SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ 294 ઠા-૪૩૩૪૨ શિષ્ય નથી. એક ઉપસ્થાપિત શિષ્ય છે પરંતુ પ્રવ્રતિ શિષ્ય નથી. એક પ્રજિત શિષ્ય પણ છે અને ઉપસ્થાપિત પણ છે. એક પ્રવ્રજિત શિષ્ય પણ નથી અને ઉપસ્થાપિત પણ નથી. શિષ્ય ચાર પ્રકારના છે- એક ઉદ્દેશકાન્તવાસી છે પણ વાચનાન્તવાસી નથી. એક વાચનાત્તેવાસી છે પણ ઉદ્દેશકાન્તવતી નથી. એક ઉદ્દેશકાન્તવાસી પણ નથી અને વાચનાન્તવાસી પણ નથી. નિર્ચન્ય ચાર પ્રકારના છે. એક નિર્ઝન્ય દીક્ષામાં જ્યેષ્ઠ હોય છે પરંતુ મહાપાપ કર્મ અને મહાપાપ ક્રિયા કરે છે. ક્યારેય આતાપના લેતો નથી અને પાંચ સમિતિઓનું પાલન પણ કરતો નથી. તેથી તે ધર્મનો આરાધક નથી. એક નિગ્રન્થ દીક્ષામાં જ્યેષ્ઠ છે પરંતુ પાપ કર્મ અને પાપ ક્રિયા કદી પણ કરતો નથી. આતાપના લે છે અને સમિતિઓનું પાલન પણ કરે છે. તેથી તે ધર્મનો આરાધક છે. એક નિગ્રંથ દિક્ષામાં નાના છે પરંતુ મહાપાપ કર્મ અને મહાપાપ ક્રિયા કરે છે. આતાપના ક્યારેય લેતો નથી અને સમિતિઓનું પાલન કરતો નથી તેથી તે ધર્મનો આરાધક નથી. એક નિર્ઝન્થ દિક્ષામાં નાના છે. પરંતુ કદી પાપ કર્મ અને પાપ ક્રિયા કરતો નથી આતાપના. લે છે. અને સમિતિઓનું પાલન પણ કરે છે, તેથી તે ધર્મનો આરાધક હોય છે. આ પ્રમાણે નિગ્રન્થીઓ, તથા શ્રાવકો, અને શ્રાવિકાઓના પણ ભાંગા કહેવા. 3i43] શ્રમણોપાસકના ચાર પ્રકાર છે- માતાપિતા સમાન ભાઈ સમાન મિત્ર સમાન અને શોક્યસમાન. શ્રમણોપાસકના નીચે પ્રમાણે ચાર પ્રકાર પડે છે- અરીસાસમાન પતાકાસમાંન સ્થાણુસમાન તીર્ણ. કાંટાની સમાન. | [34] ભગવાન મહાવીરના જે શ્રમણોપાસકો સૌધર્મકલ્પના અરુણાભ વિમાનમાં ઉત્પન્ન થયા છે, તેમની ચાર પલ્યોપમની સ્થિતિ છે. [345] દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવતા મનુષ્ય લોકમાં આવવા ઇચ્છે છે પરંતુ ચાર કારણોથી તે આવી શકતા નથી. જેમ કે- દેવલોકમાં ઉત્પન્ન થયેલ એક દેવતા દિવ્યકામ-ભોગોમાં મૂચ્છિત, વૃદ્ધ, બદ્ધ અને આસક્ત થઈ જાય છે તેથી તે મનુષ્યના કામભોગોને આદરથી જોતો નથી. શ્રેષ્ઠ માનતો નથી. માનવીના કામભોગોથી મને કોઈ લાભ નથી એવો નિશ્ચય કરી લે છે અને માનવીનાકામભોગ મળે એવી કામના પણ કરતો નથી અને મનુષ્યના કામભોગોનો ઉપભોગ કરું એવો વિકલ્પ પણ તે કરતો નથી. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ નવો દેવ દિવ્ય કામભોગોમાં મૂચ્છિત-થાવતું આસકત થઇ જાય છે. તેથી તેનો મનુષ્યભવ પ્રત્યેનો પ્રેમ દેવલોક પ્રત્યેના પ્રેમમાં સંક્રાત થઈ જાય છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલો નવો દેવતા દિવ્ય કામભોગોમાં મૂચ્છિત-યાવતુ આસકિત થઈ જાય છે. તેથી તેના મનમાં એ વિકલ્પ આવે છે કે હું હમણાં જઈશ અથવા એક મુહૂર્ત પછી જઈશ. આમ વિચાર કરતાં કરતાં લાંબો સમય વ્યતીત થઈ જાય છે. ત્યાં સુધીમાં તેના માતાપિતા આદિ સંબંધીઓ કાળધર્મ પામી ગયા છે. દેવલોકમાં ઉત્પન્ન થયેલ દેવતા દિવ્ય કામભોગોમાં મૂચ્છિતચાવતુ-આસકત થઇ જાય છે. તેને મનુષ્યલોકની ગંધ અમનોજ્ઞ લાગે છે. કેમકે મનુષ્ય લોકની દુર્ગધ 400-500 યોજન સુધી ફેલાયેલી હોય છે. તેથી તે દુર્ગંધને કારણે આવતા નથી. દેવલોકમાં તત્કાલ ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યોમાં આવવા ઈચ્છે છે અને આ ચાર કારણો એ આવી શકે છે. દેવલોકમાં ઉત્પન્ન થતા દેવતા દિવ્ય કામ ભોગોમાં મૂચ્છિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy