SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પિંડનિત્તિ -(૧૦૮) માટે વસ્તુનો અદલો બદલો કરવો તે. અભ્યાહત-સાધુને વહોરાવવા માટે સામે લઈ જવું તે. ઉમિન-સાધુને વહોરાવવા માટે માટી વગેરે સીલ લગાવેલી હોય તે તોડીને આપવો તે. માલાહત-ભોંયરું કે માળ ઉપરથી લાવીને આપવું તે. આછેદ્ય-પુત્ર, નોકર આદિ પાસેથી બળજબરીથી ઝુંટવી લઇને આપવું તે. અનિસૃષ્ટ-ઘણાની માલિકની વસ્તુ બીજાની રજા વગર એક વ્યક્તિએ આપવી તે. અધ્યપૂરક-પોતાના માટે રસોઈની શરૂઆત કર્યા પછી, સાધુને માટે તેમાં અધિક નાંખેલું આપવું તે. (અહીં નિર્યુક્તિમાં આવતું જિતશ રાજાનું દાંત, કેટલીક વિશેષ વાતો, એસણાનો અર્થ તથા એસણાના પ્રકારો દર્શનાદિ શુદ્ધિ અને તે માટે આહારશુટિની આવશ્યકતા વગેરે વાતોઆ પૂર્વે કહેવાઈ ગઈ છે.માટે અહીં તેનું પુનરાવર્તન કરેલ નથી.) [૧૦] આધાકર્મના દ્વારો આધાકર્મના એકાર્થિક નામો, આવા કર્મ ક્યારે થાય ? આધાકર્મનું સ્વરૂપ અને પરાક્ષ, સ્વપક્ષ, તથા સ્વપક્ષમાં અતિચાર આદિ પ્રકારો. [૧૧૦-૧૧૬] આધાકર્મનાં એકાWક નામો આધાકર્મ, અધઃકર્મ આત્મઘ્ન, અને આત્મક”. આધાકર્મ એટલે “સાધુને હું આપીશ” આવો સંકલ્પ મનમાં રાખીને તેમને માટે છ કાય જીવની વિરાધના જેમાં થાય તેવી આહાર તૈયાર કરવાની જે ક્રિયા. અધઃકર્મ- એટલે આધાકર્મ દોષવાળો આહાર ગ્રહણ કરનાર સાધુને સંયમથી નીચે લઈ જાય, શુભ લેશ્યાથી નીચે પાડે, અથવા નરકગતિમાં લઈ જાય માટે અધઃકર્મ આત્મબ-એટલે સાધુના ચારિત્રરૂપી આત્માનો નાશ કરનાર. આત્મકર્મ- એટલે અશુભકર્મનો બંધ થાય. આધાકર્મ આહાર ગ્રહણ કરવાથી જો કે સાધુ પોતે છકાયજીવનો વધ નથી કરતો, પરંતુ તેવો આહાર ગ્રહણ કરવાથી અનુમોદના દ્વારા છકાયજીવના વધના પાપનો ભાગીદાર બને છે, [૧૧૭-૨૪૦] સંયમસ્થાનો-કંડકો-સંયમશ્રેણી, વેશ્યા તથા શાતા વેદનીય આદિ રૂપ શુભ પ્રકૃતિમાં વિશુદ્ધ વિશુદ્ધ સ્થાનમાં રહેલા સાધુને આધાકર્મી આહાર જે કારણથી નીચા નીચા સ્થાને લઈ જાય છે, તે કારણથી તે અધકર્મ કહેવાય છે. સંયમસ્થાનનું સ્વરૂપ દેશવિરતિરૂપ પાંચમાં ગુણસ્થાને રહેલા સર્વઉત્કૃષ્ટ વિશુદ્ધસ્થાનવાળા જીવ કરતાં સર્વવિરતિરૂપ છઠ્ઠા ગુણસ્થાને રહેલા સૌથી જઘન્ય વિશુદ્ધસ્થાનવાળા જીવની વિશુદ્ધિ અનંતગુણ અધિક છે અથતુ નીચામાં નીચા વિશુદ્ધિસ્થાને રહેલો સાધુ, ઉંચામાં ઉંચા વિશુદ્ધિસ્થાને રહેલા શ્રાવક કરતાં અનંતગુણ અધિક છે. જઘન્ય એવા તે સર્વવિરતિનાં વિશુદ્ધિ સ્થાનને કેવળજ્ઞાનની દ્રષ્ટિએ-બુદ્ધિથી વિભાગ કરવામાં આવે અને જેનો બીજો ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય ભાગ કરવામાં આવે, તેવા ભાગોની સર્વ સંખ્યાનો વિચાર કરવામાં આવે તો, દેશવિરતિના સર્વ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સ્થાનના જે એવા અવિભાજ્ય ભાગો હોય તેની સર્વ સંખ્યાને સર્વ જીવોની જે અનંત સંખ્યા છે, તેના અનંતમાં ભાગે જે સંખ્યા આવે તે સંખ્યાથી ગુણીએ અને જેટલી સંખ્યા થાય તેટલા ભાગો સર્વવિરતિના સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનમાં હોય છે. સર્વવિરતિ ગુણસ્થાનના આ સર્વ જઘન્ય વિશુદ્ધિ સ્થાનથી બીજું અનંત ભાગ વૃદ્ધિવાળું હોય છે. એટલે પહેલાં સંયમસ્થાનમાં અનંતભાગ વૃદ્ધિ કરીએ એટલે બીજું સંયમસ્થાન આવે, તેમાં અનંતભાગ વૃદ્ધિ કરતાં જે આવે તે ત્રીજું સંયમસ્થાન, આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy