SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 126 સયગડો-૧/૨/૩૭૫ ભ્રમણ કરતા રહેશે. તેઓ બાળતપના પ્રભાવથી દેવગતિ પામશે તો પણ ચિરકાળ સુધી અસુરકુમાર આદિ પયયમાં ઉત્પન્ન થશે. એમ હું કહું છું. | અધ્યયનઃ૧-ઉદેસોઃ૩-નીમુનિદીપરત્નસાગરે કરેલ ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૧-ઉદેસો 4) [7] હે શિષ્ય! તે અન્ય દર્શનીઓ રાગ દ્વેષથી પરાજિત થયેલા છે પરંતુ પોતાને જ્ઞાની માને છે તેથી તેઓ સંસાર (જન્મ-મરણ)થી રક્ષા કરવા અસમર્થ છે. તે બધુ -બાધવ, પિતા-પુત્ર આદિના સંયોગનો ત્યાગ કરીને પણ પચન-પાચન આદિ ગૃહસ્થના કર્તવ્યનો ઉપદેશ આપે છે. 1 [77] વિદ્વાન સંયમી સાધુ તે અન્યતીર્થિકોને સારી રીતે જાણીને તેથી સાથે પરિચય ન કરે. કદાચિત્ સંસર્ગ થઈ જાય તો કોઈ પણ પ્રકારનું અભિમાન ન કરતા, કોઈના પ્રતિ આસક્તિ ન રાખતા રાગ દ્વેષથી રહિત થઈને મધ્યસ્થભાવથી વિચરે. [38] કોઈ અન્યતીથી કહે છે. પરિગ્રહ રાખનાર અને આરંભ કરનાર પણ મોક્ષ મેળવે છે. પરંતુ ભાવભિક્ષુ પરિગ્રહ રહિત અને અનારંભી પુરુષને શરણે જાય. 70] વિદ્વાન સાધુ બીજાએ બીજાને માટે બનાવેલા આહારની ગવેષણા કરે, આપેલા આહારને જ લેવાની ઈચ્છા કરે, તે આહારમાં મુચ્છ અને રાગદ્વેષ ન કરે, તેમજ બીજનું અપમાન પણ ન કરે. [8] કોઈ કહે છે કે-લોકવાદ ને સાંભળવો જોઈએ. પરંતુ લોક્વાદ વિપરીત બુદ્ધિથી ઉત્પન્ન થયેલ છે અને તેમાં બીજા અવિવેકીઓની વાતનું અનુસરણ છે. [81) લોકવાદીઓનું નિરૂપણ. આ પ્રમાણે છે- આ લોક અનંત છે. આ ભવમાં જે જેવો છે તેવો જ પરભવમાં ઉત્પન્ન થાય છે. પુરુષ મરીને ફરી પુરષ જ થાય છે. સ્ત્રી સ્ત્રી જ થાય છે. આ લોક શાશ્વત છે, તેનો કી નાશ થતો નથી, અથવા આ લોક અંતવાન છેસાત દ્વીપ સમુદ્ર પર્વત છે. એમ વ્યાસ આદિ ધીર પુરુષોએ કહ્યું છે. [82] કોઈ કહે છે કે-ક્ષેત્ર તેમજ કાળ સંબંધી સીમાથી રહિત અર્થાતુ અપરિમિત પદાર્થોના જ્ઞાતા તો હોય છે, પરંતુ સર્વજ્ઞ કોઈ નથી. સર્વત્ર પરિમિત પદાર્થોને જાણનાર પુરુષ હોય છે. એવું ધીર પુરુષ જુએ છે. [3] શાસ્ત્રકાર ઉત્તર આપે છે- આ લોકમાં જેટલા ત્રસ અને સ્થાવર પ્રાણીઓ છે તેઓ અવશ્ય અચાન્ય પયયિમાં જાય છે, ત્રસજીવ મરીને સ્થાવર થાય છે અને સ્થાવર મરીને ત્રસ છે. [84-85 ઔદારિકશરીરવાળા પ્રાણી ગર્ભ કલલ, અર્બદ રૂપ અવસ્થાઓથી ભિન્ન બાળક કુમાર, તરુણ આદિ અવસ્થાઓને પ્રાપ્ત કરે છે. માટે લોકવાદીઓનું કથન સત્ય નથી. દરેક પ્રાણીઓને દુઃખ અપ્રિય છે તેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી જોઈએ નહીં. જ્ઞાની પુરુષોના માટે આ ન્યાયયુક્ત છે. કે- કોઈપણ પ્રાણીની હિંસા ન કરે, અસત્ય ન બોલે, અદત્ત પ્રહણ ન કરે અને પરિગ્રહ ન રાખે. તેમજ અહિંસા દ્વારા સમતાને સમજે. [8] દશ પ્રકારની સાધુસમાચારીમાં સ્થિત, આહાર વગેરેમાં વૃદ્ધિરહિત મુનિ જ્ઞાન દર્શન અને ચારિત્રની સમ્યક્ પ્રકારે રક્ષા કરે અને ચાલવા, બેસવા, સુવાના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005062
Book TitleAgam Deep 02 Suyagado Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 02, & agam_sutrakritang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy