SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 403 સૂત્ર-પર પૃથ્વીના નૈરયિકોની ઉત્કૃષ્ટ સ્થિતિ તેમજ તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની જઘન્ય સ્થિતિ બાવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમારદેવોની સ્થિતિ બાવીસપલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ બાવીસપલ્યોપમની છે. અશ્રુતકલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ બાવીસસાગરોપમની છે. મહિત, વિકૃત, વિમલ, પ્રભાસ, વનમાલ, અય્યતાવતંસક, આ છ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે તેઓની સ્થિતિ બાવીસ સાગરોપમની છે તે દેવો બાવીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તે દેવોને બાવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે જેનો બાવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવતુ સમસ્ત દુખોનો અંત કરશે. [ સમવાય-૧૨નીમુનિદીપરત્નજીગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૨૩) [૩]સૂત્રકૃતાંગના તેવીસ અધ્યયનો છે–સમય, વૈતાલિક, ઉપસર્ગપરિજ્ઞા, સ્ત્રીપરિજ્ઞા, નરકવિભક્તિ, મહાવીરસ્તુતિ, કુશીલ પરિભાસિત, વીર્ય, ધર્મ, સમાધિ, માર્ગ, સમવસરણ, આખ્યાતહિત, ગ્રંથ, યમતીત, ગાથા, પુંડરીક, ક્રિયાસ્થાન, આહારપરિજ્ઞા, અપ્રત્યાખ્યાનક્રિયા, અણગારશ્રુત, આર્દકીય, નાલંદીય. જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણી કાળમાં તેવીસ તીર્થંકર ભગવાનોને સૂર્યોદયના સમયે કેવળજ્ઞાન કેવળદન ઉત્પન્ન થયા હતાં. જંબૂદ્વીપમાં અવસર્પિણી કાળમાં તેવીસ તીર્થંકર પૂર્વભવમાં અગીયાર અંગોના પાઠી હતા. તેના નામ–અજીતનાથ, સંભનાથ, યાવત્ વિર્ધમાન સ્વામી સુધી. અરિહંત ઋષભદેવ ચૌદ પૂર્વના પાઠી હતા. જંબૂઢીપમાં અવસર્પિણીકાળમાં તેવીસ તીર્થંકર અજીતનાથ યાવતુ- મહાવીર સ્વામી પૂર્વભવમાં માંડલિક રાજા હતા. અરિહંત ઋષભદેવ કૌલિક પૂર્વ- ભવમાં ચક્રવર્તી હતા. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેવીસ પલ્યો- પમની છે. તમસ્તમઃ પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ તેવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ તેવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ તેવીસ પલ્યોપમની છે. નીચેના ત્રીકના મધ્યમ રૈવેયક દેવોની જઘન્યસ્થિતિ તેવસ સાગરોપમની છે. અધસ્તન-અધતન-બધાની નીચેના રૈવેયક વિમાનમાં જે દેવો ઉત્પન્ન થાય છે તે દેવોની તેવીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તે દેવો તેવીસ પખવાડિયે શ્વાસોચ્છુવાસ લે છે. તે તેવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો તેવીસ ભવ કરીને સિદ્ધ થશે યાવત્ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૧૩ની નિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (સમવાય-૨૪). [54] (આ અવસર્પિણી કાલના) દેવાધિદેવ ચોવીસ છે–ઋષભ, અજિત, સંભવ, અભિનંદન. સુમતિ, પદ્મપ્રભ સુપાર્શ્વ, ચંદ્રપ્રભ, સુવિધિ, શીત, શ્રેયાંસ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy