SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા - ૧૦૭૪ અથવા ઓદન સુપથી ભરેલું બે ગાઉ ચાલીને આવેલો સાધુ વાપરી શકે તેટલા પ્રમાણનું. (માત્રકપાત્ર ગ્રહણની વિધિપણનિર્યુક્લિકમ ૧૦૭૧ થી ૧૦૭૪માં છે.) [૧૦૭પ-૧૦૭૬]ચોલપટ્ટો - સ્થવિર માટે કોમળ, બે હાથ લંબાઈનો, યુવાનો માટે સ્કૂલ ચાર હાથનો ગુલ્વેન્દ્રિય વગેરે ઢાંકવા માટે. જેથી સાધુનું ચારિત્ર સચવાય. | [૧૦૭૭-૧૦૭૮]સંથારો- ઉત્તરપટ્ટો - જીવ અને ધૂળથી રક્ષણ કરવા માટે અઢી હાથ લાંબો અને એક હાથ ચાર આંગળ પહોળો રાખવો. નીચે સંથારિયું પાથરી ઉપર ઉત્તરપટ્ટો પાથરવો. સંથારો ઊનનો અને ઉત્તરપટ્ટો સુતરાઉ રાખવો. [૧૦૭૯]નિષદ્યા - જીવ રક્ષા માટે. એક હાથ પહોળું અને રજોહરણ જેટલું લાંબુ. બે નિષદ્યા રાખવા એક અત્યંતર અને બીજું બાહ્ય. [૧૦૮૦]ઔપગ્રહિક ઉપધિ વષકલ્પ અને પડલાં આત્મરક્ષા તથા સંયમરક્ષા માટે જેઓ ગોચરી આદિ માટે બહાર જતાં હોય તેમણે ચોમાસામાં બે ગુણા રાખવા. કેમકે જો એક રાખે તો તે ભીના થયેલા ઓઢી રાખવાથી પેટના શૂલ વગેરેથી કદાચ મરી જાય, તથા અતિમલીન કપડાં ઓઢ્યા હોય અને ઉપર પાણી પડે તો અપૂકાય જીવોની. વિરાધના થાય, વળી બાકીની ઉપધિ તો એક એક જ રાખવી. [૧૦૮૧]કપડાં શરીર પ્રમાણ કરતાં લાંબાં કે ટુંકા જેવાં મળે તેવા ગ્રહણ કરવાં, પણ લાંબા હોય તો ફાડવા નહિ અને ટૂંકા હોય તો સાંધો કરવો નહિ. [૧૦૮૨-૧૦૮૩]ઔપગ્રહિક ઉપધિમાં દરેક સાધુને દાંડો યષ્ટિ અને વિયષ્ટિ રાખવી તથા ચર્મ, ચર્મકોશ, ચપ્સ, અસ્ત્રો, યોગપટ્ટક અને પડદો વગેરે ગુરુ-આચાર્યને જ ઔપગ્રહિક ઉપધિમાં હોય છે, સાધુને નહિ. આ પ્રમાણે સાધુને ઓઘ ઉપરાંત તપ સંયમને ઉપકારક એવી ઉપાનહ વગેરે બીજી ઔપગ્રહિક ઉપધિ જાણવી. [૧૦૮૪-૧૦૯૫]શાસ્ત્રમાં દંડ પાંચ પ્રકારના છે. : યષ્ટિ - શરીર પ્રમાણ પડદો બાંધવા માટે, વિષ્ટિ - શરીર પ્રમાણ કરતાં ચાર આંગળ જૂન-નાસિકા સુધી. ઉપાશ્રય દ્વારની આડે રાખવા માટે હોય છે. દંડ- ખભા સુધીનો ઋતુબદ્ધકાળમાં ઉપાશ્રયની બહાર ભિક્ષા ભમતાં હાથમાં રાખવા માટે. વિદંડ- કાખ પ્રમાણ વષકાળમાં ભિક્ષા ભમતાં ગ્રહણ કરાય છે. નાલિકા - પાણીની ઊંડાઈ માપવા માટે શરીર પ્રમાણથી ચાર આંગળ અધિક. યષ્ટિના લક્ષણો - એક પર્વની યષ્ટિ હોય તો પ્રશંસાવાળી, બે પર્વની યષ્ટિ હોય તો કલહકારી, ત્રણ પર્વની યષ્ટિ હોય તો લાભકારી, ચાર પર્વની યષ્ટિ હોય તો મૃત્યુકારી. પાંચ પર્વની યષ્ટિ હોય તો શાંતિકારી, રસ્તામાં કલહ નિવારનારી, છ પર્વની યષ્ટિ હોય તો કષ્ટકારી., સાત પર્વની યષ્ટિ હોય તો નિરોગી રહે, આઠ પર્વની યષ્ટિ હોય તો સંપત્તિ દૂર કરે., નવ પર્વની યષ્ટિ હોય તો જશ કરનારી, દશ પર્વની યષ્ટિ હોય તો સર્વ રીતે સંપદા કરે. નીચેથી ચાર આંગળ જાડી, ઉપર પકડવાનો ભાગ આઠ આંગળ ઊંચાઈનો રાખવો, દુષ્ટ પશુ, કૂતરા, કાદવ, તથા વિષમ સ્થાનથી રક્ષા માટે યષ્ટિ રાખવામાં આવે છે. તથા તે તપ અને સંયમને પણ વધારે છે. કેવી રીતે? મોક્ષ પ્રાપ્ત કરવા જ્ઞાન મેળવાય છે. જ્ઞાન માટે શરીર, શરીરના રક્ષણ માટે યષ્ટિ આદિ ઉપકરણો છે. પાત્ર આદિ જે જ્ઞાનાદિના ઉપકાર માટે થાય, તે ઉપકરણ કહેવાય અને જે જ્ઞાન આદિના ઉપકાર માટે ન થાય તે સર્વ અધિકરણ કહેવાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy