SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ 295 સ્થાન-૪, ઉસો-૩ થાવતું આસકત નથી થતો. તેના મનમાં એવો વિકલ્પ આવે છે કે મનુષ્ય લોકમાં મારા આચાર્ય છે, ઉપાધ્યાય છે, પ્રવર્તક છે, સ્થવિર છે, ગણી છે, ગણધર છે, અને ગણાવિચ્છેદક છે. તેમના પ્રભાવથી મને આ દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવદ્યાતિ આદિ લબ્ધ થઇ, પ્રાપ્ત થઈ અને સામે આવી છે. તેથી હું અહીંથી મનુષ્ય લોકમાં જઈ તેમને વંદના કરું થાવતુ તેમની પÚપાસના કરું. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ કામભોગોમાં મૂર્શિત યાવતું આસકત નથી થતો. તેના મનમાં વિકલ્પ આવે છે કે મનુષ્ય ભવમાં જ્ઞાની. અથવા દુષ્કર તપ કરવાવાળા તપસ્વી છે તે ભગવન્તોની વંદના કરું પાવતુ- પપાસના કરે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્ણિત યાવતુ-આસકત નથી થતો અને તેના મનમાં એવો વિકલ્પ આવે છે કે મનુષ્ય ભવમાં મારા માતા, પિતા, ભાઈ, બેન પૂત્રવધૂ આદિ છે. તેની સમીપ જાઉં અને તેને બતાવું, કે મને આવી દિવ્ય ઋદ્ધિ અને દેવતી પ્રાપ્ત થઈ છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવ દિવ્ય કામભોગોમાં મૂર્શિત-યાવતુ. આસકત નથી થતો. તેના મનમાં એ વિકલ્પ આવે છે, કે મનુષ્ય લોકમાં મારા મિત્રો છે, સહાયક છે, સખા છે, સાંગતિક છે, તે અને મેં પરસ્પરમાં સંકેત કર્યો છે. વચન આપ્યું છે કે જે પહેલા દેવલોક જાય તે બીજાને પ્રતિબોધ દેવા આવે. [34] લોકોમાં એટલે લોકના અમુક ભાગમાં ચાર કારણોને લીધે અંધકાર વ્યાપી જાય છે. જિનેન્દ્ર દેવના નિવણ કાળ, અહંતપ્રજ્ઞપ્ત ધર્મ લુપ્ત થવા પર પૂવનું જ્ઞાન નષ્ટ થવા પર, (બાદર) અગ્નિ ન રહેવા પર. ચાર કારણોને લીધે લોકમાં ઉદ્યોત થાય છે. જેમકે, જિનેન્દ્ર દેવના જન્મ સમયે, જિનેન્દ્ર પ્રધ્વજિત થાય ત્યારે, તીર્થંકરોને કેવળજ્ઞાન થાય ત્યારે, અહંન્ત પ્રભુ નિવણ મહિમા અવસરે એ પ્રમાણે દેવલોકમાં અંધકાર, ઉદ્યોત, દેવ સમુદાયનું એકત્રિત થવું, ઉત્સાહીત થવું અને આનંદજન્ય કોલાહલ થવો, આ રીતે દરેકના ફક્ત ચાર ચાર કારણો કહેવા. દેવદ્યાવતુ-લોકાતિક દેવો ચાર કારણોથી મનુષ્ય લોકમાં આવે છે.” [347] ચાર દુબશપ્યાઓ કહી છે. જેમકે- પ્રથમ દુઃખશા એક મનુષ્ય મુંડિત થઈને અથાત્ “ગૃહસ્થાવસ્થાનો પરિત્યાગ કરી અણગાર અવસ્થાને અંગીકાર કરીને” નિગ્રંથપ્રવચનમાં શંકા, કાંક્ષા, વિચિકિત્સા કરે છે તો તે માનસિક દુર્વિદ્યામાં ધર્મવિપરીત વિચારોથી નિગ્રંથ પ્રવચનમાં અશ્રદ્ધા, અપ્રતીતિ અરુચિ રાખવા પર શ્રમણનું મન સદા વિવિધ વિષયો પ્રવૃત્ત થાય છે. તેથી તે ધર્મભ્રષ્ટ થઈ જાય છે, તે પ્રથમ દુઃખશધ્યા છે. બીજી દુઃખશયા, એક વ્યક્તિ મુંડિત થઈ યાવતુ-પ્રવ્રજિત થઈ પોતાને જે આહારાદિ પ્રાપ્ત છે તેથી સંતુષ્ટ નથી થતો અને બીજાને જે આહારાદિ પ્રાપ્ત છે તેની ઇચ્છા કરે છે. એવા શ્રમણનું મન વિવિધ વિષયોમાં ભમે છે. તેથી ધર્મભ્રષ્ટ થઈ જાય છે. આ બીજી દુખશવ્યા. ત્રીજી દુઃખશવ્યા, એક વ્યક્તિ મુંડિત થઈ યાવતુપ્રવ્રજિત થઇ મનુષ્ય સંબંધી કામભોગોનું આસ્વાદન-યાવતુ-અભિલાષા કરે છે. તે શ્રમણનું મન સદા વિવિધ વિષયોમાં ભમે છે, તેથી તે ધર્મભ્રષ્ટ થાય છે. તે ત્રીજા દુઃખશય્યા છે. ચોથી દુઃખશધ્યા, એક વ્યક્તિ મુંડિત થઈનેયાવતુપ્રવ્રજિત થઈને એમ વિચારે છે કે હું ગૃહસ્થાવાસમાં હતો ત્યારે માલિશ, મર્દન ખાન, આદિ નિયમીત કરતો હતો જ્યારથી હું પ્રવ્રજિત થઇ ગયો. છું ત્યારથી માલિશ મર્દન સ્નાન આદી કરી શકતો નથી, એ પ્રમાણે માલિશ આદિની ઈચ્છા-યાવતું અભિલાષા કરે છે તેનું મન વિવિધ વિષયોમાં ભમે છે. તેથી તે સંયમભ્રષ્ટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy