SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૩ સુત્ર-૩૦૮ વિપરીતતામાં પણ ત્રણ પ્રકાનું ગ્રહણ થાય છે. અતીતકાળ ગ્રહણ, પ્રત્યુત્પન્ન કાળગ્રહણ, અનાગત કાળ ગ્રહણ. –ભંતે ! અતીતકાળ ગ્રહણ શું છે? તૃણ રહિત વનો, અનિષ્પન્ન ધાન્ય યુક્ત ભૂમિ, હુષ્કકુંડ, સર, નદી, દીથિંક, જળાશય વગેરે જોઈ અનુમાન કરવું કે આ દેશમાં વૃષ્ટિ થઈ નથી. તે અતીતકાળ ગ્રહણ છે. પ્રત્યુત્પન્નકાળગ્રહણ શું છે? ભિક્ષાર્જન માટે આવેલ કોઈ સાધુને લાભથી વંચિત જોઈને અત્યારે અહીં દુભિક્ષ છે એવું અનુમાન કરવું તે પ્રત્યુત્પન્નકાળ ગ્રહણ છે. [૩૦૮-૩૦૯]અનાગતકાળગ્રહણ શું છે? દિશાઓ સધૂમ હોય, પૃથ્વી ફાટી ગઈ હોય, છિદ્રો પડી ગયા હોય, પવન દક્ષિણ દિશાનો વહેતો હોય,આ વૃષ્ટિના અભાવના ચિહ્નો જોઈ તથા અગ્નિ કે વાયુ જોઈને “અહીં વૃષ્ટિ થશે નહીં. આવું અનુમાન કરવું તે અનાગતકાળ ગ્રહણ છે. આ વિશેષદષ્ટસાધર્મવતું અનુમાનનું સ્વરૂપ જાણવું. ઉપમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? –ઉપમાવડે વસ્તુસ્વરૂપને જાણવું. તે ઉપમાનપ્રમાણ. તેના બે પ્રકાર છે. સાધમ્યપનીત અને વૈધમ્યપનીત. સાધમ્યપનીત શું છે? –સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે સાધમ્યોપનીત છે તેના ત્રણ ભેદ છે. કિંચિતસાધમ્યપનીત, પ્રાયસાધમ્યપનીત અને સર્વસાધર્મોપનીત. તે કિંચિત્સાધમ્યપનીત શું છે ? કંઈક સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે કિંચિતુસાધોપનીત છે.જેવો મંદર છે તેવો સર્ષપ છે. જેવો સર્ષપ છે તેવો મેરુ છે. જેવો સમુદ્ર તેવો ગોષ્પદ જેવો ગોષ્પદ તેવો સમુદ્ર જેવો આદિત્ય તેવો ખદ્યોત-આગિયો, જેવો ખદ્યોત તેવો આદિત્ય જેવો ચંદ્ર તેવું કદ, જેવું કુમુદ તેવો ચંદ્ર આ રીતે કિંચિત્ સાધમ્ય પનીત છે. પ્રાયસાધમ્યપનીતનું સ્વરૂપ કેવું છે ? અધિકાંશ-સમાનતાના આધારે ઉપમા આપવામાં આવે તે પ્રાયસાધમ્યોપનીત છે. જેવી ગાય તેવો ગવય (રોઝ) છે. જેવો ગવાય તેવી ગાય છે. આ પ્રાય સાધમ્યપનીત છે. -ભંતે! સર્વસાધમ્યપનીત શું છે? –સર્વ પ્રકારોથી સમાનતા પ્રગટ કરવામાં આવે તે સર્વસાધમ્યપની છે. અત્રે શંકા થાય કે સર્વપ્રકારથી સમાનતા તો કોઈ સાથે ઘટિત થઈ શકે નહીં કારણ કે જો બંનેમાં સર્વપ્રકારે સમાનતા ઘટિત થાયતો બંનેમાં એકતા પ્રાપ્ત થવાનો પ્રસંગે ઉપસ્થિત થાય. આ શંકાનો ઉત્તર આ છે કે એક વસ્તુની બીજી વસ્તુ સાથે સર્વપ્રકારે સમાનતા નથી હોતી પરંતુ અત્રે તે સમાનતા તેની સાથે જ પ્રગટ કરી છે. બીજા સાથે નહિ. તે આ પ્રમાણે-અહંતોએ અહંન્તો જેવું કર્યું. ચક્રવર્તીએ ચક્રવર્તીઓના જેવું કર્યું. બળદેવે બળદેવોના જેવું કર્યું વાસુદેવે વાસુદેવોના જેવું કર્યું, સાધુએ સાધુઓના જેવું કર્યુંઆ સર્વસાધમ્યોપનીત છે. વૈધયોપનીત શું છે? -બે કે વધુ પદાર્થોમાં વિલક્ષણતા પ્રગટકરવામાં આવે તે વૈધમ્યપનીત. તેના ત્રણ પ્રકાર છે. કિંચિતુવૈધમ્યપનીત પ્રાય વૈધમ્યપનીત અને સર્વવૈધમ્યપનીત. કિંચિત્વૈધમ્યપનીત શું છે ? –કોઈક ધર્મની વિલક્ષણતા પ્રગટ કરવી તે કિચિતુવૈધમ્યપનીત છે. જવું શબલાગાયનું વાછરડું હોય તેવું બહુલા ગાયનું વાછરડું હોતુ નથી, જેવું બહુલાગાયનું વાછરડુ હોય તેવું શબલાગાયનું વાછરડુ હોતુ નથી. આરીતે કિંચિત વૈધમ્યપનીતનું સ્વરૂપ જાણવું. પ્રાયવૈધમ્યોપનીત શું છે ? - અધિકાંશરૂપમાં અનેક અવયવગત વિસદશતા પ્રગટ કરવી તે પ્રાયધર્મો પનીત છે. જેવો વાયસ (કાગડો) તેવું પાયસ (દૂધપાક) હોતું નથી, જેવું પાયસ હોય છે તેવો વાયસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy