SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૨૪૦ ૯૩ વૈયાવચ્ચ કરનાર સાધુને સૂત્ર અર્થની હાનિ થાય, તેથી સંયમ વિરાધના. લાંબા કાળની માંદગીમાં આ સાધુઓ બહુ ખાનારા છે, પોતાના પેટને પણ જાણતા નથી, એટલે બીમાર થાય છે.” વગેરે બીજા લોકો બોલે. આથી પ્રવચન વિરાધના. આધાકર્મી આહાર વાપરવામાં આ પ્રમાણે દોષો રહેલા છે. માટે આધાકર્મી આહાર વાપરવો ન જોઈએ. શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ કરીને જે સાધુ આધાકર્મી આહાર વાપરે છે, તે સાધુને સદ્ગતિ અપાવનાર અનુષ્ઠાનરૂપ સંયમની આરાધના થતી નથી, પરંતુ સંયમનો ઘાત થવાથી નરક આદિ દુર્ગતિમાં જવાનું થાય છે. આ લોકમાં રાજાની આજ્ઞાનો ભંગ કરવાથી વધ, બંધ, દંડ વગેરે અનર્થની પરંપરા થાય છે, તેમ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાનો ભંગ કરવાથી જીવને ભારે દડાવું પડે છે. અર્થાત્ જન્મ-મરણાદિ અનેક પ્રકારના દુઃખો ભોગવવા પડે છે. આધાકર્મી આહાર વાપરવાની બુદ્ધિવાળા શુદ્ધ આહાર વાપરવા છતાં આજ્ઞાભંગના દોષથી દંડાય છે અને શુદ્ધઆહારની ગવેષણા કરનારને કદાચ આધાકર્મી આહાર વાપરવામાં આવી જાય તો પણ તેઓ દંડતા નથી કેમકે તેઓએ શ્રી તીર્થકર ભગવંતની આજ્ઞાનું પાલન કરેલું છે. આધાકર્મી આહાર આપવામાં ક્યા દોષો છે? નિવહ થતો હોય તે વખતે આધાકર્મીઅશુદ્ધ આહાર આપવાથી, આપનાર અને લેનાર બન્નેનું અહિત થાય છે. પરંતુ, નિવહિ થતો ન હોય (એટલે ગ્લાનાદિ કારણે) તો આપવામાં અને લેવામાં બન્નેને હિતકારી થાય છે. આધાકર્મી આહાર ચારિત્રનો નાશ કરનારો છે, એથી ગૃહસ્થો માટે ઉત્સર્ગથી સાધુને આધાકર્મી આહારનું દાન કરવું યોગ્ય માન્યું નથી, છતાં ગ્લાનાદિ કારણે કે દુકાળાદિના વખતે આપે તે વાંધાજનક નથી બલ્ક ઉચિત છે અને લાભકારી છે. જેમ તાવથી પીડાતા દર્દીને ઘેબરાદિ આપનાર વૈદ્ય બન્નેનું અહિત કરે છે અને ભસ્મકવાતાદિના રોગમાં ઘેબરાદિ બન્નેનું હિત કરે છે, તેમ કારણ વિના આપવાથી . આપનાર અને લેનાર બન્નેને અહિતકર થાય, કારણે આપવાથી બન્નેને લાભ થાય. આધાકર્મ જાણવા કેવી રીતે પૂછવું? આધાકર્મી આહાર ગ્રહણ થઇ ન જાય તે માટે પૂછવું જોઈએ. તે વિધિપૂર્વક પૂછવું જોઈએ પણ અવિધિપૂર્વક ન પૂછવું. આમાં જે એક વિધિપૂર્વક પૂછવાનું અને બીજું અવિધિપૂર્વક પૂછવાનું તેમાં અવિધિપૂર્વક પૂછવાથી નુકશાન થાય છે તે ઉપર દ્રષ્ટાંત. શાલી નામના ગામમાં એક ગ્રામણી નામનો વણિક રહેતો હતો. તેને પત્નિ પણ ગ્રામણી નામની હતી. એકવાર વણિક દુકાને ગયો હશે તે વખતે તેના ઘેર એક સાધુ ભિક્ષા માટે આવ્યા. ગ્રામણી સાધુને શાલિજાતના ભાત વહોરાવવા લાવી. ભાત આધાકર્મી છે કે શુદ્ધ ? તે જાણવા સાધુએ તે સ્ત્રીને પૂછ્યું કે હે શ્રાવિકા ! આ ચોખા ક્યાંના છે?' તે સ્ત્રીઓ કહ્યું કે “મને ખબર નથી, મારા પતિ જાણે, દુકાને જઇને પૂછી જૂઓ.” આથી સાધુએ દુકાને જઇને પૂછ્યું. વણિકે કહ્યું કે “મગધ દેશના સીમાડાના ગોમ્બર ગામથી આવ્યા છે. આ પ્રમાણે સાંભળી તે સાધુ ગોમ્બર ગામ જવા તૈયાર થયો. ત્યાં પણ તેને શંકા થઈ કે “આ રસ્તો કોઈ શ્રાવકે સાધુ માટે બનાવ્યો હોય તો ?' એ શંકાથી રસ્તો મૂકીને ઉંધા માર્ગે ચાલવા લાગ્યો. તેથી પગમાં કાંટા કાંકરા વાગ્યા, કૂતરા વગેરેએ બચકાં ભય, સૂર્યનો તાપ પણ વધવા લાગ્યો. આધાકર્મની શંકાથી વૃક્ષની છાયામાં પણ બેસતો નથી. આથી તાપ ખૂબ લાગવાથી તે સાધુને મૂચ્છ આવી ગઈ, ખૂબ ખૂબ હેરાન થઈ ગયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy