SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪હo. સમાચ ઉપરી ચરમાન્તનું અવ્યવહિત અંતર નવ્વાણું સો યોજનાનું છે. સમવાય-૯૯-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૧૦૦) [17] દશ-દશમિકા ભિક્ષપ્રતિમાની એક સો રાત દિવસ દરમિયાન પપ૦ દતી ગ્રહણ કરીને આરાધના કરાય છે. શતભિષા નક્ષત્રના એકસો તારા છે. અરિહંત સુવિધિનાથ (પુષ્પદત) એક સો ધનુષ્ય ઉંચા હતા. પ્રસિદ્ધ પુરુષ અરિહંત પાર્શ્વનાથ એક સો વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સર્વ દુઃખોથી મુક્ત થયા. એજ પ્રમાણે સ્થવિર સુધમાં પણ એક સો વર્ષનું આયુષ્ય ભોગવીને મુક્ત થયા. સમસ્ત દીર્ઘ વૈતાઢ્ય પર્વતો સો સો કોસ ઉંચા છે. સમસ્ત લઘુ હિમવંત અને શિખરી વર્ષધર પર્વતો સો સો યોજન ઉચો છે તથા સો સો કોસ જમીનની અંદર છે. સર્વ કાંચન પર્વતો સો સો યોજના ઉંચા છે. સો સો કોસ પૃથ્વીની અંદર છે. તેમના મૂળનો વિષ્ફભ સો-સો યોજનાનો છે. સમવાય-૧૦૦-ની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ન (પ્રકીર્ષક-સમવાય). [18] અરિહંત ચંદ્રપ્રભ એકસો પચાસ ધનુષ્ય ઉંચા હતા. આરણ કલ્પમાં દોઢસો વિમાનો છે. એ જ પ્રમાણે અશ્રુત કલ્પમાં દોઢસો વિમાનો છે. [181 અરિહંત સુપાર્શ્વનાથ બસો ધનુષ્ય ઉંચા હતા. સર્વ મહાહિમવંત અને રૂકિમ વર્ષધર પર્વતો બસો બસો યોજન ઉંચા છે અને તેમની બસો બસો કોશ જેટલાં ભાગ જમીનની અંદર છે. જંબુદ્વીપમાં બસો કાંચનગ પર્વતો છે. [182] અરિહંત પદ્મપ્રભ અઢીસો ધનુષ્ય ઉંચા હતા. અસુરકુમારોના પ્રાસાદ અઢીસો યોજન ઉંચા હોય છે. [183 સુમતિનાથ ભગવાન ત્રણસો ધનુષ્ય ઉંચા હતા. અરિહંત અરિષ્ટનેમિ ત્રણસો વર્ષ કુંવરપદે રહીને મુંડિત થયા યાવતુ પ્રદ્ધજિત થયા. વૈમાનિક દેવોના વિમાનોના પ્રકાર ત્રણસો-ત્રણસો યોજન ઉંચા છે. શ્રમણ ભગવાન મહાવીરના ત્રણસો ચૌદપૂર્વી મુનીઓ હતા. સિદ્ધ ગતિ પ્રાપ્ત પાંચસો ધનુષ્યની અવગાહનાવાળા ચરમ શરીરી જીવોના જીવપ્રદેશોની અવગાહના થોડા વધારે ત્રણસો ધનુષ્યની હોય છે. 184] પુરૂષાદાનીય પાર્શ્વનાથના ચૌદ પૂર્વધારી સાડા ત્રણસો મુનિઓ હતા, અરિહંત અભિનંદન સાડાત્રણસો ધનુષ્ય ઉંચા હતા, [185 અરિહંત સંભવનાથ ચારસો ધનુષ્ય ઉંચા હતા. સર્વ નિષધ અને નીલવંત વર્ષધર પર્વત ચારસો યોજન ઉંચા તથા ચારસો કોશ ભૂમિની અંદર છે. નિષધ અને નીલવંત વર્ષધર પર્વતોની સમીપમાં બધા વક્ષસ્કાર પર્વતો ચારસો યોજન ઉંચા તથા ચારસો કોશ ભૂમિની અંદર છે. આનત અને પ્રાણત આ બે કલ્પોમાં ચારસો વિમાન છે. શ્રમણ ભગવાન મહાવીરના એવા ચારસો વાદી મુનિઓ હતા કે જેમને દેવ, મનુષ્ય કે અસુરલોકો પરાજિત કરી શકતા ન હતા. [18] અરિહંત અજીતનાથ અને સગર ચકી 450 ધનુષ્ય ઉંચા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy