SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર- ૩ર૬ ૩૮૫ દ્રવ્યાધ્યયન ભવ્ય શરીરદ્રવ્યાધ્યયન જ્ઞાયકશરીર ભવ્ય શરીરાતિરિકત- અધ્યયન. ભંતે ! જ્ઞાયક શરીÁવ્યાધ્યયન શું છે ? અધ્યયનસૂત્રના પદાર્થને જાણનારનું શરીર કે જે ચૈતન્યથી રહિત, ટ્યુતચ્યાવિત. -ત્યકતદેહ- શય્યાગત, સંસ્મારકગત, સ્વાધ્યાયભૂમિ કે સ્મશાનગત અથવા સિદ્ધશિલા-તે સ્થાનગત જોઈને કોઈ કહે-“અહો ! આ શરીરરૂપ પુદ્ગલસંઘાતે જિનપ્રણીત ભાવનું અધ્યયન કર્યું હતું. સામાન્ય રૂપે પ્રજ્ઞાપિત, પ્રરૂપિત, દર્શિત, નિદર્શિત, ઉપદર્શિત કર્યું હતું.' તેવું આ શરીર જ્ઞાયકશરીદ્વવ્યાધ્યયન છે. તેના પર કોઈ દ્રષ્ટાંત છે? - જેમ ઘડામાંથી મધ અને ઘી કાઢી. નાખ્યાં પછી કોઈ કહે કે આ મધનો કે ઘી નો ઘડો છે. આ પ્રમાણે જ્ઞાયકશરીર દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ છે. અંતે ! ભવ્ય શરીરયદ્રવ્યાધ્યયન શું છે ? સમય પૂર્ણ થવાપર યોનિ સ્થાનમાંથી જે જીવ બહાર નીકળ્યો છે તે જીવ તે પ્રાપ્ત શરીર દ્વારાજ જિનોપદ્દિષ્ટ ભાવ અનુસાર અધ્યયનપદોને ભવિષ્યમાં શીખશે, વર્તમાનમાં શીખી રહ્યો નથી એવા તે ભવ્યજીવનું શરીર “ભવ્ય શરીરદ્રવ્યાધ્યયન’ કહેવાય છે. જેમ મધ અને ઘી ભરવાના ઘડામાં હજુ મધ કે ઘી ભર્યું નથી છતાં પણ તે ઘડાને મધુકુંભ કે ધૃતકુંભ કહેવો. આવું ભવ્ય શરીરદ્રવ્યાધ્યયનનું સ્વરૂપ છે. ભંતે ! જ્ઞાયકશરીર-ભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યાધ્યયનનું સ્વરૂપ કેવું છે ? પાના અને પુસ્તકમાં લખેલા અધ્યયનનો જ્ઞાયકશરીરભવ્ય શરીર વ્યતિરિકત દ્રવ્યાધ્યયન જાણવું. આ પ્રમાણે નોઆગમ દ્રવ્યાધ્યય અને દ્રવ્યાધ્યયનનું વર્ણન પૂર્ણ થયું. ભંતે ! ભાવાધ્યયન શું છે ? ભાવાધ્યયનના બે પ્રકાર પ્રરૂપવામાં આવેલ છે. તે આ પ્રમાણે આગમભાવાધ્યયન નોઆગમભાવાધ્યયન.. ભતે ! આગમભાવાધ્યયનનું સ્વરૂપ કેવું છે? જે અધ્યયનનો જ્ઞાયક હોય અને તેમાં ઉપયોગયુક્ત હોય છે તે આગમભાવાધ્યયન કહેવાય. ભંતે ! નોઆગમભાવાધ્યયનનું સ્વરૂપ કેવું છે? સામાયિકાદિ અધ્યયનનો નોઆગમભાવાધ્યયોનો છે. અધ્યાત્મ એટલે ચિત્તને સામાયિકાદિ અધ્યયનોમાં લગાડવું. તે અધ્યયનોમાં ચિત્ત સંયોજિત કરવાથી ચિત્તમાં નિર્મળતા આવે તેથી કર્મબંધ થાય અને પૂર્વબદ્ધકમોની નિર્જરા થાય છે. તેથી તીર્થકરો અને ગણધરોએ સામાયિકાદિને નોઆગમભાવાધ્યયન કહેલ છે. આ પ્રમાણે નોઆગમભાવાધ્યયન અને સાથોસાથ અધ્યયનનું નિરૂપણ પૂર્ણ થયું. [૩ર૭-૩૨૮] ઓઘનિષ્પન્ન નિક્ષેપના દ્વિતીયભેદ “અક્ષીણ’ નું સ્વરૂપ કેવું છે? અક્ષીણના ચાર પ્રકાર કહેવામાં આવ્યાં છે. - નામઅક્ષણ, સ્થાપનાઅક્ષીણ, દ્રવ્યઅક્ષીણ અને ભાવઅક્ષણ. નામઅક્ષીણ અને સ્થાપનાઆવશ્યકની જેમ જાણી લેવું. દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે ? તેના બે પ્રકારો. આગમથી અને નોઆગમથી. આગમથી દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? જેણે અક્ષણપદને શીખી લીધુ છે, જિત, મિત પરિમિત કરેલ છે યાવતું ઉપયોગથી શૂન્ય છે તે આગમથી દ્રવ્યઅક્ષીણ છે. ભંતે ! નોઆગમદ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? નોઆગમદ્રવ્યઅક્ષીણના ત્રણ પ્રકાર પ્રરૂપ્યા છે.-જ્ઞાયકશરીરદ્રવ્યઅક્ષણ, ભવ્ય શરીરદ્રવ્યઅક્ષીણ, અને જ્ઞાયકશરીર- ભવ્યશરીર વ્યતિરિકત દ્રવ્યઅક્ષીણ. ભંતે! જ્ઞાયકશરીર દ્રવ્ય અક્ષણનું સ્વરૂપ કેવું છે? અક્ષણપદના અધિકારનો જે જ્ઞાતા છે તે જ્ઞાતાનું જે શરીર કે જે વ્યપગત, શ્રુત, ચ્યાવિત અને ત્યકત અથતુ નિર્જીવ થઈ ગયું હોય તે જ્ઞાય કશરીરદ્રવ્યઅક્ષણ છે. યાવતું દ્રવ્યાધ્યયનની જેમ જાણવું. ભંતે ! ભવ્યશરીર દ્રવ્યઅક્ષણનું સ્વરૂપ કેવું છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy