SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસી-૩ 297 જવાવાળો છે. એક પુરૂષ દરિદ્ર છે અને સુગતિમાં જવાવાળો છે. એક પુરૂષ ધનવાનું છે અને દુર્ગતિમાં જવાવાળો છે. એ ધનવાન છે અને સુગતીમાં જનાર છે. આ પ્રમાણે પણ પુરૂષ ચાર પ્રકારના છે. જેમકે એક દરિદ્ર છે અને દુર્ગતિમાં ગયો છે. એક દરિદ્ર છે અને સુગતિમાં ગયો છે એક પુરૂષ ધનવાનું છે અને દુગતિમાં ગયો છે. એક પુરૂષ ધનવાનું છે અને સુગતિમાં ગયો છે. પુરૂષ ચાર પ્રકારના છે- એક પહેલા અજ્ઞાની પછી પણ અજ્ઞાની. એક પહેલા અજ્ઞાની પછી જ્ઞાની. એક પહેલા જ્ઞાની પરંતુ પછી અજ્ઞાની. એક પહેલા જ્ઞાની પછી પણ જ્ઞાની. પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળો અને તેની પાસે અજ્ઞાનનું બલ છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળી છે પણ તેની પાસે જ્ઞાનનું બલ છે. એક પુરૂષ નિર્મળ સ્વભાવવાળો છે પણ તેની પાસે અજ્ઞાનનું બળ છે. એક પુરૂષ નિર્મળ સ્વભાવવાળો છે અને તેની પાસે જ્ઞાનનું બળ છે. પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળો છે અને અજ્ઞાન બળમાં આનંદ માનવાળો છે. એક પુરૂષ મલિન સ્વભાવવાળો છે પરંતુ જ્ઞાન બળમાં આનંદ માનવાવાળો છે. એક પુરૂષ નિર્મલ સ્વભાવવાળો છે અને અજ્ઞાન બળમાં આનંદ માનવાવાળો છે. એક પુરૂષ નિર્મલ સ્વભાવવાળો છે અને જ્ઞાન બળમાં આનંદ માનવાવાળો છે. પુરૂષ ચાર પ્રકારના કહેલ છે- એક પુરૂષ કૃષિ આદિ સાવધકર્મોનો ત્યાગ કર્યો છે પરંતુ સદોષ આહારનો ત્યાગ નથી કર્યો. એક પુરૂષે સદોષ આહારનો ત્યાગ કર્યો છે પરંતુ કૃષિ આદિ સાવધકમનો ત્યાગ નથી કર્યો. એક પુરુષે કષિ આદિ સાવધકમનો અને સદોષ આહાર, બન્નેનો ત્યાગ કર્યો છે. એક પુરૂષે બન્નેનો ત્યાગ કર્યો નથી. પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષે કૃષિ આદિ સાવદ્યકર્મોનો ત્યાગ કર્યો પરંતુ ગૃહવાસનો ત્યાગ નથી કર્યો. શેષ ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમથી કહેવા. પુરૂષ વર્ગ ચાર પ્રકારના છે. જેમકે- એક પુરૂષે સદોષ આહાર આદિનો ત્યાગ કરી દીધો છે. પરંતુ ગૃહવાસનો ત્યાગ કર્યો નથી. બાકીના ત્રણ ભાંગા પૂર્વોક્ત ક્રમ પ્રમાણે કહેવા. પુરૂષ ચાર પ્રકારના છે.- એક પુરૂષ આ ભવમાં સુખની કામના કરે છે પરંતુ પરભવમાં સુખની કામના નથી કરતો. એક પુરૂષ પરભવમાં સુખની કામના કરે છે પરંતુ આ ભવમાં સુખની કામના કરતો નથી. એક પુરૂષ આ ભવ અને પરભવમાં સુખની કામના કરે છે. એક પુરૂષ આ ભવ અને પરભવ બન્નેમાં સુખની કામના કરતો નથી. પુરૂષ ચાર પ્રકારના છે- એક પુરૂષ એક શ્રુતજ્ઞાન)થી વધે છે અને એક (સમ્યગ્દર્શન) થી હીન થાય છે. એક પુરૂષ એક (શ્રુતજ્ઞાન) થી વધે છે અને બે (સમ્યગ્દર્શન અને વિનય)થી હીન થાય છે એક પુરૂષ બે (શ્રુતજ્ઞાન અને સમ્યગ ચારિત્ર)થી વધે છે અને સમ્યગદર્શનથી હીન થાય છે. એક પુરૂષ બે (શ્રુતજ્ઞાન અને સમ્યગનુષ્ઠાનથી) વધે છે અને બે (સમ્યગદર્શનને વિનયથી હીન થાય છે. ચાર પ્રકારના ઘોડા કહેલ છે- એક ઘોડો પહેલા શીદ ગતિવાળો છે અને પછી પણ શીધ્ર ગતિ રહે છે. એક ઘોડો પહેલા શીધ્ર ગતિવાળો છે પરંતુ પછી મંદગતિવાળો થાય છે. એક ઘોડો પહેલા મંદગતિ હોય છે પરંતુ પછી શીધ્ર ગતિવાળો થાય છે. એક ઘોડો પહેલા મંદગતિવાળો હોય છે અને પછી પણ મંદગતિવાળો હોય છે. આ પ્રકારે પુરૂષ ચાર પ્રકારના છે. એક પુરૂષ પહેલા સદ્દગુણી છે પછી પણ સદ્ગુણી છે. એક પુરૂષ પહેલા સદ્ગણી છે પછી અવગુણી થઈ જાય છે. એક પુરૂષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy