SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ 426 સમવાય-૮૪ બાહુબળી, બ્રાહ્મી અને સુંદરી પણ સિદ્ધ યાવતુ સમસ્ત દુખોથી મુક્ત થયા. અરિહંત શ્રેયાંસનાથ 84 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને સિદ્ધ યાવતુ સમસ્ત દુઃખોથી મુક્ત થયા. ત્રિપૃષ્ઠ વાસુદેવ 84 લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને અપ્રતિષ્ઠાન નામના નરકમાં નૈરયિક રૂપે ઉત્પન્ન થયા. શક્રેન્દ્રના 84000 સામાનિક દેવો છે. સમસ્ત બાહ્ય મંદર પર્વતોની ઉંચાઈ (પૃથ્વી ઉપર) 84000 યોજનની છે. સર્વ અંજન પર્વતોની ઉંચાઇ 8484 હજાર યોજનની છે.હરિવર્ષ અને રમ્યqર્ષની જીવાના ધનુપૃષ્ઠની પરિધિ 84016 તથા એક યોજનના ઓગણીસ ભાગોમાંથી ચાર ભાગ જેટલી છે. પંકબહુલ કાંડના ઉપરના ચરમાંથી નીચેના ચરમાંતનું અવ્યવહિત અંતર 84000 યોજવાનું છે. નાગકુમારાવાસ ચોર્યાસી લાખ છે. પ્રકિર્ણક 84000 છે. જીવયોનિઓ ચોર્યાસી લાખ છે. પૂર્વથી શીર્ષ પ્રહેલિકા સુધી, પૂર્વ અંકથી ઉત્તરનો અંક ચોર્યાસી લાખથી ગુણિત છે. અરિહંત ઋષભ દેવના ચોર્યાસી ગણ અને ચોર્યાસી ગણધર હતા. અરિહંત ઋષભ દેવના ઋષભસેન આદિ 84000 શ્રમણ હતા. સર્વ વૈમાનિક દેવોના વિમાનો સર્વ મળી ૮૪૯૭૦૨૩છે. | સમવાય-૮૪-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ! ( સમવાય-૮૫) [ 14] ચૂલિકા સહિત આચારાંગ સૂત્રના પંચ્યાસી ઉદેશનકાલ છે. ધાતકીખંડના મેરૂપર્વત પંચ્યાસી હજાર યોજન ઉંચા છે. રૂચક માંડલિક પર્વત પંચ્યાસી હજાર યોજન ઉંચો છે. નંદનવનની નીચેના ચરમાત્તથી સૌગંધિક કાંડના નીચેના ચરમાત્તનું અવ્યવહિત અંતર 8500 યોજનાનું છે. | સમવાય-૮૫-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૮) [15] અરિહંત સુવિધિનાથ (પુષ્પદંત)ના 86 ગણ અને 8 ગણધર હતા. અરિહંત સુપાર્શ્વનાથના 8000 વાદી મુનિ હતા. બીજી પૃથ્વીના મધ્ય ભાગથી બીજા ઘનોદધિના ચરમાન્તનું અવ્યવહિત અંતર 8000 યોજનાનું છે. | સમવાય-૮૬-નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ]. (સમવાય-૮૭) [66] મેરૂપર્વતના પૂર્વી ચરમાન્તથી ગોસ્તૂપ આવાસ પર્વતના પશ્ચિમી ચરમાન્તનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનાનું છે. મેરૂપર્વતના દક્ષિણી ચરમાત્તથી દગભાસ આવાસ પર્વતના ઉત્તરી ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી હજાર યોજનનું છે. એ જ પ્રમાણે મેરૂપર્વતના પશ્ચિમી ચરમાંતથી શંખ આવાસ પર્વતના પૂર્વી ચરમાંતનું અવ્યવહિત અંતર સત્યાસી યોજનાનું છે. એ જ પ્રમાણે મેરૂપર્વતના ઉત્તરી ચરમાંતથી દકસીમ આવાસ પર્વતના દક્ષિણી ચરમતનું અવ્યવહિત અંતર સત્યાસી હાર યોજનાનું છે. પ્રથમ અને અંતિમને છોડીને શેષ છ મૂળ કર્મ પ્રવૃતિઓની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy