SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાનમનુષ્યોની ઉંચાઈ અને તેનું પરમાણુ પૂર્વવતુ જ હોય છે. એ પ્રમાણે ધાતકી ખંડદીપના પૂર્વાધમાં પૂર્વવત્ ચાર આલાપકો કહેવા યાવતુ–પૃષ્ઠરવર દ્વીપાઈના પશ્ચિમાધમાં પણ પૂર્વવત્ ચાર આલોપકો સમજી લેવા. પિ૩૭ સંઘયણ છ પ્રકારના. વઋષભનારાચસંઘયણ ઋષભનારાંચ સંઘયણ, નારાચસંઘયણ, અર્ધનારાયસંઘયણ, કલિકાસંઘયણ,સંવાત સંઘયણ. [પ૩૮]સંસ્થાન છ પ્રકારના છે. જેમકે સમયચતુરઅસંસ્થાન, ઝોઘપરિમંડલ સંસ્થાન, સાદિસંસ્થાન, કુન્જસંસ્થાન, વામન સંસ્થાન હુંડસંસ્થાન. પ૩૯]છ સ્થાનકો આત્મભાવમાં રમણ નહિ કરનાર મનુષ્યને માટે અહિતકર, અશુભ,અશાંતિ મટાડવા માટે અસમર્થ,અકલ્યાણકર, અને અશુભ પરમપૂરાવાળા છે. વયની અપેક્ષાએ અથવા દીક્ષાની અપેક્ષાએ મોટાઈ, પુત્રાદિ અથવા શિષ્યાદિનો ઘણો પરિવાર, મહાન પૂર્વગાદિમૃત, અનશનાદિ મહાતપ, મહાલાભ, મહાન પૂજા કાર, આત્મભા- વવર્તી મનુષ્યોને માટે ઉપરના છ સ્થાનો હિતકર હોય છે. શુભ હોય છે, અશાન્તિ મટાડવામાં સમર્થ હોય છે. શુભ પરમ્પરાવાળા હોય છે. તે આ વયની અથવા દીક્ષાની અપેક્ષાએ મોટા પણ યાવત્ પૂજા સત્કાર. પ૪૦-૫૪૧) જાતિ આય વિશુદ્ધ માતૃપક્ષવાળા) મનુષ્યો છ પ્રકારના કહેલ છે. અંબષ્ઠ, કલંદ, વૈદેહ, વેદગાયક હરિન, ચૂંચણ. ૫૪૨]કુલાર્ય મનુષ્ય વિશુદ્ધ પિતૃપક્ષવાળા) મનુષ્યો છ પ્રકારે છે જેમકેઉગ્નકુલના, ભોગકુલના ,રાજન્યકુલના, ઈક્વાકુકુલના જ્ઞાનકુલના કૌરવકુલના. પ૪૩]લોક સ્થિતિ છ પ્રકારની છે. જેમકે આકાશને આધારે વાયુ, વાયુને આધારે ધનોદધિ, ધનોદધિને આધારે પૃથ્વી, પૃથ્વીને આધારે ત્રસ સ્થાવર જીવો, જીવને આધારે અજીવ રહેલ છે. જ્ઞાનાવરણાદિ કર્મને આધારે જીવો રહેલા. પિ૪૪]દિશા છ પ્રકારે છે. પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર, ઉર્ધ્વ, અધોદિશા. જીવોની ગતિ ઉપરની છ દિશામાં હોય છે. એવી જ રીતે છ દિશાઓમાં આગતિ, ઉત્પત્તિ સ્થાન પ્રત્યે આવવું, વ્યક્રાન્તિ ઉત્પતિ સ્થાનમાં ઉત્પન્ન થવું, આહાર શરીરની વૃદ્ધિ, શરીરની વિકૃવિણા, ગતિપર્યાય એટલે ચાલવું, વેદનાદિ સમુદ્યાત, દિવસ રાત વિગેરે કાલનો સંયોગ, અવધિ આદિ જ્ઞાનોથી વિશેષજ્ઞાન, જીવોના સ્વરૂપને પ્રત્યક્ષથી જણવું પુદગલાદિ અજીવોના સ્વરૂપને પ્રત્યક્ષ જાણવું, એ જ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચો અને મનુષ્યોને માટે પણ કહેવું જોઈએ. પિ૪પ-પ૪૬] કારણો વડે શ્રમણ નિગ્રંથ આહાર કરતો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી જેમકે યુધોવેદનીયને ઉપશમાવવા માટે, વૈયાવૃત્યને માટે ઈયાંસમિતિને પાળવા માટે, સંયમની રક્ષા માટે, પ્રાણોના નિવહમાટે, ધર્મ ચિતન માટે. પ૪૭-૫૪૮]ઇ કારણોથી શ્રમણે નિગ્રંથ આહારનો ત્યાગ કરે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમકે આતંક-જવરાદિની શાંતિ માટે. રાજા અથવા સ્વજન વડે ઉપસર્ગ થવા પર તિતિક્ષા-સહિષ્ણુતા કેળવવા માટે, બ્રહ્મચર્યની રક્ષાને માટે. શરીરનો ત્યાગ કરવા માટે. ૫૪૯]છ કારણો વડે આત્મા ઉન્માદને પામે છે.અહંતોના અવર્ણવાદ કરના. અહંત પ્રરૂપિત ધર્મનો અવર્ણવાદ કરવાથી, આચાર્ય ઉપાધ્યાયના અવર્ણવાદ કરવાથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy