચક્રવર્તીઓના બાર સ્ત્રી રત્નો હતા. તેના નામ-સુભદ્રા, ભદ્રા, સુનંદા, જયા, વિજ્યા, કૃષ્ણથી, સૂરશ્રી, પદ્મશ્રી, વસુંધરા, દેવી, લક્ષ્મીવતી અને અને કુરૂમતી. [321-32] આ જંબૂઢીપ નામના દ્વીપમાં, ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં નવ બળદેવના અને નવ વાસુદેવના પિતા થયા છે. તેમના નામ-પ્રજાપતિ, બ્રહ્મ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy