SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ 4 માયારો- 2/5/1480 કહેહે આયુષ્યનું શ્રમણ ! આપ એક મહિના-કે દસ દિવસ કે પાંચ દિવસ પછી અથવા કાલે કે પરમ દિવસે પધારજો. અમે આપને કોઈ પણ વસ્ત્ર આપીશું. એવા વચન સાંભળી અને ધારીને શ્રમણ પ્રત્યુત્તર આપે- અમને આ પ્રકારની મુદતવાળા વચનનો સ્વીકાર કરવો કલ્પે નહીં. જો તમે મને વસ્ત્ર આપવા ઈચ્છતા હો તો હમણાં આપી દો. એ પ્રમાણે કહ્યા પછી ગૃહસ્થ કદાચિત કહે-પછી પધારજો અમે આપને કોઈ વસ્ત્ર આપીશું. ત્યારે મુનિએ તે જ સમયે કહી દેવું જોઈએ- આ પ્રકારની અવધિ પણ અમારે ન કહ્યું. એવું સાંભળી જો તે ગૃહસ્થ પોતાના ધરનાં મનુષ્યોને કહે-લાવો આ વસ્ત્ર આપણે શ્રમણને આપી દઈએ અને આપણા માટે પ્રાણિ આદિનો આરંભ કરી નવું બનાવી લેશું. એવા વચન સાંભળ્યા પછી દેવામાં આવતાં વસ્ત્રને સદોષ સમજી સાધુ પ્રહણ ન કરે. કદાચ ગૃહસ્વામી પોતાના પરિવારને કહે-વસ્ત્ર લાવો. તેને સ્નાનાદિકમાં વપરાતાં સુગંધિત દ્રવ્યો વડે સુગંધિત કરીને સાધુને આપશું.' આવા શબ્દો સાંભળીને સાધુ કહે-આ વસ્ત્રને ઘસો નહિ સુગંધિત કરો નહિ. આપવાની ઈચ્છા હોય તો એમજ આપી છે. એમ કહેવા છતાં પણ ગૃહસ્થ આગ્રહ રાખી સુગંધિત દ્રવ્યોથી સુવાસિત કરી આપે તો તેને દૂષિત માની ગ્રહણ કરે નહિ. વસ્ત્ર આપનાર ગૃહસ્થ કદાચ કહે-લાવો આ વસ્ત્રને ઠંડા અગર ગરમ પાણીથી ધોઈને, આ શ્રમણને આપીએ તો આ કથન સાંભળીને સમજીને, કહી દેવું જોઈએ કે-હે તમે આ વસ્ત્ર ઠંડા કે ગરમ જલથી સાફ ન કરો, ન ધુઓ. આપવા ઈચ્છતા હો તો એમજ આપો ! સાધુના એમ કહેવા છતાં પણ ગૃહસ્થ જો ધોઈને આપો તો ગ્રહણ ન કરે, કદાચ વસ્ત્ર આપનાર ગૃહસ્થ પોતાના પરિવારને કહે-પેલું વસ્ત્ર લાવો, આપણે તેમના ઉપર રહેલા કંદને યાવતુ લીલોતરી, વગેરેને કાઢી સાફ કરીને આ વસ્ત્ર સાધુને આપીશું. આ વાર્તાલાપ સાંભળી સમજીને સાધુ તે ગૃહસ્થને કહી દે આ કંદ-લીલોતરી વગેરેને દૂર ન કરો. એવું વસ્ત્ર મને ના કહ્યું. સાધુના એમ કહેવા પર પણ જે ગૃહસ્થ કંદ અથવા વનસ્પતિ આદિ લીલોતરીને અલગ કરીને વસ્ત્ર આપે તો તેને અપ્રાસુક જાણીને ગ્રહણ ન કરે. કદાચિત ગૃહસ્થ સાધુને વસ્ત્ર કાઢીને આપે તો શ્રમણ લેતા પહેલા કહે કે હું તમારી સમક્ષ આ વસ્ત્ર ચારે બાજુથી જોઈ લઉં, કારણકે કેવળી ભગવાનને પ્રતિલેખન કર્યા વિના વસ્ત્ર લેવું તે કર્મ બંધનું કારણ કહ્યું છે. કદાચ વસ્ત્રના છેડે કુંડળ, સૂત્ર,ચાંદી, મણિ યાવતુ રત્નાવલીહાર, અથવા પ્રાણી, બીજ અથવા લીલોતરી બાંધી હોય તેટલા માટે મુનિનો આ પૂર્વોક્ત આચાર છે કે પહેલેથી જ વસ્ત્ર ચારે બાજુ જોઈ લેવું. [૪૮૧ીવળી સાધુ કે સાધ્વી જે વસ્ત્ર ઇંડા સહિત જુએ તો તેવા પ્રકારનું વસ્ત્ર અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. સાધુ કે સાધ્વી જે વસ્ત્રને ઈડા, જાળા તથા જીવજંતુઓથી. રહિત જાણે, પરંતુ પ્રમાણમાં પુરૂં નથી એટલે કે લંબાઈ-પહોળાઈ જોઈએ તેટલી નથી, ઉપયોગમાં આવી શકે તેમ નથી, ઘણુંજ જૂનું થઈ ગયું છે, અધ્રુવ છે-પહેરવા યોગ્ય નથી, અથવા ધતાને દેવાની રુચિ ન હોય તો તેવું વસ્ત્ર અમાસુક છે માટે ગ્રહણ કરે નહીં. સાધુ કે સાધ્વી વસ્ત્રના વિષયમાં એમ જાણે કે આ વસ્ત્ર ઈડા, જાળા, જીવ-જંતુઓથી રહિત, પ્રમાણયુક્ત-ટકાઉ-ધારણ કરવા યોગ્ય છે દાતાને દેવાની ઈચ્છા છે તેમજ અનુકૂળ છે તો નિર્દોષ જાણી ગ્રહણ કરે. મારી પાસે નવું વસ્ત્ર નથી એવા વિચારથી કોઈ સાધુ કે સાધ્વીએ જૂના વસ્ત્રને થોડાએક સુગંધિત દ્રવ્યોથી ઘસી મસળીને તેમાં સુંદરતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy