SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ [૭૭] s नमो नमो निम्मल सणस्स પંચમગણઘર શ્રી સુધર્માસ્વામિને નામ ( ૪૧ પિંડનિક્યુત્તિ (બીજું મૂળસૂત્ર-ગુર્જરછાયા મોક્ષની પ્રાપ્તિ માટે સંયમ આવશ્યક છે. સંયમ સાધના માનવ દેહથી થાય છે. દેહ ટકાવવા આહાર જરૂરી છે. આ આહાર શુદ્ધિ કે નિર્દોષ આહાર માટે “દસયાલિય” સૂત્રમાં પાંચમું પિપૈષણા નામક અધ્યયન છે. તેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીની રચેલ પિંડનિસ્કુત્તિ છે. જેમાં ભાષ્ય ગાથા પણ છે અને પૂ. મલયગીરી મહારાજની ટીકા પણ છે. (અમે લગભગ ૧૩૫કમાંકપર્વતની નિયુક્તિ-ભાષ્યના અક્ષરશઃ અનુવાદ પછી એવું અનુભવ્યું કે સાધુ-સાધ્વીને પ્રત્યક્ષ અને નિતાંત ઉપયોગી એવા આ આગમનો ગાથાબત અનુવાદ કરવાને બદલે ઉપયોગીતા મૂલ્યવધુ પ્રતીત થાય તે રીતે આવશ્યકતા મુજબ થોડું વિશેષ સંપાદન-સંકલન કરીને અને જરૂર મુજબ વૃત્તિ-ટીકાનો સહારો લઈને જે ગુર્જરછાયા અપાય તો વિશેષ આવકાર્ય બનશે. તેથી ગાથાબદ્ધ ગુર્જરછાયાન કરતાંવિશિષ્ટ પદચ્છેદરૂપેઅનુવાદમૂકેલ છે. માયાચનાસ- મુનિદીપરત્નસાગર [૧-૧૪] પિંડ એટલે સમુહ. તેના ચાર પ્રકાર. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. અહીં સંયમ આદિ ભાવપિંડને ઉપકારક દ્રવ્યપિંડ છે. દ્રવ્યપિંડ દ્વારા ભાવપિંડને સાધી શકાય છે. દ્રવ્યપિંડ ત્રણ પ્રકારે છે. આહાર, શય્યા, ઉપાધિ. આ ગ્રંથમાં મુખ્ય આહારપિંડનો વિચાર કરવાનો છે. પિંડ શુદ્ધિ આઠ પ્રકારે વિચારવાની છે. ઉગમ, ઉત્પાદના, એષણા, સંયોજના, પ્રમાણ, અંગાર, ધૂમ્ર અને કારણ. ઉદ્દગમ- એટલે આહારની ઉત્પત્તિ. એથી ઉત્પન્ન થતા દોષો તે ઉદ્ગમાદિ દોષો કહેવાય છે, તે આધાકમદિ સોળ પ્રકારે થાય છે, આ દોષો ગૃહસ્થ દ્વારા ઉત્પન્ન થાય છે. ઉત્પાદનાએટલે આહારને મેળવવો એમાં થતાં દોષો ઉત્પાદનાદિ દોષો કહેવાય છે, તે ધાત્રી આદિ સોળ પ્રકારે થાય છે. આ દોષો સાધુ દ્વારા ઉત્પન્ન થાય છે. એષણાના-ત્રણ પ્રકારો છે. ગવેષણા એષણા, ગ્રહણ એષણા અને ગ્રાસ એષણા. ગવેષણા એષણાના આઠ પ્રકારો- પ્રમાણ, કાળ, આવશ્યક, સંઘાટ્ટક, ઉપકરણ, માત્રક, કાઉસ્સગ્ન, યોગ અને અપવાદ પ્રમાણ- ભિક્ષા માટે ગૃહસ્થોનાં ઘેર બે વાર જવું. અકાલે ઠલ્લાની શંકા થઈ તો તે વખતે પાણી લેવા. ભિક્ષા વખતે ગોચરી પાણી લેવા. કાળ-જે ગામમાં ભિક્ષાનો જે વખત હોય ત્યારે જવું. આવશ્યક- ઠલ્લા માત્રાદિની શંકા દૂર કરીને ભિક્ષાએ જવું. ઉપાશ્રયની બહાર નીકળતાં “આવસ્યહિ કહેવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy