SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૦ અનુગદારાઈ -(૩૪૦) સમ્યક્ત્વ અને શ્રત સામાયિકની સ્થિતિ ૬૬ સાગરથી કંઈક અધિક, ચારિત્રસામાયિકની સ્થિતિ દેશઉણ કોડ પૂર્વની છે. સામાયિક કેટલી ? સમ્યકત્વને શ્રુતસામાયિકની અપેક્ષાએ અસંખ્યાત, સર્વવિરતિ આશ્રીને પૃથકત્વસહસ્ત્ર, દેશવિરતિઆશ્રી અસંખ્યાત. અંતર કેટલું પડે ? એક જીવ આશ્રી જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટ અધપુદ્ગલપરાવર્તન. વિરહ – સવજીવઆશ્રી વિરહ નથી. સામાયિકના કેટલા ભવ ? આરાધકઆશ્રીને જધન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ. આકર્ષ - સમ્યકત્વ અસંખ્યાતવાર આવે. એક ભવ આશ્રીને સામાયિકચારિત્ર પૃથકત્વ હજાર વાર આવે. સામાયિક કેટલા ક્ષેત્રને સ્પર્શે. એક જીવ આશ્રિત સંખ્યાનમાં ભાગને. નિરુક્તિ - સમ્યક પ્રકાર યુકિત પદરૂપ લાભની પ્રાપ્તિ થાય તે સામાયિકની નિરુક્તિ. આ ઉપોદ્દઘાત નિયુક્તિ અનુગમનું કથન થયું. " [૩૪૦-૩૪૨] સૂત્રસ્પર્શિક નિયુક્તિ શું છે? સૂત્રનો સ્પર્શ કરનાર નિયુકિત તે સૂત્રસ્પર્શિક નિયુક્તિ છે. સૂત્રના ઉચારણ કરવાની વિધિ- સૂત્રનું ઉચ્ચારણ અસ્મલિત, અમીલિત, અવ્યત્યાગ્રંડિત, પ્રતિપૂર્ણ, પ્રતિપૂર્ણઘોષ યુકત, કંઠોષ્ઠ વિપ્રમુક્ત, તથા ગુરવાચનોપગત હોય. આ પ્રકારે સર્વ દોષોથી રહિત સૂત્રનો ઉચ્ચાર કરવાથી જણાશે કે આ સ્વસમયનું પદ છે, આ પરસમયપદ છે કે બંધપદ છે કે મોક્ષપદ છે. આ સામાયિકપદ છે અથવા નોસામાયિક પદ છે. આ ઉપરાંત સૂત્રના વિધિપૂર્વક નિર્દોષ ઉચ્ચારણથી જ કેટલાક સાધુ ભગવંતોને અર્થનો બોધ થઈ જાય છે અને ક્ષયોપશમની વિચિત્રતાથી કેટલાક અધિકારો અનધિગત અધિકારોનો અધિગમ થાય સંહિતા - અખ્ખલિત રૂપથી મૂળ પાઠનું ઉચ્ચારણ કરવું. પદ - મૂળ પાઠમાં આવેલા પદોને અલગ કરવા. પદવિગ્રહ પ્રકૃતિ – પ્રયત્ન આદિ દેખાડી અર્થ કહેવો. ચાલના – સૂત્રની અથવા અર્થની અનુપપત્તિનું ઉદુભાવન કરવું - પ્રસિદ્ધિ -સમાધાન. સૂત્ર અને તેના અર્થની યુક્તિઓ વડે સ્થાપના કરવી. આ છ પ્રકારોથી સૂત્રની વ્યાખ્યા થાય છે. આ પ્રમાણે સૂત્રસ્પર્શિકાનિયુક્તિ અનુગમનું વર્ણન પૂર્ણ થયું. [૩૪૩-૩૪૮] નય શું છે? મૂળ નયો સાત છે, નૈગમન સંગ્રહન વ્યવહારનય ઋજુસૂત્રનય શબ્દનય સમભિરૂઢનય અને એવંભૂતનય નૈગમનય -મહાસત્તા, સામાન્ય તેમજ વિશેષ આદિ અનેક પ્રકારોથી વસ્તુનો પરિચ્છેદ કરનાર નૈગમનાય છે. હવે બાકીના છ નયના લક્ષણો કહું છું . સમ્યકુ ગૃહીત અતએ એક જાતિનું પ્રાપ્ત એવો અર્થ જેનો વિષય છે એવું સંગ્રહાયનું વચન છે. તાત્પર્ય આ છે કે સંગ્રહનયનો વિષય સામાન્ય જ છે વિશેષ નહિ, જેમકે આત્મા એક છે. વ્યવહાર સર્વ દ્રવ્યોના વિષયમાં વિનિશ્ચય નિમિત્તે પ્રવૃત્ત થાય છે, જેમકે પાંચ વર્ષના વસ્ત્રમાં રક્તવર્ણ અધિક હોય તો લોકવ્યવહારમાં રકતવસ્ત્ર કહે. જુસૂત્રનવિધિ પ્રત્યુત્પન્નગ્રાહી હોય છે. તે વર્તમાનકાળને જ માને છે. અતીત અનાગતને સ્વીકારતો નથી. ઋજુસૂત્રનયની અપેક્ષાએ શબ્દનય સૂક્ષ્મ વિષયવાળો છે. શબ્દનો વિષય જો કે વર્તમાનકાળવર્તી પદાર્થજ છે પરંતુ તે લિંગ, કારક, વચન આદિના ભેદથી વાચ્યાર્થમાં પણ ભેદ માને છે. સમભિરૂઢનય ઈન્દ્રાન્ટિ વસ્તુનું અન્યત્ર શક્રાદિમાં સંક્રમણને અવસ્તુનું - અવાસ્તવિક માને છે. અર્થાત ભેદ વ્યુત્પત્તિના ભેદથી શબ્દના અર્થમાં ભેદ માને છે. એવંભૂતનય વ્યંજન - શબ્દ અને તદુભયને વિશેષરૂપે સ્થાપિત કરે છે. તાત્પર્ય એ છે કે જ્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy