SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંઘ-૨, અધ્યયન-૫, ઉદેસો-૧ રંગેલ, સાફસુફ કરેલ છે. અથવા ધૂપથી સુગંધિત કરેલ છે તેમજ તેણે ઉપયોગમાં લીધું નથી. તો તેવું વસ્ત્ર મળે તો પણ ગ્રહણ ન કરે. વપરાયેલ હોય તો ગ્રહણ કરે. [47] સાધુ-સાધ્વી મહા મૂલ્યવાન વિવિધ પ્રકારની વસ્ત્રોની વાતોને જાણી લે, જેમ કે ઉંદર વગેરેના ચામડામાંથી બનેલા વસ્ત્રો, સુંવાળા બારીક વસ્ત્રો, વર્ણયુક્ત મનોહર વસ્ત્રો, વિશિષ્ટ દેશોમાં ઉત્પન્ન થયેલા બકરી-બકરાના વાળમાંથી બનાવેલા વસ્ત્રો, ઈન્દ્રનીલ વર્ણના કપાસમાંથી, સામાન્ય કપાસમાંથી બનેલ બારીક વસ્ત્ર, ગૌડ દેશના કપાસમાંથી બનેલ, રેશમમાંથી, મલયદેશના સૂતરમાંથી બનેલા વસ્ત્રો, વલ્કલવસ્ત્ર, અંશુક, ચીનાંશુક, અથવા દેશરાગવસ્ત્ર, અમલ વસ્ત્ર, ગજ્જલ વસ્ત્ર, શલિક દેશના ફાલિક વસ્ત્ર, કોયબ દેશના કોયબ વસ્ત્ર, રત્ન કંબલ અથવા મલમલ આદિ તથા તેવા પ્રકારના બીજા કોઈ મૂલ્યવાનું વસ્ત્રોં મળવા છતાં પણ ગ્રહણ ન કરે. સંયમશીલ સાધુ-સાધ્વી ચર્મ વસ્ત્રો વિષે જાણે- જેમકે - ઉદ્વવ વસ્ત્ર સિધુ દેશમાં ઉદ્ર જાતના મત્સ્યના ચામડાના બનેલા) તથા પેસ (સિધુ દેશમાં પાતળી ચામડીવાળા પશુઓના. ચર્મથી બનેલ) પેશલ (પશુઓના ચામડામાંથી તેમજ ચર્મ પર રહેલ સૂક્ષ્મ રોમાંથી બનેલા), કાળા-નીલા તથા ધોળા હરણના ચામડાના બનેલા, સ્વર્ણખચિત, સુવર્ણ જેવી કાંતિવાળા, સ્વર્ણ તારથી યા સોનાના પટાથી અથવા કિનખાબથી કે જરીથી ભરેલા બુટ્ટાવાળા, વાઘના ચામડાના કે વાઘના ચામડાથી મઢેલા અથવા ચમકદાર આભરણોથી જડેલા વિભૂષિત કરેલા કોઈ પણ ચામડાના વસ્ત્રો હોય તેમજ તેવા પ્રકારના અન્ય વસ્ત્રો હોય તો મળવા છતાં પણ ગ્રહણ કરે નહિ. [480 ઉપર કહેલા દોષોનો ત્યાગ કરીને સંયમશીલ સાધુ કે સાધ્વી આ ચાર પ્રતિમાઓ-પ્રતિજ્ઞાઓથી વસ્ત્રની યાચના કરે. તેમાંથી પહેલી પ્રતિમા આ છે પ્રતિજ્ઞા પહેલી- સાધુ કે સાળી, ઉનના વસ્ત્રથી માંડી સતરાઉ પર્યત વસ્ત્રોમાંથી કોઈ પણ પ્રકારના વસ્ત્રનો સંકલ્પ કરે, તે જ પ્રકારના વસ્ત્રની પોતે યાચના કરે. અથવા ગૃહસ્થ માંગ્યા વિના આપે તો પ્રાસુક હોય તો ગ્રહણ કરે. આ પહેલી ઉદ્દિષ્ટ પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા બીજીઃ- સાધુ કે સાધ્વી વસ્ત્ર જોઈને યાચના કરે- ગૃહસ્થથી માંડીને ઘસ દાસી સુધીના ગૃહસ્થોને ત્યાં તે સાધુ વસ્ત્રને જુએ અને પછી જોઈને આ પ્રમાણે કહે -આયુષ્યનું ગૃહસ્થ ! તમે મને આ વસ્ત્રોમાંથી કોઈ વસ્ત્ર આપશો ? તેવા પ્રકારની માંગણી પોતે કરે અથવા ગૃહસ્થ માંગ્યા વિના ભાવના ભાવે તો પ્રાસુક તથા એષણીક જાણી મળવાપર ગ્રહણ કરે. તે બીજી પ્રેક્ષિત પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા ત્રીજી-સાધુ કે સાધ્વી મનમાં એવી ધારણા કરે કે મને ગૃહસ્થનું પહેરેલું કે ઓઢેલું વસ્ત્ર પ્રાપ્ત થશે તો લઈ, ત્યાર પછી તેવા પ્રકારના વસ્ત્રની માંગણી પોતે કરે અથવા માગ્યા વિના ગૃહસ્થ આપે તો તે નિર્દોષ જાણી ગ્રહણ કરે. તે પરિભક્ત પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા ચોથી-સાધુ કે સાધ્વી એવી મનમાં ધારણા કરે કે નકામું વસ્ત્ર પ્રાપ્ત થશે તો ગ્રહીશ. જેમકે - કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, રંક, અથવા ભીખારી પણ જેને લેવાની ઈચ્છા ન કરે એવું ફેંકી દેવા યોગ્ય વસ્ત્રની પોતે યાચના કરે અથવા ગૃહસ્થ યાચના કર્યા વિના આપે તો નિર્દોષ જાણીને ગ્રહણ કરે. તે ઉસુઇ ધાર્મિક નામની ચોથી પ્રતિજ્ઞા. આ ચારે પ્રતિજ્ઞાઓનો વિશેષ ખુલાસો પિડેષણા અધ્યયનથી જાણવો. પૂર્વોક્ત એષણાનુસાર વસ્ત્રની યાચના કરનાર મુનિને કદાચિત કોઈ ગૃહસ્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy