SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૬૭ ૫૩ લાખ યોજન પ્રમાણ છે. અસુરકુમારની અવગાહના પ્રમાણે જ નાગકુમારોથી લઇ સ્તનિતકુમા૨ોસુધી સમસ્ત ભવનવાસી દેવોની અવગાહનાનું પ્રમાણ જાણવું જોઇએ. પૃથ્વીકાયિક જીવોની શીરાવગાહના કેટલી કહી છે ? પૃથ્વીકાયિક જીવોની જઘન્ય શરીરાવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ પણ અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ કહી આજ પ્રમાણે સામાન્યરૂપે સૂક્ષ્મ પૃથ્વીકાયિકજીવોની અને વિશેષથી સૂક્ષ્મ અપર્યાપ્તા અને પર્યાપ્ત પૃથ્વીકાયિક જીવો ની યાવત્ બાદર વાયુકાયિકજીવોની શરીરાવગાહના જાણવી. વનસ્પતિકાયિક જીવો ની શરીરાવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ કંઇક અધિક એક હજાર યોજનપ્રમાણ. સામાન્યરૂપે સૂક્ષ્મવનસ્પતિ અને વિશેષ રૂપે અપર્યાપ્ત, પર્યાપ્ત, સૂક્ષ્મ વનસ્પતિકાયિકજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યા તમા ભાગપ્રમાણ છે. સામાન્યરૂપે બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ સાધિક હજાર યોજન પ્રમાણ છે. વિશેષે અપર્યાપ્ત બાદરવનસ્પતિકાયિકજીવોની જઘન્ય અને ઉત્કૃટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. પર્યાપ્ત બાદર વનસ્પતિકાયિક જીવોની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃટ સાધિક હજાર યોજન છે. દ્વીન્દ્રિયજીવોની અવગાહના કેટલી ? સામાન્યરૂપથી દ્વીન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના એંગલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ બાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્ત દ્વીન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. પર્યાપ્ત દ્વીન્દ્રિયજીવોની ઘન્ય અવગાહના અંગુલના અંસખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ૧૨ યોજન પ્રમાણ છે. ત્રિન્દ્રિયજીવોની અવગાહનાનું પ્રમાણ કેટલું છે ? સામાન્યરૂપે ત્રીન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉપ્રમાણ છે. અપર્યાપ્ત ત્રિન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણછે. પર્યાપ્ત ત્રીન્દ્રિયજીવોની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉપ્રમાણ અવગાહના હોય છે. ચઉરિન્દ્રિયજીવોની અવગાહનાનું પ્રમાણ કેટલું છે ? સામાન્યરૂપે ચઉરિન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ચારગાઉ પ્રમાણ. અપર્યાપ્ત ચૌઇન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ. પર્યાપ્ત ચૌઇન્દ્રિયજીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ ચારગાઉ પ્રમાણ છે. તિર્યંચપંચેન્દ્રિયજીવોની અવગાહના કેટલી ? સામાન્યરૂપે તિર્યંચપંચેન્દ્રિય જીવોની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર યોજનપ્રમાણ છે. જળચર તિર્યંચપંચેન્દ્રિય જીવોની અવગાહના સામાન્યરૂપે સંમૂર્ણિમ જળચર તિર્યંચપંચેન્દ્રિયની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણ અને ઉત્કૃષ્ટ હજાર યોજન પ્રમાણ છે. અપર્યાપ્ત સંમૂર્છિમ હજાર યોનજપ્રમાણ છે. અપર્યાપ્ત સંમૂર્ણિમ જળચર તિર્યંચપંચેન્દ્રિયજીવોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ છે. પર્યાપ્ત સંમૂર્છિમજળચર તિર્યંચપંચેન્દ્રિય 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy