SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ - શ્રુતસ્કંથ૧, અધ્યયન-૮, ઉસો-૫ દે કે- હે આયુષ્મનું ગાથાપતિ ! સામે લાવેલ આહારાદિ તથા આ પ્રકારનો અન્ય કોઈ પદાર્થ ભોગવવો કે ખાવું-પીવું મને કહ્યું નહિ. [30] કોઈ સાધુની એવી પ્રતિજ્ઞા હોય છે કે હું બીમાર થાઉં તો બીજા સાધુઓને સેવા કરવાનું કહીશ નહિ પરંતુ સમાન સમાચારીવાળા નીરોગી સાધુ કમનિર્જરાના ઉદ્દેશ્યથી સ્વેચ્છાપૂર્વક મારી સેવા કરે તો હું એ સેવાનો સ્વીકાર કરીશ અને જો હું સ્વસ્થ હોઉં તો બીજા સહધર્મી અસ્વસ્થ શ્રમણની સ્વેચ્છાપૂર્વક નિઃસ્વાર્થભાવથી કર્મનિર્જરા માટે સેવા કરીશ. કોઈ સાધુ આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે કે હું બીજાઓ માટે આહારાદિ લાવીશ અને બીજા આહારાદિ લાવ્યા હોય તેને સ્વીકારીશ. હું બીજા સાધુઓ માટે આહારાદિ લાવીશ પરંતુ બીજા સાધુઓ લાવ્યા હોય તે નહિ લઉં. હું બીજા સાધુઓ માટે નહિ લાવું પરંતુ બીજા લાવ્યા હશે તે સ્વીકારીશ. હું બીજા માટે લાવીશ નહિ અને બીજા લાવ્યા હશે તેનો સ્વીકાર પણ કરીશ નહિ આ ચાર પ્રતિજ્ઞાઓમાંથી જે અંગીકાર કરી હોય તેનું પૂર્ણ રીતે પાલન કરે. એવા સાધુ, શાંત, વિરત અને વિશુદ્ધ વેશ્યાવાળા થઈ દેહનો ત્યાગ કરે પણ પ્રતિજ્ઞાનો ભંગ ન કરે. કદાચિત્ પ્રતિજ્ઞાપાલનમાં મરણ થઈ જાય તો તેનું તે મરણ અનશન પ્રાપ્ત મરણ સમાન છે. તે કર્મક્ષયનું કારણ છે. તે નિહિતાનું સ્થાન છે, હિતકર છે, સુખકર છે, યોગ્ય છે, કલ્યાણકારી છે, સાથે આવનાર છે. એમ હું કહું છું. અધ્યયનઃ૮-ઉસો પની મુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ (અધ્યયનઃ૮-ઉદેસો દ) [31] જે ભિક્ષુ એક વસ્ત્ર અને બીજું એક પાત્ર રાખવાની પ્રતિજ્ઞા અંગીકાર કરે છે તેને એવો વિચાર નથી હોતો કે હું બીજા વસ્ત્રની યાચના કરું. એવા સાધુ જરૂર હોય તો એષણીય વસ્ત્રની યાચના કરે અને જેવું વસ્ત્ર મળે તેવું જ ધારણ કરે યાવતુ ગરમીની ઋતુ આવી ગઈ છે એમ જાણે તો સર્વથા જીર્ણ વસ્ત્રને પરઠી દે અથવા તે એક વસ્ત્રને રહેવા દે અથવા અચેલ થઈ જાય. આ રીતે લાઘવ ગુણને ધારણ કરવાથી તપની પ્રાપ્તિ થાય છે. યાવતુ પ્રત્યેક અવસ્થામાં સમભાવ ધારણ કરે. [232] જે સાધુની એવી ભાવના છે કે હું એકલો છું મારું કોઈ નથી, હું પણ કોઈનો નથી, તે ભિક્ષુ આત્માના એકાકીપણાને જાણી લાઘવ ગુણને પ્રાપ્ત કરે છે અને તેને તપની પ્રાપ્તિ થાય છે, યાવતુ સમભાવ ધારણ કરવો જોઈએ. [233] સાધુ અથવા સાધ્વી અનાદિ. આહાર કરતા, સ્વાદ લેવા માટે આહારને ડાબા જડબાથી જમણા જડબે ન લાવે અને જમણા જડબાથી ડાબા જડબે ન લાવે. આ રીતે સ્વાદ નહિ લેવાથી લાઘવ ગુણ પ્રાપ્ત થાય છે અને તેનાથી તપની પ્રાપ્તિ થાય છે. માટે ભગવાન દ્વારા કહેલ તત્ત્વને સારી રીતે સમજી સમભાવ ધારણ કરવો. [234] જે મુનિને એવી પ્રતીતિ થાય કે હવે આ શરીરને ટકાવવા હું અસમર્થ છું. તો તે ધીરે ધીરે આહારને ઓછો કરે, આહાર ઓછો કરી કષાયોને પાતળા કરે અને શારીરિક વ્યાપારોને નિમયિત કરી લાકડાના પાટિયાની સમાન નિશ્રેષ્ટ થઈ શારીરિક સંતાપથી રહિત થઈ પંડિતમરણને માટે તૈયાર થઈ જાય. [35] આવા મુનિએ ગામ, નગર, ખેડ, કસબો, મંડબ, પાટણ, બંદર, આકર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005061
Book TitleAgam Deep 01 Ayaro Gujarati Anuvaad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgam Shrut Prakashan
Publication Year1997
Total Pages122
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 01, & agam_acharang
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy