SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ 312 ઠાસં-૪૪/૩૯૯ જીવોના જિવા સંબંધી સુખનો વિનાશ કરતો નથી. જિહુવા સંબંધી દુખ સાથે તેમને જોડનાર થતો નથી. સ્પર્શેન્દ્રિય સંબંધી સુખનો વિયોગ કરનાર થતો નથી. અશેન્દ્રિય સંબંધી દુખ સાથે તેમને જોડનાર થતો નથી. બેઈન્દ્રિય જીવોની હિંસા કરવાવાળો ચાર પ્રકારનો અસંયમ કરે છે. જેમકે- તે જીવોના જિહુવા સંબંધી સુખનો વિનાશ કરે છે. જિહુવાસંબંધી દુઃખ સાથે જોડનાર થાય છે. સ્પર્શેન્દ્રિય સંબંધી સુખનો વિનાશ કરે છે. સ્પર્શેન્દ્રિય સંબંધી દુઃખ સાથે તેમને જોડનાર થાય છે. [40] સમ્યગૃષ્ટિ નારકોમાં ચાર ક્રિયાઓ હોય છે. આરંભિકી પારિગ્રહિકી માયાપ્રત્યયિકી અને અપ્રત્યાખ્યાન ક્રિયા. વિકલેન્દ્રિયને છોડી બાકીના બધા દેડકોના જીવ ચાર ક્રિયાઓ કરે છે, આરંભિકીથી લઈ યાવત્ અપ્રત્યાખ્યાન ક્રિયા [401] ચાર કારણોથી જીવ બીજાના ગુણોને આચ્છાદિત કરે છે, જેમકે ક્રોધથી, બીજાના ઉત્કર્ષની ઈર્ષ્યાને લઈને, અકૃતજ્ઞતાથી બીજાના ઉપકારને ન માનવાથી અને દુરાગ્રહી હોવાથી. ચાર કારણોથી પુરૂષ બીજાના ગુણોને પ્રગટ કરે છે. જેમકે- પ્રશંસા કરવાના સ્વભાવથી, બીજાને અનુકૂળ વ્યવહારવાળો રહેવાથી, ઈચ્છિત કાર્યને સિદ્ધ કરવાને માટે અને કરેલા ઉપકારનો પ્રત્યુપકાર કરવા માટે. 4i02] ચાર કારણોને લીધે નૈરયિક શરીરની ઉત્પત્તિનો પ્રારંભ થાય છે. ક્રોધથી માનથી માયાથી અને લોભથી. બાકીના બધા દંડવત જીવોના શરીરની ઉત્પત્તિનો પ્રારંભ પણ આ જ ચાર કારણોથી થાય છે. ચાર કારણોને લીધે નૈરયિક શરીરની નિષ્પત્તિ પૂર્ણતા) થાય છે. ક્રોધવડે યાવતુ લોભવડે. બાકીના બધા દેડવર્તી જીવોના શરીરની પૂર્ણતા પણ આ ચાર કારણોથી જ થાય છે. 4i03] ધર્મના ચાર ધાર છે, જેમકે- ક્ષમા નિલભતા સરળતા અને માર્દવતા. f404] ચાર કારણોથી જીવ નરકમાં જવા યોગ્ય કર્મ બાંધે છે. જેમકે- મહાઆરંભ કરવાથી, જીવનો ઘાત કરવાથી, મોસ આહાર કરવાથી, ચાર કારણોથી. તિર્યચોમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ બાંધે છે, જેમકે- મનની કુટિલતાથી બીજાને ઠગવા માટે કાયાની જુદી રીતે ચેષ્ટા કરવાથી અલીક બોલવાથી અને ખોટા તોલ અને માપવડે વ્યવહાર કરવાથી. ચાર કારણોથી મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ બાંધે છે, જેમ કેસરલ સ્વભાવથી, વિનમ્રતાથી, અનુકંપાથી, માત્સર્યભાવ ન રાખવાથી, ચાર કારણોથી દેવતાઓમાં ઉત્પન્ન થવા યોગ્ય કર્મ બાંધે છે યથા- સરાગસંમયથી, સંયમસંયમના બાલતપ કરવાથી, અકામ નિર્જરાથી 4i05] વાદ્ય ચાર પ્રકારના છે. તત (વીણા આદિ) વિતત (ઢોલ આદિ) ધન (કાંસ્ય તાલ આદિ) અને શુષિર (બાંસુરી આદિ) નૃત્ય ચાર પ્રકારના છે- રહી રહીને નાચવું. સંગીતની સાથે પદની સંજ્ઞાવડે નાચવું. સંકેતોથી ભાવાભિવ્યક્તિ કરતા થકી નાચવું. નાચતા છતાં નીચું પડવું. ચાર પ્રકારનાગાયન કહેલ છે, જેમકે- નાચતા થકા ગાયન કરવું. છંદ, સ્વરથી ગાયન ગાવું અને ધીમે ધીમે સ્વરને તેજ કરતા ગાયન કરવું. પુષ્પરચના ચાર પ્રકારની છે, જેમકે- સુતરના દોરાથી ગુંથીને બનાવેલી પુષ્પ રચના, પુષ્પ વીંટીને બનાવેલ રચના, પુષ્ય આરોપિત કરીને બનાવેલ રચના, પરસ્પર પુષ્પ નાલ મેળવીને બનાવેલ રચના. અલંકાર ચાર પ્રકારના છે- કેશાલંકાર, વસ્ત્રાલંકાર માલ્યાલકાર અને આભરણાલંકાર. અભિનય ચાર પ્રકારના છે જેમકે- કોઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy