SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંઠ-૨, અધ્યયન-૧, ઉદેસો-૮ ક૭ ગર્ભ, નાળિયેરનો ગુચ્છો, ખજૂરનો ઉપરનો ગર્ભ તથા તેવા પ્રકારના બીજા જે સચિત્ત હોય અને શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાસુક છે. તે સર્વ મળવા પર પણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી જાણવામાં આવે કે-શેરડી, છિદ્રવાળી પોલીસડેલી. અંગાર, ફાટેલા છોતાવાળી, શિયાળ આદિની થોડી થોડી ખાધેલી શેરડી, વેતનો નેતરનો અગ્રભાગ કંદલી ગર્ભ અથવા તેવા પ્રકારની અન્ય વસ્તુઓ સચિત્ત હોય, શસ્ત્રપરિણત ન હોય તો અપ્રાસુક છે. પ્રાપ્ત હોવાપરપણ ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વીને એણ જણાય કે લસણ, લસણનાં પાન, લસણની દાંડી, લસણનો કંદ, લસણની છાલ અથવા તેવા પ્રકારની કોઈ અન્ય વસ્તુ સચિત્ત છે, તેમાં શસ્ત્ર પરિણત થયું નથી, તો તે અપ્રાસુક છે અને અનેક્ષણીય છે. પ્રતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અથવા સાધ્વી એમ જાણે કે કુંભમાં પકાવેલ અશ્યિ ફલ, તેંદુ, વિલ્વ-બેલ, ફણસ અથવા શ્રીપર્ણીનું ફળ તથા તેવા પ્રકારના અન્ય ફળ સચિત્ત હોય અને શસ્ત્રપરિણત ન હોય તો તે અપ્રાસુક છે. ધતા આપે તો પણ લેવું ન જોઈએ. સાધુ અથવા સાધ્વી જાણે કે ધાન્યના દાણા, દાણાથી ભળેલા કુસકા, ઘણાવાળી રોટલી, ફોતરાવાળાં ચોખા, અથવા ચોખાનો તાજો લોટ, તલ, તલનો લોટ, તલસાંકળી અથવા એવા પ્રકારની બીજી દાણાવાળી વસ્તુ પાકી થઈ ન હોય, શસ્ત્ર પરિણત ન હોય તો તે અપ્રાસુક છે લાભ થવા પર પણ તેને ગ્રહણ ન કરે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. યતનાપૂર્વક તેનું પાલન કરવું જોઈએ. | અધ્યયનઃ ૧-ઉદસો:૮-નીમુનિ દીપરત્નસાગરે કરલે ગુર્જરછાયાપૂર્ણ ( અધ્યયનઃ ૧-ઉદેસો 9 ) [૩૮૩આ જગતમાં પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ દિશામાં કોઈ શ્રદ્ધાવાનું ગૃહસ્થ યાવતુ કર્મચારિણીઓ છે, જે ઘર પર આવેલા સાધુ-સાધ્વીને દેખીને પહેલાં એમ કહે છે. શ્રમણ છે, ભાગ્યવાન છે, શીલવાનું છે, વતી છે, ગુણી છે, સંયમી છે, બ્રહ્મચારી અને મૈથુન પ્રવૃત્તિના ત્યાગી છે. આધાકર્મ આદિ દોષોથી દૂષિત અશન આદિ આહાર ખાવા-પીવો એના આચારમયદાથી પ્રતિકૂળ છે. એટલા માટે આ ભોજન અમે અમારા માટે બનાવ્યું છે તે સઘળું ભોજન એઓને આપી દો. આપણા માટે ફરી બનાવી લેશે. આ પ્રકારનાં વચન સાંભળીને અને સમજીને એવા અશન-પાન આદિને અપ્રાસુક અને અષણીય સમજીને દાતાના દેવા પર પણ લેવું ન જોઈએ. [૩૮૪]સાધુ અથવા સાધ્વી કોઈ ગામમાં નિવાસ કરી રહ્યા હોય અથવા એક ગામથી બીજે ગામ જઈ રહ્યા હોય અને કોઈ ગામ અથવા રાજધાનીમાં પહોંચે. તે ગામ અથવા રાજધાનીમાં સાધુનાં માતા-પિતા આદિ પૂર્વ સંબંધી અથવા સસરા આદિ પશ્ચાતુ સંબંધી નિવાસ કરે છે. જેમ ગૃહસ્થ યાવતુ કર્મચારી કર્મચારિણી આદિ. તો એવા ઘરોમાં ભિક્ષા કાળ પહેલાં જ આહાર-પાણી માટે ન નીકળે કે ન પ્રવેશ કરે. કેવળી ભગવાનનું કથન છે કે એમ કરવામાં કર્મબંધનનું કારણ છે. કેમકે સાધુને પહેલા આવેલા જોઈને તે ગૃહસ્થ. તે સાધુ માટે રસોઈની સામગ્રી એકઠી કરશે અથવા રસોઈ બનાવશે. એટલે જ સાધુને માટે આ પૂર્વોપદિષ્ટ મર્યાદા છે કે તે આ પ્રકારના ઘરોમાં આહાર-પાણીને માટે ભિક્ષાના સમય પહેલાં ન જાય અથવા ન નીકળે. કદાચિત પહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy