SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. પિંડનિજ્જુત્તિ- (૧૪) સંઘાટ્ટક- બે સાધુએ સાથે ભિક્ષાએ જવું. ઉપકરણ- ઉત્સર્ગથી સઘળાં ઉપકરણો સાથે લઇને ભિક્ષાએ જાય. બધા ઉપકરણ સાથે લઇને ભિક્ષા ફરવા સમર્થ ન હોય તો પાત્રાં, પડલાં, રજોહરણ, બે વસ્ત્ર અને દાંડો લઇને ગોચરી જાય. માત્રક પાત્રની સાથે બીજું માત્રક લઇને ભિક્ષાએ જાય. કાઉસ્સગ્ગ- ઉપયોગ કરાવણિય’નો આઠ શ્વાસોશ્વાસનો કાઉસ્સગ્ગ કરીને આદેશ માંગે. ‘સંદિસહ’ આચાર્ય કહે ‘લાભ’ સાધુ કહે (કહું લેસુ) આચાર્ય કહે (જહા ગહિયં પુવ્વસાહૂäિ) યોગ- પછી કહે કે “આવસ્સિયાએ જસ્ત જોગો’ જે જે સંયમને ઉપયોગી હશે તે તે ગ્રહણ કરીશ. ગવેષણા બે પ્રકારની છે. એક દ્રવ્યગવેષણા, બીજી ભાવગવેષણા. દ્રવ્યગદ્વેષણા વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજાને ધારિણી નામની રાણી હતી. એકવાર ચિત્રસભામાં ગઈ, તેમાં સુવર્ણપીઠવાણું હરણ જોયું. તે રાણી ગર્ભવાળી હતી, આથી તેને સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાનો દોહલો (ઇચ્છા) થયો. તે ઇચ્છા પૂર્ણ નહિ થવાથી રાણીનું શરીર સુકાવા લાગ્યું. રાણીને દુર્બળ થતી જોઈ. રાજાએ પૂછ્યું કે ‘તું કેમ સુકાય છે ? તારે શું દુઃખ છે ?' રાણીએ સુવર્ણપીઠવાળા મૃગનું માંસ ખાવાની ઇચ્છા થયાની વાત કરી. રાજાએ પોતાનાં માણસોને સુવર્ણમૃગને પકડી લાવવા હુકમ કર્યો. માણસોએ વિચાર કર્યો કે સુવર્ણમૃગને શ્રીપર્ણી ફળ ઘણાં પ્રિય હોય છે, પણ અત્યારે તે ફળોની ૠતુ નથી. માટે બનાવટી તેવાં ફળો બનાવીને જંગલમાં ગયા. ત્યાં તે બનાવટી ફળોના છુટાં છુટાં ઢગલા કરીને ઝાડની નીચે રાખ્યા. હરણીયાઓએ તે ફળો જોયા અને પોતાના નાયકને વાત કરી, બધાં ત્યાં આવ્યા. નાયકે તે ફળો જોયા અને બધા હરણીયાઓને કહ્યું કે ‘કોઈ ધૂર્વે આપણને પકડવા માટે આ પ્રમાણે કરેલું છે. કેમકે અત્યારે આ ફળોની ૠતુ નથી.’ માટે તે ફળો ખાવા માટે કોઇએ જવું નહિ.’ આ પ્રમાણે નાયકની વાત સાંભળી કેટલાક હરણીયા તે ફળો ખાવા માટે ગયાં નહિ, કેટલાક હરણીયા નાયકની વાત ગણકાર્યા સિવાય તે ફળો ખાવા ગયા, જ્યાં ફળો ખાવા લાગ્યા ત્યાં તો રાજાના માણસોએ તે હરણીયાઓને પરડી લીધાં. આથી તે હરણીયામાંથી કેટલાક બંધાયા અને કેટલાક હરણીયા મરણ પામ્યા. જે હરણીયાઓએ તે ફળો ખાધાં નહિ તે સુખી થયાં, ઇચ્છા પ્રમાણે વનમાં વિચરવા લાગ્યાં. ભાવગવેષણા કોઈ મહોત્સવ પ્રસંગે ઘણા સાધુઓ આવ્યા હતા. કોઈ શ્રાવકે અથવા તો કોઇ ભદ્રિક માણસે સાધુઓને માટે (આધાકિમ) ભોજન તૈયાર કરાવ્યું અને બીજા અનેકને બોલાવીને ભોજન આપવા માંડ્યું. તેના મનમાં એક હતું કે ‘આ જોઇને સાધુને આહાર લેવા આવશે.' આચાર્યને આ વાતની કોઇ રીતે ખબર પડી ગઇ. તેથી સાધુઓને કહ્યું કે ‘ત્યાં આહાર લેવા જશો નહિં. કેમકે તે આહાર આધાર્મિ છે.’ કેટલાક સાધુઓ ત્યાં આહાર લેવા ન ગયા, પણ જે તે કુળોમાંથી ગોચરી લઈ આવ્યા. જ્યારે કેટલાક સાધુઓએ આચાર્યનું વચન ગણકાર્યું નહિ અને તે આહાર લાવીને વાપર્યો. જે સાધુઓએ આચાર્ય ભગવંતનું વચન સાંભળી, તે આધાર્મિ આહાર લીધો નહિ, તે સાધુઓ શ્રી તીર્થંકર ભગવંતની આજ્ઞાના આરાધક થયા અને પરલોકમાં મહાસુખને મેળવનારા થયા. જ્યારે જે સાધુઓએ આધાર્મિ આહાર વાપર્યો તે સાધુઓ શ્રી જિનેશ્વર ભગવંતની આજ્ઞાના વિરાધક થયા અને સંસાર વધારનારા થયા. માટે સાધુઓએ નિર્દોષ આહાર પાણી આદિની ગવેષણા કરવી જોઇએ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy