SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ 346 ઠા-૭-૬૬૪ રૂકમી નામનો કુણાલ દેશનો અધિપતિ. શંખ નામનો કાશી દેશનો રાજા. અદીનશત્રુ નામનો કુરૂદેશનો રાજા.જિતશત્રુ પાંચાલ દેશનો રાજા. [65] દર્શનના સાત ભેદ સમ્યગ્દર્શન, મિથ્યાદર્શન, સમ્યમિથ્યાદર્શન, ચક્ષુદર્શન, અચક્ષુ- દર્શન, અવધિદર્શન, કેવળદર્શન. [6] છદ્મસ્ય વીતરાગ મોહનીયને છોડીને સાત કર્મપ્રકૃતિઓનું વેદન કરે છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, આયુકર્મ, નામ કમ, ગોત્રકર્મ અત્તરાય- કર્મ. [67] છદ્મસ્થજીવો સાત સ્થાનોને પૂર્ણરૂપથી જાણતા નથી અને દેખતા નથી તે ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિતજીવ, પરમાણુ પુદ્ગલ, શબ્દ અને ગંધ. આ પણ સાતે સ્થાનોને સર્વજ્ઞ પૂર્ણ રૂપથી જાણે છે અને દેખે છે. [૬૮]શ્રમણ ભગવાન મહાવીર વજઋષભ નારા સંઘયણવાળા સમુચતુરસ્ત્ર સંસ્થાનવાળા અને સાત હાથ ઉંચા હતા. દિ૯] સાત. વિકથાઓ હોય છે સ્ત્રીકથા, ભક્ત કથા. દેશકથા, રાજકથા, મૃદુકારિણી કથા, દર્શન ભેદિની,(સમ્યક્ત્વને નષ્ટ કરનાર), ચારિત્ર ભેદિની. [70] આચાર્ય અને ઉપાધ્યાયના ગચ્છ સંબંધી સાત, અતિશયો કહેલા છે. જેમકે - આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયમાં ધૂળ ભરેલ પગોને બીજાથી ઝટકાવે અથવા પ્રમાર્જન કરાવે તો આજ્ઞાને અતિક્રમે નહિ, ઈત્યાદિ પાંચમાં ઠાણાની સમાન યાવતુ આચાર્ય ઉપાધ્યાય ઉપાશ્રયની બહાર ઇચ્છાનુસાર એક રાત અથવા બે રાત રહે તો પણ મયદાનું અતિક્રમ કરતા નથી છો અને સાતમાં અતિશય આ પ્રમાણે છે. ઉપકરણાતિશય-આચાર્ય અથવા ઉપાધ્યાય ઉજ્જવલ વસ્ત્ર રાખે તો મર્યાદ્ધિનું લંઘન થતું નથી. ભક્તપાનાતિશય-આચાર્ય અથવા ઉપાધ્યાય શ્રેષ્ઠ અથવા પથ્ય ભોજન લેવ તો મર્યાદાનું અતિક્રમણ નથી થતું. [71] સંયમ સાત પ્રકારે કહેલ છે. જેમકે - પૃથ્વીકાયિક જીવોનો સંયમ-ચાવતું ત્રસકાયિક સંયમ અને અજીવપ્રાય સંયમ. સંયમથી વિરૂદ્ધ અસંયમ સાત પ્રકારનો છે, જેમકે - પૃથ્વીકાયિક અસંયમ યાવત્ ત્રસકાયિક અસંયમ અને અવકાયિક અસંયમ. આરંભ સાત પ્રકારના કહેલ છે. જેમકે - પૃથ્વી કાવિક જીવોનો આરંભ-ચાવતુ અજીવકાયનો આરંભ. એ પ્રમાણે અનારંભ, સારંભ અસમારંભ, સમારંભ, અસમારંભના પણ સાત સાત પ્રકારો સમજી લેવા જોઈએ. [૭૨]ભગવાન ? અળસી, કુસુંભ, કોદવ, કાંગ. શલ, શણ, સરસવ અને મુળાના બીજ, આ ધાન્યોને કોઠારમાં ઘાલીને યાવતુ ઢાંકીને રાખે તો તે ધાન્યોની યોનિ કેટલા કાલ સુધી સચેત રહે છે એટલે ઉગવાની શક્તિવાળા રહે છે? હે ગૌતમ! જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ સાત સંવત્સર સુધી, ત્યારપછી યોનિ મલાન થઈ જાય છે. * 6i73] બાદર અપકાયિક જીવોની ઉત્કૃષ્ટ સ્થિતિ સાત હજાર વર્ષની કહેલી છે. ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીમાં નૈરયિકોની સ્થિતિ સાત સાગરોપમની છે. ચોથી પંકપ્રભા પૃથ્વી નૈરયિકોની જઘન્ય સ્થિતિ સાત સાગરોપમની છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy