SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 402 સમવાય-૨૧ કરવું એક વર્ષમાં દસવાર નદી આદિને પાર કરવા, એક વર્ષમાં દસવાર માયાચાર સેવવો. પુનઃ પુનઃ સચિત્ત જળથી ધોયેલ હાથથી પ્રદત્ત અશન પાન, ખાદિમ અથવા સ્વાદિમ આહાર લેવો. મોહનીય કર્મની સાત પ્રકૃતિઓ ક્ષય થઈ ગયો છે એવા નિવૃત્તિ બાદર ગુણસ્થાનમાં વતતા શ્રમણને મોહનીય કર્મની એકવીસ પ્રકૃતિઓની સત્તા રહે છે. અપ્રત્યાખ્યાન ક્રોધ, માન, માયા, લોભ, પ્રત્યાખ્યાન દોધ, માન માયા, લોભ, સંજ્વલન ક્રોધ, માન, માયા લોભ, સ્ત્રીવેદ, પુરૂષવેદ, નપુસંકવેદ, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુ સા. પ્રત્યેક અવસર્પિણીના પાંચમાં દુષમાં અને છઠ્ઠા દુષમ-દુષમા આરા એકવીસ એકવીસ હજાર વર્ષના હોય છે. પ્રત્યેક ઉત્સર્પિણીનો પહેલો દુષમ-દુષમા અને બીજો દુષમાં આરો એકવીસ-એકવીસ હજાર વર્ષનો હોય છે. આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. તમપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ એકવીસ સાગરોપમની છે. કેટલાક અસુરકુમાર દેવોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. સૌધર્મ અને ઈશાન કલ્પના કેટલાક દેવોની સ્થિતિ એકવીસ પલ્યોપમની છે. આરણ કલ્પના દેવોની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીસ સાગરોપમની છે. અશ્રુતકલ્પના દેવોની જઘન્ય સ્થિતિ એકવીસસાગરોપમની છે. શ્રીવન્સ, શ્રીદામ કાન્ત, માલ્ય, કૃષ્ટિ ચાપોત્રત, આરણાવતંસક આ છ વિમાનોમાં જે દેવો ઉત્પન્ન થાય છે, તેઓની સ્થિતિ એકવીસ સાગરોપમની છે. તે દેવો એકવીસ પખવાડિએ શ્વાસોચ્છવાસ લે છે. તેઓને એકવીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. કેટલાક ભવસિદ્ધિક જીવો એવા છે કે જે એકવીસ ભવ કરીને સિદ્ધ થશે ભાવ સમસ્ત દુઃખોનો અંત કરશે. | સમવાય-૨૧નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (સમવાય-૨૨) પિરી પરીષહ બાવીસ કહ્યા છે–સુધાપરીષહ પિપાસાપરીષહ, શીત-ઉષ્ણ પરીષહ, દેશ-મશક પરીષહ, અચેલપરીષહ, અરતિપરીષહ સ્ત્રીપરીષહ, ચય પરીપહ, નિષદ્યાપરીષહ, શવ્યાપરીષહ આકાશપરીષહ, વધપરિષહ, યાચના- પરીષહ, જલ્લ (મેલ)પરીષહ, સત્કારપુરસ્કાર પરીષહઅલાભપરીષહ, રોગપરીષહ, તૃષ્ણસ્પર્શપરીષહ, પ્રજ્ઞાપરીષહ, અજ્ઞાનપરીષહ, દર્શનપરીષહ. દષ્ટિવાદના બાવીસ સૂત્રો છિત્રછેદ નયવાળા છે અને તે સ્વસમયના સુત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો અછિન્ન છેદ નયવાળા છે. અને તે આજીવિક સૂત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો ત્રણ નયવાળા છે અને તે વૈરાશિક સૂત્રોની પરિપાટીમાં છે. દષ્ટિવાદના બાવીસ સૂત્રો ચાર નયવાળા છે અને તે સ્વસમયનાં સૂત્રોની પરિપાટીમાં છે. પુદ્ગલ પરિણામ બાવીસ પ્રકારનું કહ્યું છે- કૃષ્ણવર્ણ પરિણામ, નીલ, રક્ત, હારિદ્ર, શુકલ, સુરભિગંધ, દુરભિગંધ, તિક્ત, કટુક, આમ્સ, કષાય, મધુરરસ, કર્કશ સ્પર્શ, મૃદુ, ગુરૂ, લઘુ, શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રુક્ષ, અગુરુલઘુ સ્પર્શ, ગુરૂલઘુસ્પર્શ પરિણામ આ રત્નપ્રભા પૃથ્વીના કેટલાક નૈરયિકોની સ્થિતિ બાવીસ પલ્યોપમની છે. તમ પ્રભા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005064
Book TitleAgam Deep 04 Samavo Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 04, & agam_samvayang
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy