________________ શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૩, ઉસો-૩ ભીડી ચાલે નહિ પગથી પગ લગાવે નહિ, શરીરથી શરીર ટકરાવે નહિ. એ પ્રમાણે આશાતના ન કરતા યતનાપૂર્વક આચાર્ય ઉપાધ્યાયની સાથે યાવતું રામાનુગ્રામ, વિચરતા રહે. સાધુ અથવા સાધ્વી આચાર્ય કે ઉપાધ્યાયની સાથે ગ્રામાનુગ્રામ વિચરતા હોય ત્યારે માર્ગમાં પ્રતિપથિક મળી જાય અને તે પ્રતિપથિક આ પ્રમાણે કહે કે આયુષ્યનું શ્રમણો ! તમે કોણ છો? કયાંથી આવો છો. ? અથવા ક્યાં જઈ રહ્યા છો. ? આવા પ્રશ્નો પૂછે ત્યારે સાથે રહેલા જે આચાર્ય કે ઉપાધ્યાય હોય તે વાર્તાલાપ કરે અને ઉત્તર આપે. આચાર્ય કે ઉપાધ્યાય જ્યારે વાતલાપ કરી રહ્યા હોય ત્યારે વચ્ચે સાધુએ. બોલવું ન જોઈએ. એ જ પ્રમાણે દીક્ષામાં વડીલોનાં ક્રમથી પ્રામાનુગ્રામ વિહાર કરે. સાધુ કે સાધ્વી દીક્ષામાં મોટા ના ક્રમથી સાથે સાથે પ્રામાનુગ્રામ વિચારતા હોય ત્યારે રત્નાધિકના હાથથી હાથને ન ટકરાવે. યાવતુ તેની અશાતના ન કરતાં વતન પૂર્વક રત્નાધિક-ક્રમથી ગ્રામાનુગ્રામ વિચારે. [૪૩]સાધુ કે સાધ્વી રત્નાધિકના ક્રમાનુસાર રામાનુગ્રામ વિચરતાં જઈ રહ્યા હોય ત્યારે માર્ગમાં સામેથી આવી રહેલા પથિકોનો સમાગમ થઈ જાય અને તે પ્રતિપથિક આ પ્રમાણે પૂછે તમે કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જઈ રહ્યા છો? ત્યારે દીક્ષામાં બધાથી મોટા હોય તે બોલે કે ઉત્તર આપે તે રત્નાધિક બોલતા કે ઉત્તર આપતા. હોય ત્યારે બીજા સાધુ વચ્ચે બોલે નહી. એ પ્રમાણે યતનાપૂર્વક રત્નાધિક ક્રમથી પ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય ત્યારે માર્ગમાં પ્રતિપથિક મળી જાય. તે આ પ્રમાણે પૂછે તમે માર્ગમાં મનુષ્ય, સાંઢ, પાડો, પશુ, પક્ષી, સર્પ જલચરાદિ વગેરે જોયા છે? કહો, દેખાડો (પ્રશ્નકત તે મનુષ્યાદિને પીડા પહોંચાડે તેવો સંભવ છે, માટે) મુનિ ઉત્તર ન આપે, કે ન દેખાડે, તેના કથનનું સમર્થન ન કરે. મૌન અંગીકાર કરે, હું જાણું છું, એમ ન કહે આ પ્રમાણે યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ અથવા સાથ્વી એક ગામથી બીજે ગામ જતા હોય અને માર્ગમાં પ્રતિપથિક મળે અને તે પૂછે કે આ માર્ગમાં તમે જળમાં ઉત્પન્ન થવા વાળા કંદ, મૂળ, છાલ, પત્ર, પુષ્પ, ફળ, બીજ, લીલોતરી, અથવા એકત્રિત કરેલ જલ કે અગ્નિ આદિ જોયાં છે? તેનો જવાબ સાધુ ન આપે તેમજ તે કથનનું સમર્થન ન કરે, મૌન સ્વીકારે. હું જાણું છું એમ ન કહે. આ પ્રમાણે ગ્રામાનુગામ વિચરે. એક ગામથી બીજે ગામ જતાં સાધુ કે સાધ્વીને પ્રતિપથિક મળે. તે પ્રતિપથિક આ પ્રમાણે પૂછે તમે માર્ગમાં યવ-ઘઉં આદિ યાવતુ વિવિધ પ્રકારના ધાન્ય અથવા સેનાદિના તંબુ આદિ જોયા છે તો કહો, બતાવો. તો સાધુ જવાબ ન આપે કે ન બતાવે. યાવતુ મૌન સ્વીકારે અને યતનાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરે. સાધુ કે સાધ્વી ગ્રામાનુગ્રામ વિચરી રહ્યો હોય. તેને માર્ગમાં પ્રતિપથિક મળે અને આ પ્રમાણે પૂછે-ગ્રામ-નગર કે રાજધાની કેટલી દૂર છે. ? બતાવો તો સાધુ ન બતાવે, મૌન રહે જાણતા છતાં પણ હું જાણું છું. એમ ન કહે. યતના સહિત ગ્રામાનુ-ગ્રામ વિચરે. એક ગામથી બીજે ગ્રામ જતાં સાધુ કે સાધ્વીને પ્રતિપથિક મળે અને કહે કે ગ્રામ, નગર યાવતુ. રાજધાનીનો માર્ગ ક્યો છે તે બતાવો. તો મુનિ તેનો ઉત્તર ન આપે, ન બતાવે, મૌન રહે થાવત યતનાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરે. [૪૬૪]ગ્રામાનુગ્રામ વિચરતાં સાધુ કે સાધ્વીને માર્ગમાં મદોન્મત્ત સાંઢ દેખાય અથવા પાગલ શિયાળ દેખાય તો તેને જોઈ ભયભીત થઈ બીજા માર્ગે ન જાય, માર્ગ છોડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org