SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રુતસ્કંથ-૨, અધ્યયન-૧, ઉદેસી-૭ 5 આપો. એમ કહેવા છતાં પણ ગૃહસ્થ તે આહારને સૂપડા વિગેરેથી વીંછને આપે તો આ પ્રકારનાં અશન, આદિને અપ્રાસુક જામી સાધુ ગ્રહણ ન કરે. [૩૭૪]સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે પ્રવિષ્ટ થઈ એમ જાણે કે અશનાદિ વનસ્પિતકાય પર રાખેલ છે. તો એવો અશનાદિ અપ્રાસુક અનેષણીય છે. તે આહારાદિનો લાભ હોવા છતાં પણ ગ્રહણ ન કરે. એવી જ રીતે ત્રસકાય પર રાખેલ આહાર પણ અપ્રાસુક છે. તેને પણ ગ્રહણ ન કરે. [૩૭પીગૃહસ્થના ઘરમાં ગયેલ સાધુ અથવા સાધ્વી જે પેયને જાણે કે આ લોટનું ધોવાણ, તલનું ધોવાણ, ચોખાનું ધોવાણ, અથવા એવા પ્રકારનું બીજું કોઈપણ ધોવાણ તુર્તનું ધોયેલું છે, જેનો સ્વાદ બદલ્યો ન હોય, જે અચિત થયેલું ન હોય, શસ્ત્રપરિણત ન થયું હોય, જે પૂર્ણ રૂપથી આચિત્ત થયું ન હોય. તે અપ્રાસુક છે માટે લાભ થવા પર પણ તેને ગ્રહણ કરવું ન જોઈએ. જો એમ જાણે કે આ ધોવાણ લાંબા સમયનું ધોયેલું છે, તેનો સ્વાદ બદલી ગયો, તે અચિત્ત થઈ ગયું છે, તો તે પ્રાસુક છે. ઘતા આપે તો ગ્રહણ કરી લેવું જોઈએ. સાધુ અથવા સાધ્વી કોઈ પેયના વિષયમાં એમ જાણે કે તલનું ધોવણ, તુષનું ધોવણ કાંજીનું પાણી છે, તે શુદ્ધ ઉકાળેલું પાણી છે કે અન્ય પ્રકારનું પાણી છે, તો તે પ્રકારના પાણી દેખીને પહેલા જ કહી દે, આયુષ્માન ! આ પાણી મને આપશો? એમ કહેવાવાળા સાધુને કદાચત ઘતા એમ કહે કે તમે પોતે જ તમારા પાત્રથી અથવા પાણીના પાત્રને ઉચું કરીને અથવા નમાવીને લઈ લ્યો તો એવું પ્રાસુક પાણી મળવા પર પોતે લઈ લે અથવા બીજા આપે તો પણ લઈ લે. ૩૭૬]સાધુ અથવા સાધ્વી પાણીના વિષયમાં એમ જાણે કે અચિત્ત જલ, સચિત્ત પુથ્વી યાવતુ પાણી, અગ્નિ, વનસ્પતિ અથવા લીલ-ફૂલ પર અથવા કીડી આદિ પ્રાણીઓ પર રાખેલ છે અથવા સચિત્ત પદાર્થથી યુક્ત પાત્રમાંથી અન્ય પાત્રમાં કાઢી રાખેલ છે, હાથમાંથી સચિત્ત પાણીના ટીપાં ટપકી રહેલ છે તેના હાથ સચિત્ત પાણીથી ભીના છે તો તેવા હાથથી અથવા સચિત્ત પૃથ્વી આદિથી યુક્ત પાત્રમાંથી અથવા પ્રાસુક પાણી અને સચિત્ત પાણી મેળવી આપે તો તે પ્રકારના પાણીને અપ્રાસુક જાણી ગ્રહણ ન કરે. એ સાધુ અને સાધ્વીની સમાચારી છે. એમાં હંમેશા સમતા અને યતનાસહિત પ્રવૃત્તિ કરવી જોઈએ. એમ હું કહું છું. અધ્યયનઃ૧-ઉદેસા-૭ની મુનિ દીપરત્નસાગરે કરેલગુરછાયાપૂર્ણ (અધ્યયના ઉદેસો-૮) [૩૭૭]ગૃહસ્થના ઘરમાં પ્રવિષ્ટ સાધુ અથવા સાધ્વીને પેયના વિષયમાં એમ પ્રતીત હોય કે આંબાનું ધોવાણ, અંબાડાનું ધોવર" કોઠાનું ધોવણ, બિજોરાનું ધોવણ, દ્રાક્ષનું ધોવણ, દાડમનું ધોવાણ, ખજૂરનું ધોવાણ, નાળિયેરનું પાણી કે ધોવાણ કૈરનું ધોવાણ બોરનું ધોવાણ, આમળાનું ધોવાણ, આમલીનું ધોવાણ, અથવા એવી જાતનું કોઈ બીજું ધોવાણ સચિત્ત ગોઠલી સહિત, છાલ સહિત હોય અને ગૃહસ્થ સાધુને માટે ચાળણીથી કપડાથી અથવા વાળની ચાળણીથી કે ગરણીથી-મસળીને, છણીને અને બીજાદિ અલગ કરીને લાવે અથવા આપે તો એવું ધોવાણ-પાણી અપ્રાસુક છે. દાતા આપે તો પણ તેને ગ્રહણ ન કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy