SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન-૫, ઉદેસી-૨ 325 ઐરાવતી મહી. પણ પાંચ કારણોથી પાર કરવી કહ્યું છે. જેમકે- કુધ્ધ રાજાઆદિ અથવા દૂરજનોનાં ભયથી, દુર્ભિક્ષ થવાપર, કોઈ વ્યથા પહોંચાડી રહ્યું હોય, નદીના વેગવાળા પ્રવાહમાં તણાતી વ્યક્તિને કાઢવાને માટે. કોઈ મોટા અનાર્ય વડે પીડા પહોંચાડવા પર. [51] નિગ્રંથ નિગ્રંથીઓને પ્રથમ વષકાલમાં ગ્રામાનુગામ વિહાર કરવો કહ્યું નહિ. પરંતુ પાંચ કારણોથી કલ્પે છે. ક્રોધિત રાજા આદિ અથવા ક્રૂરજનોના ભયથી વિહાર કરવો પડે યાવતું કોઈ મોટા અનાર્યવડે પીડા પહોંચાડવા પર વિહાર કહ્યું. વર્ષવાસમાં રહેલ નિગ્રંથો અને નિગ્રંથીઓને એક ગામથી બીજે ગામ વિહાર કરવો કલ્પતો નથી. પરંતુ પાંચ કારણોથી વિહાર કરવા કહ્યું છે જેમ કે- જ્ઞાનપ્રાપ્તિ માટે. દર્શનની પૃષ્ટિને માટે, ચારિત્રની રક્ષાને માટે આચાર્ય અથવા ઉપાધ્યાયનું મરણ થવા પર અન્ય આચાયાદિ આશ્રયમાં જવા માટે, આચાર્યાદિના મોકલવાથી તે ક્ષેત્રની બહાર રહેલા આચાર્યાદિની સેવાને માટે. [45] પાંચ અનુઘ્રાતિક કહેલ છે. હસ્તકર્મ કરનારને, મૈથુનસેવન કરનારને, રાત્રિભોજન કરનારાને, સાગરિકના ઘરનો લાવેલો આહાર ખાનારને રાજપિંડ ખાવાવાળાને. ૪પ૩ પાંચ કારણોથી શ્રમણ નિર્ગથ અંતપુરમાં પ્રવેશ કરે તો ભગવાનની આજ્ઞાનું અતિક્રમણ કરતો નથી. જેમ કે- નગર ચોતરફ પરચક્રથી ઘેરાઈ ગયું હોય અથવા આક્રમણના ભયથી નગરના દ્વાર બંધ કરી દીધા હોય અને શ્રમણ બ્રાહ્મણ આહાર-પાણીને માટે ક્યાંય જઈ ન શકે તો શ્રમણ નિગ્રંથ અન્તપુરમાં સૂચના દેવા જઈ શકે છે. પ્રતિહારિક (જે વસ્તુ લઈને પાછી અપાય) પીઠ એટલે પાટફલક-સહારો દેવાનું પાટિયું સસ્તારક આદિ વસ્તુઓ માટે અંતઃપુરમાં પ્રવેશ કરી શકે છે. દુષ્ટ અશ્વ અથવા ઉન્મત્ત હાથીની સામે આવવા પર ભયભીત થયેલ શ્રમણ નિગ્રંથ અંતપુરમાં જઈ શકે છે. કોઈ બલવાન અધિકારી ચોર માની પરાણે પકડીને અંતઃપુરમાં પ્રવેશ કરાવે તો જઈ શકે છે. નગરથી બહાર ઉદ્યાનમાં ગયેલ સાધુને જો અંતપુરવાળા ઘેરીને કીડા કરે તો તે શ્રમણ અંતપુરમાં પ્રવિષ્ટ મનાય છે. 4i54] પાંચ કારણ વડે સ્ત્રી પુરૂષની સાથે સહવાસ ન કરવા પર પણ ગર્ભને ધારણ કરે છે. જેમકે- કોઈ સ્ત્રી વરહિત હોય અને પુરૂષના ખૂલીત વીર્યવાળા સ્થાન ઉપર બેઠેલી હોય ત્યારે પુરૂષના પતિત વયના પુદ્ગલોયોનિમાં પ્રવિષ્ટ થઈ જાય તો. પુરૂષના વીર્યથી ખરડાયેલ વસ્ત્ર યોનિમાં પ્રવેશ કરે તો. પુત્રની કામનાવાળી સ્ત્રી કોઈ પુરૂષના પતિત વીર્યને પોતાની યોનિમાં પ્રવિષ્ટ કરાવે તો. બીજાના કહેવાથી શુક્રાણુઓને યોનિમાં પ્રવેશ કરાવે તો તળાવ વગેરેના શીતળ જલમાં કોઈ સ્ત્રી જાય અને તે જળમાં કોઈ પુરૂષના શુક્ર પુદગલો હોય તે સ્ત્રીની યોનિમાં દાખલ થઈ જાય તો. પાંચ કારણો વડે સ્ત્રી પુરૂષ સાથે સંભોગ કરવા છતાં પણ ગર્ભને ધારણ કરતી નથી યથા યૌવનાવસ્થાને પ્રાપ્ત નહીં થયેલી, જેની યૌવનાવસ્થા વ્યતીત થઈ ગઈ છે એટલે કે વૃદ્ધા, જે જન્મથી વંધ્યા છે. તે જે રોગી હોય છે, જેનું મન શોકથી સંતપ્ત હોય છે. પાંચ કારણોથી સ્ત્રી પુરૂષની સાથે સહવાસ કરવા પર પણ ગર્ભ ધારણ કરી શકતી નથી. જેમ કે- જેને નિત્ય રસ્ત્રાવ થાય છે. જે સ્ત્રી સદેવ રજસ્રાવથી રહિત હોય છે. જેનાં ગભાશયનું દ્વાર રોગથી બંધ થઈ ગયું હોય તે. જેના ગર્ભાશયનું દ્વાર રોગથી ગ્રસિત થઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005063
Book TitleAgam Deep 03 Thanam Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages171
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 03, & agam_sthanang
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy