SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૪, ઉદેસો-ર 283 પરિષહોને જીતવાવાળો છે પરંતુ પરિષહોથી પરાજિત થવાવાળો નથી હોતો. કોઈ સાધુ પરિષહોથી હારવાવાળો છે. જીતવાવાળો હોતો નથી. એક સાધુ પરિષહોથી હારવાવાળો અને અને જીતવાવાળો પણ હોય છે. એક સાધુ પરિષહોથી હારવાવાળો અને જીતવાવાળો પણ નથી. બીજી રીતે પણ તેના ચાર પ્રકારની કહેલ છે- એક સેના યુદ્ધના આરંભમાં પણ શત્રુ સેનાને જીતે છે અને અંતમાં પણ જીતે છે. એક સેના યુદ્ધના આરંભમાં શત્રુ સેનાને જીતે છે પણ યુદ્ધના અંતે પરાજિત થાય છે. એક સેના યુદ્ધના આરંભમાં પરાજિત થાય છે પરંતુ યુદ્ધના અંતમાં વિજય પ્રાપ્ત કરે છે. એક સેના યુદ્ધના. આરંભમાં પણ અને અંતમાં પણ પરાજિત થાય છે. એ પ્રમાણે પરિવહોથી વિજયી પરાજિત થવા વાળા પુરુષો ચાર પ્રકારે છે એમ જાણવા. 312 ચાર પ્રકારની રાજિઓ કહેલી છે યથાપર્વતરાજિ. પૃથ્વીરાજ, વાસુકારાજિ અને ઉદકરાજિ. એવી જ રીતે ચાર પ્રકારનો ક્રોધ કહેલ છે. પર્વતરાજ સમાન, પૃથ્વીરાજિ સમાન, વાલુકારાજિસમાન અને ઉદકરાજિસમાન. પર્વત રાજિસમાન. અનન્તાનુબંધી ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો નરક ગતિમાં ઉત્પન્ન થાય. પૃથ્વી રાજિસમાન અપ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો તિર્યંચ યોનિમાં ઉત્પન થાય.વાલુકા રાજિસમાન પ્રત્યાખ્યાની ક્રોધમાં પ્રવિષ્ટ જીવ કાળ કરે તો મનુષ્યમાં ઉત્પન્ન થાય. સંજવલન ક્રોધમાં પ્રવિષ્ટ જીવકાળ કરે તો દેવોમાં ઉત્પન્ન થાય. વક્ર વસ્તુઓ ચાર પ્રકારની કહેલી છે, જેમકે- વાંસની જડની સમાનવક્ર, ઘેટાના શૃંગની સમાન વક્ર ગૌમૂત્રિકાની સમાન વક્ર, વાંસની છાલની સમાન વક્ર. એ પ્રમાણે વાંસના જડની સમાન વક્ર માયા કરવાવાળી જીવ મરીને નરકમાં ઉત્પન્ન થાય છે ઘેંટાના શીંગ સમાન વક્રતાવાળી માયાવાળો જીવ મરીને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે. ગોમુત્રિકાની સમાન વક્રતાવાળી માયાવાળો જીવ મરીને મનુષ્યયોનિમાં જન્મે છે. વાંસની. છાલની સમાન વક્રતા વાળી માયાવાળો જીવ મરીને દેવયોનીમાં ઉત્પન્ન થાય છે. સ્તક્ષ્મ ચાર પ્રકારના છે, જેમકે- લસ્તમ્ભ, અસ્થિસ્તમ્મ, દારુસ્તમ્ભ અને તિનિસલતાસ્તમ્ભ એ પ્રમાણે માન ચાર પ્રકારના છે, શૈલસ્તમ્ભ સમાન, અસ્થિસ્તમ્ભ સમાન, દારુસ્તમ્ભ સમાન અને તિનિસલતા સ્તષ્ણ સમાન, શૈલસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ નરકમાં ઉત્પન્ન થાય છે. અતિસ્તમ્ભ સમાન માન કરવાવાળો જીવ મરીને તિર્યંચયોનિમાં ઉત્પન્ન થાય છે. દારસ્તન્મ સમાન માન કરવાવાળો જીવ મરીને મનુષ્ય યોનિમાં ઉત્પનથાય છે નિતિસલતા સ્તન્મ સમાન માન કરનારો જીવ મરીને દેવયોનિમાં ઉત્પન્ન થાય છે. વસ્ત્ર ચાર પ્રકારના કહેલ છે જેમકે કૃમિ રાગથી રંગેલું વસ્ત્ર. 2 કર્દમ રાગથી રંગેલું વસ્ત્ર, 3 ખંજન રાગથી (મેશથી) રંગેલ વસ્ત્ર હળદર રંગથી રંગેલું વસ્ત્ર. એ પ્રમાણે લોભના ચાર પ્રકાર કહેલ છે. કૃમિ રાગથી રંગેલા વસ્ત્રની સમાન. કીચડથી રંગેલા વસ્ત્રસમાન. ખંજનથી રંગાયેલા વસ્ત્રસમાન. હળદરથી રંગેલા વસ્ત્રસમાન. કૃમિરંગથી રંગેલા વસ્ત્રસમાન લોભકરવાવાળો જીવ મરીને નરકમાં જાય છે. કીચડથી રંગેલા વસ્ત્રસમાન લોભ કરવાવાળો જીવ મરીને તિર્યંચમાં જાય છે. ખંજનથી રંગેલા વસ્ત્રસમાન લોભ કરવાવાળો જીવ મરીને મનુષ્યમાં જાય છે. હળદરથી રંગેલા વઢસમાન લોભ કરવાવાળો જીવ મરીને દેવતાઓમાં જાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy