SearchBrowseAboutContactDonate
Page Preview
Page 354
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૨૬૫ ૩૫૧ સમુદાય-સમિતિના સમાગમથી ઉત્પન્ન થાય છે. તે વ્યાવહારિક પુદ્ગલ પરમાણુ તલવાર કે છરાધાર ને અવગાહિત કરી શકે છે ? હા, એમ થઈ શકે છે. શું તે તેનાથી છેદાઈ-ભેદાઈ શકે છે ? આ અર્થ સમર્થ નથી કારણ કે વ્યાવહારિકગલપરમાણુ યદ્યપિ સ્કંધરૂપ છે છતાં સૂક્ષ્મ-પરિણત હોવાથી છેદાતો-ભેદાતો નથી. તે વ્યાવહારિક પરમાણુ શું અગ્નિના મધ્યમભાગમાં થઈને પસાર થઈ જાય છે? હા, પસાર થઈ જાય છે. તેમાં તે બળી જાય છે? આ અર્થ સમર્થ નથી કેમકે અગ્નિરૂપ શસ્ત્રની તેનાપર અસર થતી નથી. તે વ્યાવહારિક પરમાણુ શું પુષ્કરસંવર્તક નામક મેઘની મધ્યમમાંથી પસાર થઈ શકે છે? હા, તે પસાર થઈ જાય છે. તેના પાણીમાં તે ભીનો થાય છે? આ અર્થ સમર્થ નથી. કેમકે પાણીરૂપ શસ્ત્રની તેના પર અસર થતી નથી. શું તે વ્યાવહારિક પરમાણુ ગંગા મહાનદીના પ્રતિસ્રોતમાં શીઘ્રતાથી ગતિ કરે છે ? હા, તે પ્રતિકૂલ પ્રવાહમાં શીધ્ર ગતિ કરી શકે છે. શું તે તેમાં પ્રતિખ્ખલના પામે છે? આ અર્થ સમર્થ નથી કારણ કે તેના પર પ્રતિખ્ખલના રૂપ શસ્ત્રની અસર થતી નથી. શું તે વ્યાવહારિકપરમાણુ ઉદકાવર્ત-જળભ્રમમાં અથવા જળબિંદુમાં અવગાહિત થઈ શકે છે? હા, તે થઈ શકે છે. તો શું તે તેમાં પ્રતિભાવને પ્રાપ્ત થાય છે અથવા જળરૂપ પરિમિત થઈ જાય છે?આ એર્થ સમર્થ નથી. કારણકે આ શસ્ત્રની તેના પર અસર થતી નથી. [૨૬] કેવળજ્ઞાનીઓએ કહ્યું છે કે પરમાણુનું સુતીક્ષ્ણ શસ્ત્રવડે છેદન-ભેદન કરી શકાતું નથી. આ પરમાણું સર્વ પ્રમાણોની આદિ છે . [૨૭] અનંત વ્યાવહારિકપરમાણુઓના એકમેક થઈ મળવાથી ઉશ્લષ્ણ ગ્લક્ષિણકા, તેનાથી પ્લેક્ષમ્પ્લક્ષણિકા, તેનાથી ઉધ્વરિષ્ણુ પોતાની મેળે કે પવનથી પ્રેરિત થઈ ઉર્ધ્વ, અધો, તિર્ય દિશામાં ઉડતા ધૂળ રેણુ, તેનાથી ત્રસરેણુ-જે ધૂળકણો પવનથી પ્રેરિત થઈ આમતેમ ઉડતા રહે અને તેનાથી રથરેણુ-ગતિમાન રથના ચક્રથી ઉખડી જે ધૂળ તેની પાછળ ઉડે છે તે, ઉત્પન્ન થાય છે. આઠ ઉતુ-શ્લષ્ણશ્લમ્બ્રિકાથી એક શ્લષ્ણશ્લેક્સિકા, આઠ ગ્લણશ્લક્ષ્ણિ કાઓથી એક ઉધ્વરણ, આઠ ઉધ્વરણુઓથી એક ત્રસરેણુ, આઠ ત્રસરેણુઓથી એક રથરેણુ, આઠ રથરેણુઓથી એક દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્યોનું બાલાઝ, દેવકુઉત્તરકરના માણસોના આઠબાલાગ્રોથી હરિવર્ષ-રમ્યqર્ષના માણસોનું એક બાલાગ્ર, હરિવર્ષ-રમ્યqર્ષના માણસોના આઠબાલાગ્રોથી હૈમવત-હૈરણ્યવતના માશોનું એક બાલાઝ. હૈમવત-રણ્યવતના માણસોના આઠબાલાગ્રોથી પૂર્વવિદેહ-અપરવિદેહના માણસોનું એક બાલાઝ.પૂર્વવિદેહ-અપરવિદેહના માણસોના આઠ બાલાગ્રોથી ભરતઐરાવતક્ષેત્રના માણસોનું એકબાલાઝ. ભરતઐરવતક્ષેત્રના માણસોના આઠ બાલાગ્રોની એક લિક્ષા, આઠ લિક્ષાઓની ધૂકા, આઠ યૂકાઓથી યવમધ્ય અને આઠ યવમધ્યનો એક અંગુલ થાય છે. આ અંગુલપ્રમાણથી છ અંગુલનો એક પાદ થાય છે. બાર અંગુલની વિતસ્તિ, ૨૪ અંગુલની રત્નિ, ૪૮ અંગુલની કુક્ષિ, દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ તથા મુસલ, આ ધનુષ પ્રમાણથી બે હજાર ધનુષ્યનો એક ગભૂત-કોસ થાય છે. ૪ ગભૂતનો યોજન થાય છે. આ ઉત્સોધાંગુલથી કયા પ્રયોજનની સિદ્ધિ થાય છે ? આ ઉત્સધાંગલથી નારકો, તિર્યંચો, મનુષ્યો અને દેવોના શરીરની અવગાહના મપાય છે. નારક જીવોના શરીરની અવગાહના કેટલી કહી છે ? નારકજીવની અવગાહના Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy