SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૫, ઉદેસી-૩ 327 અજીવ શાશ્વત અને અવસ્થિત છે. દ્રવ્યથી પુદ્ગલાસ્તિકાય અનંત દ્રવ્યો છે. ક્ષેત્રથીલોકપ્રમાણ છે. કાલથી -અતીતમાં કયારેય નહીં હતો એમ નથી યાવતું નિત્ય છે. ભાવથી–વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યુક્ત છે. ગુણથી ગ્રહણ ગુણ છે. ૪૮૦|ગતિ પાંચછે, નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, દેવગતિ, સિદ્ધગતિ. [481] ઈન્દ્રિઓના પાંચ વિષય છે, જેમકે શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ યાવત સ્પર્શેન્દ્રિયનો વિષય સ્પર્શ. મુંડ પાંચ પ્રકારે છે. શ્રોત્રોન્દ્રિયમુંડ યાવત્ સ્પર્શેન્દ્રિયમુંડ અથવા મુંડ પાંચ પ્રકારના છે, ક્રોધમુંડ, માનકુંડ, માયામુંડ, લોભમુંડ શિરમુંડ [૪૮૨]અધોલોકમાં પાંચ બાદર કાયિક જીવો છે, પૃથ્વીકાયિક, અપકાયિક વાયુકાયિક, સ્નાતક પાંચ પ્રકારના છે, શરીરહિત,અતિચારરહિત, કમરહિત, શુદ્ધ જ્ઞાન-દર્શનના ધારક અહંન્તજિન કેવલી, અપરિશ્રાવી. ૪િ૮૪નેગંથો અને નિગ્રંથીઓને પાંચ પ્રકારના વસ્ત્રોનો ઉપભોગ અથવા પરિભોગ કહ્યું છે, જેમકે-જાંગિક-કંબલ આદિ, ભાંગમિક-અલસિનું વસ, સાનકશણના સુત્રનું વસ્ત્ર, પોતક કપાસનું વસ્ત્ર, તિરીયપદ-વૃક્ષની છાલનું વસ્ત્ર. નિગ્રંથો અને નિગ્રંથીઓને પાંચ પ્રકારના રજોહરણનો ઉપભોગ અથવા પરિભોગ કહ્યું છે, જેમકે ઔણિક-ઊનનું બનેલું, ઔષ્ટિક ઉંટનાવાળોનું બનેલું, શાનક-શણનું બનેલું, બલ્વજઘાસની છાલથી બનેલું, મુંજનું બનેલું. [૪૮૫]ધર્મનું આચરણ કરનાર પુરૂષને માટે પાંચ આલંબન સ્થાન છે, જેમકેછકાય, ગણ, રાજા, ગૃહપતિ, શરીર. [૪૮]નિધિ પાંચ પ્રકારના છે, જેમકે-પુત્રનિધિ, મિત્રનિધિ, શિલ્પનિધિ, ધનનિધિ, ધાન્યનિધિ. [૪૮૭]શૌચ પાંચ પ્રકારના છે, જેમકે પૃથ્વીશૌચ, જલશૌચ, અગ્નિશૌચ, મંત્રશૌચ. બ્રહ્મશૌચ ૪િ૮૮આ પાંચ સ્થાનોને છદ્મસ્થ પૂર્ણરૂપથી જાણતા નથી અને દેખતા નથી, જેમકે- - ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, શરીરરહિત જીવ. પરમાણુ પુદ્ગલ. પણ આ પાંચ સ્થાનોને કેવલજ્ઞાની પૂર્ણરૂપથી જાણે છે અને દેખે છે. | [489] અધોલોક માં પાંચ ભયંકર મોટી-મોટી પાંચ નરકો છે કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ, અપ્રતિષ્ઠાન. ઉર્ધ્વલોકમાં પાંચ મહાવિમાન છે, જેમકે વિજય, વૈજયંત, જયંત, અપરાજિત, સવર્થ સિદ્ધ મહાવિમાન. [૪૯૦પુરુષ પાંચ પ્રકારના છે, જેમકે-વ્હીસત્ત્વ- લજ્જાથી ઘેર્ય રાખવાવાળા. હમનસત્ત્વ- -લાથી મનમાં ધેય રાખવાવાળા. ચલસત્ત્વ - - અસ્થિર ચિત્તવાળા. સ્થિરસત્ત્વ -- સ્થિર ચિત્તવાળા. ઉદાત્ત સત્ત્વ- - વધતા ધૈર્યવાળા. ૪૯૧)મત્સ્ય પાંચ પ્રકારના છે, જેમ કે અનુશ્રોતારી-પ્રવાહના વહેણની દિશામાં ચાલનારો. પ્રતિશ્રોતચારી- પ્રવાહના વહેણની વિરુદ્ધ દિશામાં જનાર. અંતચારી–પ્રવાહના કિનારે કિનારે ચાલનાર. પ્રાન્તચારી-પ્રવાહની મધ્યમાં ચાલનાર સર્વચારી-સર્વત્ર ચાલનાર. એ પ્રમાણે ભિક્ષ પાંચ પ્રકારના કહેલ છે, જેમકે અનુશ્રોતચારી યાવતું સર્વશ્રોતચારી ઉપાશ્રયની નજીકથી ક્રમશઃ અન્ય ઘરોમાં ભિક્ષા પ્રાપ્ત કરનારો અનુશ્રોતચારી, દૂર ઘરથી શરૂ કરી ક્રમશઃ ઉપાશ્રયની નજીક સુધી ભિક્ષા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy