SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ 5 ) શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૧, ઉસો-ર બીજ પણ અતિરસ્કૃત અનિંદિત કુળોમાં, જેના આચાર-ઉત્તમ હોય તેવા કુળોમાંઆહારાદિ લેવા જાય અને પ્રાસુક, એષણિક જાણી ગ્રહણ કરે. [34] સાધુ અથવા સાધ્વી ભિક્ષા માટે ગૃહસ્થના ઘરમાં પ્રવેશ કરીને જાણે કે અહીંયા ઘણા લોકો એકઠાં થયેલ છે. પિતૃભોજન છે. અથવા ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, મુકુંદ ભૂતો, યક્ષો, નાગો, સ્તૂપો, ચત્ય, વૃક્ષો, પર્વત, ગુફા, કૂવા, તળાવ, દૂહ, નદી, સરોવર, સાગર કે આગરની પૂજાના પ્રસંગ પર અથવા તેવા પ્રકારના વિવિધ જાતનાં મહા મહોસવોના પ્રસંગપર શ્રમણો, બ્રાહ્મણો, અતિથિઓ અને ભિખારીઓને એક અથવા અનેક પાત્રોમાંથી કાઢી કાઢીને ભોજન પીરસાઈ રહ્યું છે, તે જોઇને અને તે ભોજન ગૃહસ્થ હાથે કરેલ છતાં હજુ તે ગૃહસ્થ જમ્યો નથી, તે આહારાદિને અશુદ્ધ અનેષણિક જાણી મુનિએ ગ્રહણ ન કરવો. જો સાધુને એમ જણાય કે જેમને એ ભોજન આપવાનું હતું તેમને અપાઈ ગયું છે, અને હવે ગૃહસ્થની ભાર્યા- બહેન, પુત્ર, પુત્રી, પુત્રવધૂ, અથવા ધાત્રી, દાસ, કે દાસી, નોકર કે નોકરાણી તે આહારને ભોગવી રહ્યા છે તો તેમને કહે કે હે આયુષ્યમતી મને આ ભોજનમાંથી અન્યતર ભોજન આપશો ? સાધુના આમ કહેવા પર કોઈ અશનાદિ લાવીને આપે, સાધુની યાચનાથી આપે, અગર યાચના વિના આપે તો તેને પ્રાસુક સમજીને ગ્રહણ કરી લે. 3i47] અર્ધ યોજન અર્થાત્ બે ગાઉથી ચાર માઈલથી) વધારે, સાધુને આહાર લેવા જવાનું કહ્યું નહિ. પરંતુ બે ગાઉમાં પણ કોઈ જમણવારી હોય તો તે જમણવારીમાંથી ભોજન લેવા જવાનો વિચાર કરે નહિ. સાઘુ અથવા સાધ્વી પૂર્વ દિશામાં જમણવારી છે એમ જાણીને તેની ઉપેક્ષા કરતાં પશ્ચિમ દિશામાં ભિક્ષા માટે જાય. પશ્ચિમમાં જમણવારી જાણીને પૂર્વ દિશામાં જાય. દક્ષિણમાં જમણવારી હોય તો ઉત્તરમાં જાય, ઉત્તરમાં જમણવારી જાણી દક્ષિણમાં જાય. જે ગામમાં, નગરમાં, પેટમાં, કપટમા-કુનગરમાં, મંડબમાં, આકરમાં, દ્રોણમુખમાં બિંદરોમાં નિગમમાં [વ્યાપારસ્થલમાં) આશ્રમમાં, સનિવેશમાં યાવતું રાજધાનમાં જમણવારી હોય તે ત્યાં જવાનો વિચાર પણ કરવો નહિ. કેવળી ભગવાને જમણવારીમાં જવાથી કર્મોનો આશ્રય થાય છે એમ કહેલ છે. જો સાધુ જમણવારીમાં જવાના વિચારથી જમણવારીમાં જશે તો ભાવુક ગૃહસ્થ આધાકર્મી ભોજન આપશે. ઉદ્દિષ્ટ ભોજન આપશે, મિશ્ર જાતે બનાવેલ આપશે, મૂલ્યથી ખરીદીને, ઉધાર લઈને, નિર્બળ પાસેથી ઝુંટવીને, માલિકની આજ્ઞા લીધા વિના, અન્ય સ્થાનની સામે લાવીને આપશે, અને આ પ્રકારે દીધેલ દૂષિત આહાર સાધુ ખાશે. આ સિવાય ગૃહસ્થ સાધુ નિમિત્તે નાના દ્વારમાંથી, મોટા દરવાજા બનાવશે અને મોટામાંથી નાના બનાવશે, અને સમતલ જગ્યાને વિષમ અને વિષયને સમ કરશે. અધિક હવાવાળા સ્થાનને શીતકાળમાં વાયુહીન કરશે અવાયુહીનને ગ્રીષ્મ કાળમાં અધિક હવાવાળું કરશે, ઉપાશ્રયની અંદર અગર બહાર ઘાસ આદિ હરિતકાયને વારંવાર વિદારણ કરીને ઉપાશ્રયને ઠીક કરશે, સાધુને માટે પાટ આદિ ઢાળશે, એ પ્રમાણે સાધુને અનેક દોષ લાગશે. એટલા માટે સંયમવાનુ નિગ્રંથ આ પ્રકારની પૂર્વ સંખડી તથા પશ્ચાતુ સંખડી જમણવારીમાં જવાની ઇચ્છા ન કરે. સાધુ અને સાધ્વીનો આ આચાર છે. આમાં સમસ્ત ભાવોમાં સમભાવ રાખીને અને જ્ઞાનાદિથી યુક્ત થઈને હમેશાં યતનાવાનું થવું જોઈએ. એમ હું કહું છું. અધ્યયનઃ૧-ઉદેસોઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy