________________ તસ્કંદ-૨, અધ્યયન-૭, ઉદેસો૧ કરે. સાધુ કે સાધ્વી ગ્રહસ્થના ઘેર જાય ત્યારે, તથા શૌચ માટે, સ્વાધ્યાય માટે તથા એક ગામથી બીજે ગામ જાય ત્યારે પાત્ર સાથે રાખે.સાધુ કે સાધ્વી પાત્ર લેવા માટે જતાં હોય ત્યારે માર્ગમાં થોડો કે ઘણો વરસાદ વરસતો હોય તો વઐષણા અધ્યયનમાં કહ્યા મુજબ કરવું. અહીં વસ્ત્રના સ્થાને પાત્ર કહેવું. સાધુ અને સાધનો આ આચાર છે. મોક્ષાભિલાષી મુનિ તેનું, સંપૂર્ણપણે પાલન કરે અને યલનાવાનું બને, એમ હું કહું છું. [ અધ્યયન દઉસો ૨નીમુનિદીપરત્નસાગરે કરેલી ગુર્જરછાયપૂર્ણ અધ્યયનઃ-ગુર્જરછાયાપૂર્ણ (અધ્યયન-અવગ્રહપ્રતિમા ઉદેસો-૧ - ૪૮૯દીક્ષા ગ્રહણ કરતી વેળાએ સંયમાર્થી કહે છે કે - ઘર, પુત્રાદિ, સ્વજનોપરિજનો, દ્વિપદ-ચતુષ્પદાદિ પશુઓ તથા સુવર્ણ-ચાંદી-ધન ધાન્યાદિનો ત્યાગ કરીને શ્રમણ-તપસ્વી બનીશ. ભિક્ષાવી સાધક બનીશ. પાપ કર્મનું આચરણ ન કરીશ. હે ભદન્ત ! આ પ્રકારનાં નિશ્ચયમાં આરૂઢ થઈને આજે હું સર્વ પ્રકારના અદત્તાદાનના પ્રત્યાખ્યાન કરું છું. તેવો શ્રમણ ગામ યાવતુ રાજધાનીમાં પ્રવેશ કરે ત્યારે કોઈ ચીજ કોઈની રજા લીધા વિના ગ્રહણ કરે નહી. કરાવે નહીં. કોઈ ગ્રહણ કરતા હોય તો સારું જાણે નહીં. જેઓની સાથે પ્રવ્રજિત થઈ રહે છે તેઓના છત્ર, દંડ યાવતુ ચછેદનિકા વિગેરે ઉપકરણો પણ તેઓની આજ્ઞા લીધા વિના, જોયા પૂંજ્યા વિના ગ્રહણ ન કરે. આજ્ઞા લઈ, પ્રતિલેખન-પ્રમાર્જન કરી યતના-પૂર્વક ગ્રહણ કરે. ૪૯સાધુ કે સાધ્વી વિચાર કરીને ધર્મશાળાદિમાં અવગ્રહની યાચના કરે. તે સ્થાનના સ્વામી કે અધિષ્ઠાતા-ની આજ્ઞા લેવી, આ પ્રમાણે કહેવુંહે આયુષ્યનુ ગૃહસ્થ ! અમે આપની આજ્ઞાનુસાર કલ્પકાલ સુધી અહીં રહેશે જેટલી જગ્યામાં અને જેટલો સમય અહીં રહેશું તેટલા સમયમાં કોઈ અમારા સમાન આચારવાળા ઉગ્રવિહારી સાધર્મિક સાધુ પધારશે, તો તેઓ પણ આ ક્ષેત્રમાં રહેશે અને આ ભૂમિનો ઉપયોગ કરશે. સમય પૂર્ણ થયા બાદ વિહાર કરીશું. તે સ્થાનમાં રહ્યા પછી જે કોઈ સંભોગીસમાન સમાચારીવાળા, સાધુઓ વિહાર કરીને પધાર્યા હોય ત્યારે પોતાના લાવેલ ભોજન પાણી માટે તેઓને નિમંત્રણ કરે. પરંતુ બીજા મુનિ દ્વારા અથવા બીજા મુનિ માટે લાવેલ આહાર-પાણી માટે નિમંત્રણ ન કરે. ૪િ૯૧આજ્ઞા પ્રાપ્ત કરીને ધર્મશાળા આદિમાં રહેલા સાધુની પાસે ઉત્તમ આચારવાળા અસંભોગી સાધમ સાધુ આવે તો પોતાના લાવેલા બાજોઠ, પાટિયું, શધ્યા-સંસ્મારકાદિ દ્વારા તેઓનું સન્માન કરે અથતું આમંત્રણ આપે. પરંતુ બીજા મુનિ દ્વારા લાવેલા બાજોઠાદિ ને માટે આમંત્રણ ન કરે. ધર્મશાળાદિમાં મુનિ આજ્ઞા લઈને રહ્યા અને તે સ્થાનમાં કોઈ ગૃહસ્થ કે ગૃહસ્થના પુત્ર આદિ પાસેથી, સોય, કાંટો કાઢવાનો ચીપિયો, કાનખોતરણી, નેરણી આદિ ઉપકરણો પોતાના પ્રયોજન માટે વાચીને લાવેલ હોય તો તે ઉપકરણો (અરસપરસ) અન્ય સાધુઓને ન આપે. પરંતુ કે પોતાના કાર્ય પૂર્ણ થયા બાદ જ્યાંથી લાવેલ હોય ત્યાં તે ગૃહસ્થને પાછા આપવા જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org