SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ હનિજુત્તિ-(૧૦૦૫) અવ્યાઘાત- કોઈ જાતનો વ્યાઘાત ન હોય તો કાલગ્રહી અને દાંડીધર આચાર્ય મહારાજ પાસે જઈને આજ્ઞા માગે કે "અમે કાલગ્રહણ કરીએ ? પછી પણ જો નીચે મુજબના વ્યાઘાતો હોય તો કાલગ્રહણ ન કરે. આચાર્યને પૂછ્યું ન હોય, અથવા અવિનયથી પૂછ્યું હોય વંદન કર્યું ન હોય, આવત્સહી કહી ન હોય, અવિનયથી કહી હોય, પડી જવાય, ઈન્દ્રિયોના વિષયો પ્રતિકૂલ હોય, દિગુમોહ થાય. તારા પડે કે ખરે, અસ્વાધ્યાય હોય, છીંક થાય, ઉજેડી લાગે ઈત્યાદિ વ્યાઘાત-વળ વગેરે હોય તો કાલગ્રહણ કર્યા સિવાય પાછા ફરે. શુધ્ધ હોય, તો કાલગ્રહણ કરે. બીજા સાધુઓ ઉપયોગ પૂર્વક ધ્યાન રાખે. - કાલગ્રહી કેવો હોય ? - પ્રિયધમ, દૃઢધર્મી, મોક્ષસુખનો અભિલાષી, પાપભીરૂ, ગીતાર્થ, સત્વશીલ હોય તેવો સાધુ કાલગ્રહણ કરે. કાલ ચાર પ્રકારના -૧. પ્રાદોષિક, ૨.અર્ધરાત્રિક, ૩.વૈરાત્રિક, ૪.પ્રાભાતિક. પ્રાદોષિક કાલમાં બધા સાથે સાય સ્થાપે, બાકી ત્રણમાં સાથે અથવા જુદા જુદા સ્થાપે. (અહીં નિર્યુક્તિમાં કેટલીક વિધિ તથા અન્ય બાબતોપણ છે જે પરંપરા અનુસાર જાણી લેવી, કેમકે વિધિ અને વર્તમાનપરંપરામાં તફાવત નજરે પડે છે.). ગ્રીખકાલમાં ત્રણ તારા ખરે તો શિશિરકાલમાં પાંચ તારા ખરે તો અને વર્ષાકિાલમાં સાત તારા ખરે તો કાલ હણાય છે. વર્ષાકાલમાં ત્રણે દિશા ખુલ્લી હોય તો પ્રાભાતિક અને ચારે દિશા ખુલ્લી હોય તો ત્રણે કાલગ્રહણ કરાય. વષકાલમાં આકાશમાં તારા ન દેખાય તો પણ કાલગ્રહણ કરાય. પ્રાદેશિક અને અર્ધરાત્રિક કાલ ઉત્તર દિશામાં, વૈરાત્રિકકાલ ઉત્તર કે પૂર્વમાં, પ્રાભાતિકકાલ પૂર્વ માં લેવાય. પ્રાદોષિક કાલ શુધ્ધ હોય, તો સ્વાધ્યાય કરીને પહેલી બીજી પોરિસી જાગરણ કરે, કાલ શુધ્ધ ન આવે તો ઉત્કાલિક સૂત્રનો સ્વાધ્યાય કરે કે સાંભળે. અપવાદ - પ્રાદોષિક કાલ શુધ્ધ હોય, પણ અધરાત્રિક શુધ્ધ ન હોય તો પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. આ પ્રમાણે વૈરાત્રિક શુધ્ધ ન હોય, પણ. અર્ધરાત્રિક શુધ્ધ હોય તો અનુગ્રહ માટે પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. એ પ્રમાણે વૈરાત્રિક શુધ્ધ હોય અને પ્રાભાતિક શુધ્ધ ન હોય તો પ્રવેદન કરીને સ્વાધ્યાય કરે. સ્વાધ્યાય કર્યા બાદ સાધુ સુવે. આ પ્રમાણે ધીર પુરુષે કહેલ સમાચારી જણાવી. [૧૦૦-૧૦૦૦]ઉપકાર કરે તે ઉપધિ કહેવાય છે. તે દ્રવ્યથી શરીરને ઉપકાર કરે છે અને ભાવથી જ્ઞાન, દર્શન ચારિત્રને ઉપકાર કરે છે. આ ઉપધિ બે પ્રકારની છે. એક ઓઘ ઉપધિ એક બીજી ઉપગ્રહ ઉપધિ તે બને પાછી સંખ્યા પ્રમાણ અને માપ પ્રમાણથી બન્ને પ્રકારની આગળ કહેવાશે તે પ્રમાણેની જાણવી. ઓથ ઉપધિ - એટલે જે નિત્ય ધારણ કરાય. ઉપગ્રહ ઉપધિ- એટલે જે કારણે સંયમના માટે ધારણ કરાય. [૧૦૦૮-૧૦૧૦]જિનકલ્પિની ઓઘ ઉપધિ - બાર પ્રકારે કહી છે. પાત્રા, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા-પાત્ર પડિલેહવાની મુહપત્તિ, પડલા, રજત્રાણ, ગુચ્છો, ત્રણ કપડાં, ઓઘો, અને મુહપત્તિ હોય છે. બાકી ૧૧-૧૦-૯-૫-૪૩ અને અન્ય જઘન્ય બે પ્રકારથી પણ હોય છે. બે પ્રકારમાં ઓઘો, મુહપતિ, તો અવશ્ય દરેકને હોય જ. ત્રણ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, એક વસ્ત્ર. ચાર પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, બે વસ્ત્ર. પાંચ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ ત્રણ વસ્ત્ર. નવ પ્રકારમાં ઓઘો, મુહપત્તિ પાત્ર, ઝોળી, નીચેનો ગુચ્છો, પાત્રકેસરિકા , પડલા, રસ્ત્રાણ, ગુચ્છો, અને એક વસ્ત્ર. અગીઆર પ્રકારમાં ઓઘો, મુહપત્તિ, પાત્ર, ઝોળી, નીચેનો, ગુચ્છો, પાત્રકેસરિકા, પડલા, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy