SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૩, ઉદેસો-૧ 247 ત્રણ પ્રકારના છે, જેમ કે- જ્ઞાનેન્દ્ર(કેવલજ્ઞાની અથવા સંપૂર્ણશ્રુત, અવધિ અને મન-પર્યવજ્ઞાનનાધારક), દર્શનેન્દ્ર (ક્ષાયિક સમ્યવૃષ્ટિ) અને ચારિત્રેદ્ર (યથાખ્યાત ચારિત્રી). ઇન્દ્ર ત્રણ પ્રકારના છે, જેમકે-દેવેન્દ્ર વૈમાનિકો અને જ્યોતિષ્કોના ઈન્દ્ર) અસુરેન્દ્રભવનપતિ-વ્યન્તરનિકાયનાન્દ્ર અને મનુષ્યદ્ર (ચક્રી). 128] વિદુર્વણા ત્રણ પ્રકારની કહેલ છે, જેમકે- એકબાહ્ય પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુવણા, એક બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિકુવણા, એક બાહ્ય પુગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના પણ કરાતી વિકુવણા, વિકુવણા ત્રણ પ્રકારની કહેલ છે. જેમકે-એક આભ્યતર પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિમુર્વણા, એક આધ્યેતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી વિમુર્વણા અને ગ્રહણ કરીને તથા ગ્રહણ કર્યા વિના પણ કરાતી વિમુર્વણા, વિદુર્વણા ત્રણ પ્રકારની કહેલી છે, જેમકે - એક બાહ્ય આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કરીને કરાતી વિકુવા, એક બાહ્ય અને આત્યંતર પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના કરાતી. વિકુવણા, એક બાહ્ય અને આત્યંતર પુગલોને ગ્રહણ કરીને અને ગ્રહણ કર્યા વિના કરાતી વિમુર્વણા. 129] નારક ત્રણ પ્રકારનાં છે. -કતિસંચિત એક સમયમાં બેથી લઈને સંખ્યાત સુધી ઉત્પન થવાવાળા, અકચિતસંચિત-એક સમયમાં અસંખ્યાત ઉત્પન્ન થવાવાળા, અવ્યકતવ્યસંચિત- એક સમયમાં એક જ ઉત્પન્ન થવાવાળા. એ પ્રકારે એકેન્દ્રિયને છોડીને શેષ વૈમાનિકદંડક સુધીના જીવો અકતિસંચિત જ છે. એકેન્દ્રિય તો એક સમયમાં અસંખ્યાત અથવા અનન્તઉત્પન થવાને લીધેઅકતિસંચિત જ છે.કતિસંચિત કે અવ્યકત સંચિત નથી એ પ્રમાણે એકેન્દ્રિય સિવાય વૈમાનિક સુધી ત્રણ ભેદ જાણવા જોઇએ. [13] પરિચારણા દિવોને વિષય-સેવન) ત્રણ પ્રકારની કહેલ છે જેમ કે કોઈ દેવ અન્ય દેવોને અથવા અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને અથવા આલિંગનાદિ કરીને વિષય સેવન કરે છે. પોતાની દેવીઓને આલિંગન કરી વિષયસેવન કરે છે અને પોતાના શરીરની વિફર્વણા કરી પોતે પોતાનાથી જ વિષયસેવન કરે છે. કોઈ દેવ અન્ય દેવો અને અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને વિષય સેવન નથી કરતા પરતુ પોતાની દેવીઓને આલિંગન કરી વિષયસેવન કરે છે. અથવા પોતે પોતાને દેવ યા દેવીરૂપે વિકર્ષિત કરી તેની સાથે પરિચાર કરે છે. કોઈ દેવ અન્ય દેવો અથવા અન્ય દેવોની દેવીઓને વશમાં કરીને વિષયસેવન નથી કરતો અને પોતાની દેવીઓને પણ આલિંગનાદિ કરીને પણ વિષયસેવન નથી કરતો, પણ પોતે પોતાની જ દેવરૂપે વિક્રિયા કરી પરિચારણા કરે છે. [131] મૈથુન ત્રણ પ્રકારના છે. દેવતાસંબંધી, મનુષ્યસંબંધી, તિર્યંચયોનિક સંબંધી. ત્રણ પ્રકારના જીવો મૈથુન કરે છે. જેમ કે- દેવો, મનુષ્યો અને તિર્યંચયોનિકજીવો. ત્રણ વેદવાળા જીવ મૈથુન સેવન કરે છે. જેમ કે સ્ત્રી, પુરુષ અને નપુંસક. 132] યોગ ત્રણ પ્રકારના કહેલ છે. જેમ કે- મનોયોગ વચનયોગ અને કાયયોગ. નારક જીવોને આ ત્રણ યોગ હોય છે. આ પ્રમાણે વિકલેન્દ્રિયોને છોડી વૈમાનિક સુધી બધા દેડકોમાં ત્રણ યોગ સમજવા જોઇએ. ત્રણ પ્રકારના પ્રયોગ છે. જેમ કેમનઃપ્રયોગ, વચનપ્રયોગ અને કાયપ્રયોગ વિકલેન્દ્રિયોને છોડી યોગનું કથન કર્યું છે તે પ્રમાણે પ્રયોગના વિષયમાં પણ બધા દંડકો જાણવા જોઇએ. કરણ ત્રણ પ્રકારના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy