________________ શ્રતઅંધ-૧અધ્યયન-૨, હસો-૩ છે. એમ સંપત્તિ અનેક માર્ગે નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે અર્થ લુબ્ધ અજ્ઞાની પ્રાણી બીજાઓના માટે ક્રૂર કમો કરતો થકો તે કર્મોથી ઉત્પન્ન થયેલ દુખને ભોગવતો વિજયસિ પામે છે. સર્વજ્ઞાનીએ આ બતાવેલ છે પ્રરૂપેલ છે. જે સંયમી, સ્વચ્છંદાચારી સંસાર-પ્રવાહને તરતા નથી અને તીર સુધી પહોંચી શકતા નથી તથા વિષયવૃત્તિ અને લાલસાથી સંસાર સમુદ્રમાં ગોથા ખાય છે પરંતુ પાર પામીને કિનારે પહોંચતા નથી. કેટલાંક અજ્ઞાની જીવો સંયમ ગ્રહણ કરી સંયમના સ્થાનમાં સ્થિર રહેતા નથી અને મિથ્યા ઉપદેશ પ્રાપ્ત કરી અસંયમમાં આસક્ત રહે છે. [83 તત્ત્વને સમજનાર માટે ઉપદેશની આવશ્યકતા નથી. પરંતુ તે અજ્ઞાની છે, કામ-ભોગોમાં આસક્ત છે, ભોગેચ્છા જેની શાંત થઈ નથી, તે દુઃખી થઈ વિટંબણાના ચક્રમાં ભ્રમણ કરે છે. તેને ઉપદેશની જરૂર છે. એમ હું કહું છું. | અધ્યયન૨-ઉદેસઃ૩નીમુનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયાપૂર્ણ ] (અધ્યયન-ર-ઉદેસો 4) [84-85 હે જબૂ! કામભોગોની આસક્તિથી ભોગીને કદાચિત રોગો ઉત્પન્ન થાય છે. જેની સાથે વસે છે તે કુટુંબીઓ તેનું પહેલા પાલન પોષણ કરે છે, કદાચિત્ અર્થ પ્રાપ્ત થઈ જાય તો તે મનુષ્ય પછી પોતાના કુટુંબીઓનું પાલન પોષણ કરે છે છતાં તે કુટુંબીઓ તેની રક્ષા કરવામાં, તેને શરણ દેવામાં સમર્થ નથી, અને તે વ્યક્તિ તેઓનું રક્ષણ કરવા કે તેઓને શરણ આપવામાં સમર્થ નથી. પ્રત્યેક પ્રાણી પોતે કરેલા સુખ દુઃખને ભોગવે છે. આ સંસારમાં કેટલાંક પ્રાણીઓ એવા છે કે જે કામ ભોગોની અભિલાષા વડે અલ્પ કે અધિક ધન અથવા ભોગની પ્રાપ્તિ થતાં તેનો ઉપભોગ કરવા માટે તેનાં મન, વચન અને કાયાથી અત્યંત આસક્ત થઈ જાય છે. આ પ્રકારે કોઈ વખતે તેની પાસે વિવિધ પ્રકારના ભોગી પછી બચેલી ઘણી સંપત્તિઓ એકત્રિત થાય છે. તેને પણ કોઈ વખત સ્વજનો પરસ્પર વહેંચી લે છે. અથવા ચોરી લે છે, રાજા લૂંટી લે છે, વ્યાપારાદિમાં હાનિ થવાથી નષ્ટ થઈ જાય છે. ઘરમાં આગ લાગવાથી બળી જાય છે. આવા અનેક માગથી તે સંપત્તિ નષ્ટ થઈ જાય છે. આ પ્રકારે તે અજ્ઞાની જીવ બીજાને માટે જૂર કર્મો કરતો થકી દુઃખથી મૂઢ થઈ વિપરીત પ્રવૃત્તિ કરે છે, [8] ધીર પુરુષ! તારે વિષયોની આશા અને સંકલ્પોથી દૂર રહેવું જોઈએ. તમે સ્વયં આ કોટાને અંતઃકરણનાં રાખી દુઃખી થાઓ છો. જે ધનાદિ સામગ્રીથી ભોગપભોગ થઈ શકે છે તેજ ધનાદિ સામગ્રીથી તેનો ભોગપભોગ ન પણ થાય. જે મોહથી આવૃત્ત છે તે મનુષ્ય આ વાતને સમજી શકતો નથી. સંસારી જીવો, સ્ત્રીઓના હાવભાવ દ્વારા અત્યંત દુઃખી થાય છે. તો પણ “આ સ્ત્રીઓએ ભોગપભોગનું સાધન છે.” એમ કહે છે. આ પ્રકારે કહેવું તે દુઃખનું. મોહનું, જન્મ-મરણનું નરકનું અને તિર્યંચ ગતિનું કારણ છે. નિરંતર મૂઢ બનેલ જીવ ધર્મને જાણતો નથી. વીરપ્રભુએ દૃઢતાપૂર્વક કહ્યું છે કે મોહના પ્રધાન કારણોમાં પ્રમાદ ન કરવો જોઈએ. અપ્રમાદથી મોક્ષ અને પ્રમાદથી મરણ હોય છે એ વિચાર કરી તથા શરીરની ક્ષણભંગુરતાને ધ્યાનમાં રાખી કુશળ પુરૂષે પ્રમાદ ન કરવો જોઈએ. હે શિષ્ય ! વિષયભોગોથી ક્યારેય પણ તૃપ્તિ થતી નથી. તેથી તેમાં આસક્તિ ન કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org