SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ 324 ઠાશં-પર૪૩ દોષો. એષણોપઘાત - સાધુ અને ગૃહસ્થ વડે લાગતા શક્તિાદિ દશ દોષો. પરિકમપઘાત-વસ્ત્ર-પાત્રના છેદન યા સિલાઈ આદિમાં મર્યાદાનું ઉલ્લંઘન. પરિહરણોપઘાત એકાકી વિચરવાવાળા સાધુના વસ્ત્રપાત્રાદિ ઉપકરણોને ઉપયોગમાં લેવા. પાંચ પ્રકારની વિશુદ્ધિ કહેલી છે. ઉદ્ગમવિશદ્ધિ, ઉત્પાદન- વિશદ્ધિ, એષણાવિશુદ્ધિ, પરિકર્મવિશુદ્ધિ, પરિહરણવિશુદ્ધિ પૂર્વે કહેલા ઉદ્ગમાદિ દોષોનું સેવન ન કરવું તે વિશુદ્ધિ. [46] પાંચ કારણોથી જીવો બોધિની પ્રાપ્તિ દુર્લભ બની જાય એવા કમ ઉપાર્જન કરે છે અહિત પ્રભુનો અવર્ણવાદ કરવાથી, અહંત કથિત ધર્મનો અવર્ણવાદ કરવાથી,આચાર્ય ઉપાધ્યાયનો અવર્ણવાદ કરવાથી. ચતુર્વિધ સંઘનો અવર્ણવાદ કરવાથી. ઉત્કૃષ તપ અને બ્રહ્મચર્યનું પાલન કરવાથી થયેલ દેવોનો અવર્ણ- વાદ કરવાથી. પાંચ કારણોથી જીવો, બોધિની પ્રાપ્તિ સુલભ થાય એવા કમનું ઉપાર્જન કરે છે. અરિહંતોનો ગુણાનુવાદ ચાવતુદેવોના ગુણાનુવાદ કરવા પર. ૪િ૬પો પ્રતિસલીન પાંચ પ્રકારના છે, જેમકે શ્રોતેન્દ્રિયપ્રતિસલીન- યાવતુસ્પર્શેન્દ્રિય પ્રતિસંલીન. અપ્રતિસંલી પાંચ પ્રકારના છે,જેમકે- શ્રોતેન્દ્રિઅપ્રતિસંલીન યાવતુ-સ્પર્શેન્દ્રિય અપ્રતિસલીન, સંવર પાંચ પ્રકારના છે. શ્રોતેન્દ્રિય સંવર-યાવત સ્પર્શેન્દ્રિયસંવર.અસંવર પાંચ પ્રકારના છે-શ્રોતેન્દ્રિય સંબંધી યાવતુ-સ્પશેન્દ્રિય સંબંધી. [૪૬]સંયમ પાંચ પ્રકારનો છે, જેમકે-સામાયિકસંયમ, છેદપસ્થાપનીય પરિહારવિશુદ્ધિ સંયમ, સૂક્ષ્મ સંપરાય સંયમ, યથાખ્યાતું ચારિત્ર સંયમ. 467] એકેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારના સંયમ થાય છે. પૃથ્વીકાય સંયમ યાવતુ-વનસ્પતિકાયિક સંયમ. એકેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારના અસંયમ થાય છે. પૃથ્વીકાયિક અસંયમ યાવતુ-વનસ્પતિકાયઅસંયમ. [468] પંચેન્દ્રિય જીવોની હિંસા ન કરવાવાળાને પાંચ પ્રકારનો સંયમ થાય છે. જેમકે-શ્રોતેંદ્રિયસંયમ યાવતુ સ્પર્શેન્દ્રિયસંયમ. પંચેન્દ્રિય જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારનો અસંયમ થાય છે-શ્રોતેન્દ્રિય-અસંયમ યાવતું સ્પશેન્દ્રિય-અસંયમ. | સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવોની હિંસાને કરવાવાળાને પાંચ પ્રકારના સંયમ થાય છે. જેમકે-એકેન્દ્રિય સંયમ યાવતું પંચેન્દ્રિય સંયમ. સર્વ પ્રાણી, ભૂત, સત્ત્વ અને જીવોની હિંસા કરવાવાળાને પાંચ પ્રકારના અસંયમ થાય છે. જેમકેએકેન્દ્રિય-અસંયમ થાવતુ-પંચેન્દ્રિય-અસંયમ. 1 [46] તૃણવનસ્પતિકાયિક જીવ પાંચ પ્રકારના છે. જેમકે-અઝબીજ, મૂલબીજ, પર્વબીજ, સ્કંધબીજ, બીજરૂહ. 4i70] આચાર પાંચ પ્રકારના છે. જેમકે-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીયરચાર. 471] આચાર પ્રકલ્પ પાંચ પ્રકારના છે, જેમકે- માસિક ઉદ્ઘાતિક લઘુમાસ પ્રાયશ્ચિતમાં થોડો અંશ ઓછો કરવો, માસિક અનુદ્દઘાતિક ગુરુમાસ ચાતુમાસિક ઉદ્દઘાતક લઘુચોમસી, ચાર્તુમાસિક અનુદ્દઘાતિક ગુરુચોમાસી, આરોપણ (માયા કરનારને દોષના પ્રાયશ્ચિત સાથે માયા દોષના પ્રાયશ્ચિતની વૃદ્ધિ કરવી.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy