________________ ખાયારો- 2/4/1486 તે વિધિ વિશે વઐષણામાં આવી ગયું છે તે પ્રમાણે સમજી લેવું. પાત્ર આપનાર દાતા સાધુ કે સાધ્વીને કહે કે આયુષ્યનું શ્રમણ ! થોડીક વાર ઊભા રહો. એમ હમણાંજ ભોજન. પાણી પકાવી તૈયાર કરી પાત્ર ભરીને આપીએ છીએ. કારણ કે ખાલી પાત્ર આપવું તે સારું લાગે નહિ. આ કથન સાંભળીને શ્રમણ તે જ સમયે કહી દે હે આયુષ્મનું! મારા માટે બનાવેલ ભોજન પાણી મને લેવા કહ્યું નહીં. માટે ભોજન પાણી તૈયાર ન કરો. જો તમે મને પાત્ર દેવા ઈચ્છતા હોતો એમ જ ખાલી આપો. મુનિના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ ભોજન-પાણી તૈયારી કરી ભર્યું પાત્ર આપે તો તે પાત્રને દોષયુક્ત જાણી સાધુ ગ્રહણ ન કરે. ગૃહસ્થ પાત્ર લાવીને આપે ત્યારે મુનિએ કહેવું જોઈએ કે- આયુષ્યનું! તમારી સામે જ પાત્ર અંદર-બાહર તપાસી લઉં છું. સર્વજ્ઞ ભગવાને ફરમાવ્યું છે કે પાત્ર જોયા વિના લેવું તે કર્મબંધનું કારણ છે. સંભવ છે કે પાત્રમાં કાચ, પ્રાણી, બીજ, અથવા લીલોતરી હોય. માટે સાધુ સાધ્વીનો પૂવપદિષ્ટ આચાર છે કે પહેલા પાત્રને અંદર બહાર તપાસી જેવું ત્યાર પછી ગ્રહણ કરવું. ઈંડા વગેરે જીવજંતુ સહિત પાત્ર હોય તો ગ્રહણ ન કરે. એવી વિધિ વચ્ચેષણા-અધ્યયનમાં વિસ્તારથી આવી ગઈ છે. તેજ સઘળી વિધિ પાત્ર માટે પણ સમજી લેવી, વિશેષતા માત્ર એટલો જ છે કે પાત્ર જો તેલથી. ઘીથી, માખણથી કે ચરબીથી સુગંધિત દ્રવ્યોથી અથવા બીજા કોઈ દ્રવ્યોથી ખરડાયેલું હોય તો તે પાત્ર લઈને એકાંતમાં જાય. ત્યાં જીવજંતુ રહિત ભૂમિનું પ્રતિલેખન-પ્રમાર્જન કરે અને પછી તે જગ્યામાં પાત્ર ને ઘસી ઘસીને સાફ કરે. સાધુ સાધ્વીજીઓનો આ પાત્ર સંબંધી સંપૂર્ણ આચાર છે. મોક્ષના અભિલાષીઓએ તેનું પૂર્ણ રૂપથી પાલન કરવું જોઈએ અને સંયમમાં સદા યતનાવાનું થવું જોઈએ, એમ હું કહું છું. | અધ્યયનઃ ૬-ઉદેસો-૧-નીમુનીદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ | (અધ્યયનઃ ૬-ઉદસો 2 ) [૪૮૭ગૃહસ્થને ઘેર આહાર-પાણી લેવા જતાં પહેલાં સાધુ-સાધ્વી પાત્રને બરાબર જુએ, તેમાં જીવજંતુ હોય તો સાવધાનીપૂર્વક લઈને એક બાજુ મૂકી દે. ધૂળ હોય તો ગુચ્છા દ્વારા પ્રમાર્જન કરે અને પછી આહારાદિ માટે નીકળે કે પ્રવેશ કરે. પ્રતિલેખન-પ્રમાર્જન કર્યા વિના ગોચરી લેવા જાય તો કેવળી ભગવાને કર્મબંધનું કારણ કહ્યું છે. સંભવ છે કે પાત્રમાં રહેલ પ્રાણી, બીજ કે લીલી વનસ્પતિ વગેરે જીવો હોય અને તેમને પરિતાપ થાય. તેથી મુનિઓનો આ જ પૂવોદિષ્ટ આચાર છે. માટે પહેલા પાત્રને સારી રીતે જોઈને-પંજીને તનાપૂર્વક ગૃહસ્થના ઘેર ગોચરી માટે નીકળવું. ૪૮૮]ગૃહસ્થના ઘેર ગયેલા સાધુ કે સાધ્વી જ્યારે આહાર-પાણીની યાચના કરે ત્યારે ગૃહસ્થ ઘરમાંથી સચિત્ત પાણી પાત્રમાં લઈને સાધુને આપવા આવે ત્યારે તે પાણી તેનાં હાથમાં પાત્રમાં હોય તો અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. કાચિત્ અસાવધાનીથી ગ્રહણ કરી લેવાય તો તુર્તજ ગૃહસ્થને પાછું આપી દે. જો ગૃહસ્થ પાણી પાછું ન લે તો તે પાણી લઈને તે જાતિના પાણીમાં સાવધાનીપૂર્વક પરંઠવી દે અથવા સ્નિગ્ધ ભૂમિમાં પરઠી દે. જે પાત્ર કાચા પાણીવાળું હોય તેને સાધુ-સાધ્વી લૂછે નહીં કે તાપમાં સૂકવે નહી. જ્યારે માત્ર સ્વયં સૂકાઈ જાય ત્યાર પછી યતનાપૂર્વક સાફ કરે અને પ્રમાર્જન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org