SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ 18 સૂયગડો- 23-675 કર્મથી આકર્ષિત બનીને વિવિધ પ્રકારની યોનિવાળી પૃથ્વીમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. પૃથ્વી ઉપર વૃક્ષ રૂપે ઉત્પન્ન થઈને તે જીવ અનેક જાતિવાળી પૃથ્વીના ચીકાસનો આહાર કરે છે. તે જીવ અનેક ત્ર-સ્થાવર જીવોના શરીર અચિત બનાવી દે છે. તે જીવો પ્રથમ આહાર કરેલા અને ઉત્પત્તિ પછી ત્વચા દ્વારા આહાર કરીને પૃથ્વીકાયાદિ શરીરને પોતાના શરીરરૂપે પરિણત કરી દે છે. તે પૃથ્વીયોનિક વૃક્ષના બીજા શરીરો પણ વિવિધ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને અવયવરચનાથી યુક્ત તથા અનેકવિધ પુદ્ગલોથી બનેલા હોય છે. એમ તીર્થકરોએ કહ્યું છે. [67] ત્યારબાદ શ્રી તીર્થંકરદેવે વનસ્પતિ કાયનો બીજો ભેદ કહ્યો છે. કોઈ વનસ્પતિ જીવ વૃક્ષયોનિક હોય છે તે વૃક્ષમાં ઉત્પન્ન થાય છે, વૃક્ષમાં સ્થિત રહે છે. અને વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. પૂર્વોક્ત પ્રમાણે વૃક્ષોમાં ઉત્પન્ન, ત્યાં જ સ્થિતિ અને વૃદ્ધિ પામનાર કર્માધીન તે વનસ્પતિજીવો પોતાના કર્મથી આકર્ષિત થઈને પૃથ્વીયોનિક વૃક્ષોમાં વૃક્ષ રૂપે ઉત્પન્ન થાય છે. વૃક્ષરૂપે ઉત્પન્ન થઈને વૃક્ષોના રસનો આહાર કરે છે. તે જીવ પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરનો આહાર કરે છે. તે ત્રસ અને સ્થાવર પ્રાણીઓના શરીરને અચિત્ત કરી નાખે છે. તે અચિત્ત કરેલ તથા પ્રથમ ગૃહીત અને ત્વચા દ્વારા આહૃત પૃથ્વી આદિ શરીરને પચાવીને પોતાના રૂપે પરિણમાવી લે છે. તે વૃક્ષ યોનિક વૃક્ષના અનેક પ્રકારના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને રચનાવાળા બીજા પણ શરીરો હોય છે. તે જીવ કર્મવશીભૂત બનીને વૃક્ષ યોનિ વાળા વૃક્ષોમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. | [77] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિકાયના જીવોનો અન્ય ભેદ પણ કહેલો છે. તે આ પ્રમાણે આ ગતમાં કોઈ જીવ વૃક્ષમાં ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં સ્થિત રહે છે અને વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. તે વૃક્ષમાં ઉત્પન્ન થનાર, સ્થિત રહેનાર અને તેમાં જ વૃદ્ધિ પામનાર, તે જીવ કર્મને વશીભૂત બનીને તથા કર્મના કારણે વૃક્ષમાં આવીને વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં ઉત્પન્ન થઇને વૃક્ષના રસનો આહાર કરે છે. તે જીવ, પૃથ્વી, જલ, તેજ, વાયુ અને વનસ્પતિના શરીરનો આહાર કરે છે. અને ત્રસ અને સ્થાવર જીવોને અચિત્ત બનાવે છે. તે પ્રાસુક કરેલ અને પ્રથમ ખાધેલ અને પછી ત્વચા દ્વારા ખાધેલ પૃથ્વી આદિ શરીરોને પચાવીને પોતાના રૂપે પરિણત કરી લે છે. તે વૃક્ષયોનિક વૃક્ષના અનેક વર્ણ ગબ્ધ રસ સ્પર્શ અને રચનાવાળા બીજા પણ શરીરો હોય છે. તે જીવ કર્મને વશીભૂત બની વૃક્ષ યોનિવાળા વૃક્ષમાં વૃક્ષરૂપે ઉત્પન્ન થાય છે, એમ શ્રી તીર્થકર ભગવાને કહ્યું છે. [38] શ્રી તીર્થંકરદેવે વનસ્પતિના અન્ય પણ ભેદ કહ્યા છે. તે આ પ્રમાણે- આ જગતમાં કોઈ કોઈ જીવ, વૃક્ષથી ઉત્પન્ન થાય છે. વૃક્ષમાં સ્થિત રહે છે. વૃક્ષમાં જ વૃદ્ધિ પામે છે. તે વૃક્ષથી ઉત્પન થનાર, તેમાં સ્થિત રહેનાર અને વૃદ્ધિ પામનાર જીવો કર્મને વશીભૂત તથા કર્મના કારણે વૃક્ષ યોનિમાં વૃક્ષરૂપે આવીને મૂલ, કન્દ, સ્કન્ધ, ત્વચા, શાખા, પ્રવાલ, પાંદડા, ફૂલ અને બીજ રૂપે ઉત્પન્ન થાય છે. તે જીવ વૃક્ષયોનિક વૃક્ષના રસનો આહાર કરે છે. તે અનેક ત્રસ અને સ્થાવર જીવોના શરીરને અચિત્ત કરે છે. તે શરીરોને પ્રાસુક બનાવીને પોતાના રૂપે પરિણત કરે છે. તે વૃક્ષથી ઉત્પન મૂલ, કન્દ, સ્કન્ધ, ત્વચા શાખા, પ્રવાલ અને બીજરૂપે જીવના અનેક વર્ણ, ગન્ધ, રસ સ્પર્શના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005062
Book TitleAgam Deep 02 Suyagado Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy