SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ 458 સમવાય-પ્રકીર્ષક સુપ્રભાસિદ્ધાર્થી સુપ્રસિદ્ધા, વિજ્યા, વૈજયન્તી જયન્તી, અપરાજિતા, અરૂણપ્રભા. ચંદ્રપ્રભા, સૂપ્રભા, અગ્નિપ્રભા, વિમલા, પંચવણ, સાગરદત્તા, નાગદત્તા, અભયકરા, નિવૃત્તિરા, મનોરમા, મનોહરા, દેવકુરા, ઉત્તરકુરા, વિશાલા અને ચંદ્રપ્રભા સમઆ જગતપર વાત્સલ્ય રાખનારા તે જિનવરોની તે શિબિકાઓ. સમસ્ત ઋતુઓનાં સુખથી અને શુભ છાપથી યુક્ત હતી. પહેલા તે શિબિકાઓને હર્ષથી યુક્ત મનુષ્યો લાવીને ત્યાં હાજર કરે છે એટલે કે સૌથી પહેલાં તે શિબિકાઓને માણસો ઉપાડે છે. ત્યારબાદ તે શિબિકાઓને અસુરેન્દ્ર, સુરેન્દ્ર અને નાગેન્દ્ર ઉપાડે છે. સુર અને અસુરોથી વંદિત તે જિનેન્દ્રોની શિબિકાને ચલચપલ કુંડલધારી દેવો કે જે પોતાની ઈચ્છા પ્રમાણે વિવિત આભૂષણોને ધારણ કરતા હોય છે. પૂર્વ તરફથી વહન કરીને આગળને આગળ ચાલે છે. નાગકુમાર દેવો દક્ષિણ બાજુથી,અસુરકુમાર દેવો પશ્ચિમ તરફથી અને સુપર્ણકુમાર નામના ભવનપતિ દેવો ઉત્તર તરફથી તે શિબિકાને ઉપાડે છે. [284-285 ઋષભદેવ વિનીતાનગરીમાં દીક્ષા લીધી હતી. અરિષ્ટનેમિ ભગવાને દ્વારાવતીમાં દીક્ષા અંગીકાર કરી હતી. બાકીના બાવીસ તીર્થકરોએ પોત પોતાના જન્મસ્થાનોમાં દીક્ષા લીધી હતી. સમસ્ત તીર્થકરોએ એક જ દેવ દૂષ્યવસ્ત્ર ધારણ કરીને દીક્ષા અંગીકાર કરી હતી. તે તીર્થકરોએ સ્થવિર કલ્પિક આદિપ અન્યલિંગમાં દીક્ષા ન હતી. ગૃહસ્થરૂપ લિંગમાં પણ દીક્ષા લીધી ન હતી. કુલિંગમાં પણ દીક્ષા લીધી ન હતી. પણ તીર્થંકર રૂપે જ દીક્ષિત થયો હતો, [28-288] ભગવાન મહાવીરે એકલાં જ દીક્ષા લીધી હતી. તથા પાર્શ્વનાથ ભગવાને અને મલ્લિનાથ ભગવાને 300-300 ના પરિવાર સહિત દીક્ષા ગ્રહણ કરી હતી ભગવાન વાસુપૂજ્ય 900 પુરૂષો સાથે દીક્ષા ગ્રહણ કરી હતી. ઉગ્રવંશના ભોગવંશના રાજાઓ અને ક્ષત્રિયોના ચાર હજારના પરિવાર સહિત. ભગવાન અષભદેવ દીક્ષા અંગીકાર કરી હતી. તે સિવાયના તીર્થકરોએ એક એક હજાર પુરૂષો સાથે દીક્ષા લીધી હતી. ભગવાન સુમતિનાથે ઉપવાસ કર્યા વિના જ દીક્ષા લીધી હતી. ભગવાન વાસુપૂજ્ય એક ઉપવાસ કરીને દીક્ષા ગ્રહણ કરી હતી પાર્શ્વનાથ ભગવાને તથા મલ્લિનાથ ભગવાને અક્ષમ કરીને તથા બાકીના તીર્થકરેએ છઠ્ઠની તપસ્યા કરીને દીક્ષા ધારણ કરી હતી. [288-296] તે ચોવીસ તીર્થકરોને સૌથી પહેલાં ભિક્ષા દેનારા જે ચોવીસ ભિક્ષાદાતાઓ હતા. તેમના નામ- શ્રેયાંસ, બ્રહ્મત્ત, સુરેન્દ્રદત્ત, ઈન્દ્રદત્ત, પદ્મ, સોમદેવ. માહેન્દ્ર, સોમદત, પુષ્ય, પુનર્વસુ, પૂણનન્દ, સુનન્દ, જય, વિજય, ધમસિંહ, સુમિત્ર, વર્ગસિંહ, અપરાજિત, વિશ્વસેન, દત, વરદત્ત, ધન અને બહુલ. ઉપર પ્રમાણે ક્રમશઃ ર૪ પ્રથમ ભિક્ષાદાતાઓ હતા. તે ચોવીસ ભિક્ષાધતાઓએ પ્રભુ પ્રત્યેની અનન્ય ભક્તિથી પ્રેરાઇને વિશુદ્ધ લેશ્યાથી મુક્ત થઈને બને હાથ જોડીને તે કાળે તે સમયે જિનેન્દ્રોએ આહારદાન લીધું હતું. લોકના નાથ ભગવાન ઋષભદેવે એક વર્ષે પહેલી શિક્ષા પ્રાપ્ત કરી હતી. બાકીના તીર્થકરોએ બીજે દિવસે જ પ્રથમ ભિક્ષા પ્રાપ્ત કરી હતી. લોકનાથ ઋષભદેવને પ્રથમ ભિક્ષા ઈષ્ફરસની મળી હતી. બાકીના ત્રેવીસ તીર્થકરોને પ્રથમ ભિક્ષામાં અમૃતરસ જેવી ખીર મળી હતી. તીર્થકરોએ જ્યાં જ્યાં પહેલી ભિક્ષા ગ્રહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy