SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૫, ઉદ્દેશો-ર 323 મિથ્યાદ્રષ્ટિ. સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિનો વિભાગ નથી હોતો બધા મિથ્યાદ્રષ્ટિ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે- કાયિકી અધિકરણિકી પદ્ધષિક પારિતાપનિકી. પ્રાણાતિપાતિકી. નૈરયિકોથી લઈને વૈમાનિક સુધીના જીવોને આ પાંચ ક્રિયાઓ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે- આરંભિકી વાવતુ મિથ્યાદર્શન પ્રત્યય. નૈરયિકોથી લઇને વૈમાનિક સુધી બધા દંડકોમાં આ પાંચ ક્રિયાઓ હોય છે. પાંચ ક્રિયાઓ કહેલી છે. જેમકે દ્રષ્ટિજા. પૃષ્ટિા, પ્રાતીત્યિક, સામંતોપનિપાતિકી. સ્વાહસ્તિકી. નૈરયિકથી લઈ વૈમાનિક સુધી પાંચ ક્રિયાઓ હોય છે. ક્રિયાઓ પાંચ કહેલી છે. જેમકે નૈસૃષ્ટિકી. આજ્ઞાપની. વૈદારણિકી. અનાભોગપ્રત્યયા. અનવકાંક્ષપ્રત્યયા. નરયિકોથી લઈ વૈમાનિક સુધી પાંચે ક્રિયાઓ હોય છે. ક્રિયાઓ પાંચ કહેલી છે. જેમકે પ્રેમપ્રત્યયા. દ્વેષપ્રત્યયા. પ્રયોગક્રિયા. સમુદાનક્રિયા. પથિકી. એ પાંચે ક્રિયાઓ કેવળ એક મનુષ્ય દંડકમાં છે શેષ દંડકોમાં નથી. [458] પરજ્ઞા પાંચ પ્રકારની છે, જેમકે- ઉપધિપરજ્ઞા, ઊપાશ્રયપરજ્ઞા, કષાયપરજ્ઞા, યોગપરીજ્ઞા ભક્તપરીષ્ના. [૪પ૯] વ્યવહાર પાંચ પ્રકારના છે, આગમવ્યવહાર-મૃતવ્યવહાર - નવ પૂર્વથી ન્યુને શ્રુતજ્ઞાનવાળાનો વ્યવહાર, આશાવ્યવહાર - ઘારણાવ્યવહાર - પૂર્વે ગીતાર્થે કોઈને આલોયણા દીધી હોય. તેને ધારી રાખવું તે ધારણાવ્યવહાર. જીતવ્યવહાર- દ્રવ્ય - ક્ષેત્ર - કાળ - ભાવ સંહનન વગેરેને અપેક્ષીને જે ગીતાર્થ પુરુષો એ આચર્યું હોય કોઈ વિવાદાસ્પદ વિષયમાં જ્યાં સુધી આગમથી કોઈ નિર્ણય થતો હોય ત્યાં સુધી આગમ અનુસારજ વ્યવહાર કરવો જોઈએ. જ્યાં કોઈ આગમથી નિર્ણય ન થતો હોય ત્યાં શ્રતથી વ્યવહાર કરવો જોઈએ. જ્યાં શ્રુતથી નિર્ણય ન થઈ શકતો હોય ત્યાં ગીતાર્થની આજ્ઞા અનુસાર વ્યવહાર કરવો જોઈએ. જ્યાં ગીતાર્થની આજ્ઞાથી સમસ્યા હલ ન થતી હોય ત્યાં ધારણા અનુસાર વ્યવહાર કરવો જોઈએ. જ્યાં ધારણાથી સમસ્યા ન ઉકેલાતી હોય ત્યાં જીત વ્યવહાર અનુસાર વ્યવહાર કરવો જોઈએ. હે ભગવન્! શ્રમણ નિગ્રંથ આગમ વ્યવહાર ને પ્રમુખ માનવાવાળા છે તો તે પાંચ વ્યવહાર કેમ ? આ પાંચ વ્યવહારોમાંથી જ્યાં જે વ્યવહારથી સમસ્યા ઉકલતી હોય ત્યાં તે વ્યવહારથી પ્રવૃત્તિ કરવાવાળો શ્રમણ નિગ્રંથ આજ્ઞાનો આરાધક થાય છે. [46] સુતેલા સંયત પુરુષોના પાંચ વિષયો જાગૃત હોય છે. જેમકે - શબ્દ થાવત્ સ્પર્શ. જાગૃત સંયત પુરુષોના પાંચ વિષયો સુતેલા હોય છે. જેમકે - શબ્દ યાવત્ સ્પર્શ. સુતેલા અથવા જાગૃત અસંયતિ મુનષ્પોના પાંચ વિષય જાગૃત રહે છે. જેમ કે - શબ્દ યાવત્ સ્પર્શ. [461 પાંચ કારણોથી જીવ કર્મ-૨જ ગ્રહણ કરે છે. યથા - પ્રાણાતિપાતથી થાવતુ-પરિગ્રહથી પાંચ કારણોથી જીવ કર્મ-રજથી મુક્ત થાય છે. જેમકે- પ્રાણાતિપાતવિરમણથી ઘાવતુ પરિગ્રહ વિસ્મરણથી. ૪િ૬૨]પાંચ માસ વાળી પાંચમી ભિક્ષુ-પ્રતિમા અંગીકાર કરવાવાળા અણગારને ને પાંચ દક્તિ આહારની અને પાંચ દક્તિ પાણીની લેવી કહ્યું છે. 463 પાંચ પ્રકારના ઉપઘાત છે. ઉદ્દગમોપ- ઘાત-ગૃહસ્થ વડે લાગતા આધાકમ આદિ સોળદોષો. ઉત્પાદનોપઘાત - સાધુ વડે લાગતા ધાત્રી આદિ સોળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy