SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર- ૨૪૭. ૩૪૫ પિતા ભગ અમ સવિતા ત્વષ્ટા વાયુ દ્વાગ્નિ મિત્ર ઈદ્ર નિઋતિ અંભ વિશ્વ બ્રહ્મા વિષ્ણુ વસુવર્ણ અજ વિવદ્ધિ પૂષા અશ્વ યમ.આ ૨૮દેવતાઓના નામ છે. [૨૪૭ કુળનામ શું છે? જે વ્યક્તિ જે કુળમાં ઉત્પન્ન થાય તે કુળના નામ પરથી તેનું નામ રાખવામાં આવે તે કુળસ્થાપનાપ્રમાણનિષ્પન્નનામ કહેવાય છે. ઉગ્રકુલમાં ઉત્પન્ન થવાથી “ઉગ્ર’ નામ રાખવું, ભોગકુલમાં ઉત્પન્ન થવાથી ભોગ” તે પ્રમાણેરાજકન્યકુલ, ક્ષત્રિયકુલ, ઐક્વાકુકુલ, જ્ઞાનકુલ, કૌરવ્યકુલ, વગેરે કુલના આધારે નામ સ્થાપિત કરવામાં આવે છે. તે આ પ્રમાણે કુલનામો છે. પાખંડનામ શું છે? જેને જે પાખંડ (વ્રત)ને આશ્રય લીધો હોય તે પરથી તેનું નામ રાખવામાં છે. તે પાખંડનામ છે. તે આ પ્રમાણે- નિગ્રંથ, શાક્ય, તાપસ, બૈરિક, આજીવક, આ પાંચ પ્રકારના વ્રતને આધારે શ્રમણ' એવું નામ સ્થાપિત થાય છે. ભસ્મથી લિપ્ત જેનું શરીર હોય તેના શવ પાડુંરાંગ’ કહેવાય છે. બુદ્ધદર્શનને માનનારા ભિક્ષુ' કહેવાય છે. ચિતાભસ્મને શરીરપર લગાડનાર “કાપાલિક' કહેવાય છે. વનમાં રહી તપ કરનાર “તાપસ” અને ઘરનો ત્યાગ કરી જનાર પરિવ્રાજક' કહેવાય છે. તેના આધારે જે નામ રાખવામાં આવે છે તે પાખંડ સ્થાપનાનિષ્પનનામ કહેવાય છે. ગણનામ શું છે ? આયુધજીવિઓનો સમૂહ ગણ કિહેવાય છે. તેના પરથી કોઈનું નામ રાખવામાં વે તો તે ગણનામ કહેવાય છે. જેમકમલ્લ, મલદત્ત, મલ્લધર્મ, મલ્લશમ, મલ્લદેવ, મલ્લદાસ, મલ્લસેન, મલ્લરક્ષિત વગેરે નામ ગણસ્થાપનાનિષ્પન્નનામ છે. જીવિતનામ શું છે ? જે સ્ત્રીના સંતાન જન્મ પામતાજ મરણ પામતા હોય તેવી સ્ત્રીના બાળકોને દીર્ઘકાળ સુધી જીવિત રાખવા જે નામ રાખવામાં આવે છે તેને જીવિતનામ કહે છે. જેમકે- કચરો ઉકરડો ઉજ્જિતક કચવર સપડિયો આદિ. આ પ્રમાણે જીવિતનામ જાણવા. આભિપ્રાયિક નામ શું છે ? ગુણની અપેક્ષા રાખ્યા વિના લોકરુઢિઅનુસાર અને પોતાના અભિપ્રાય પ્રમાણે જે નામ રાખવામાં વે તેને આભિપ્રાયિકનામ કહેવામાં આવે છે. અંબક, નિબક, બકુલક, પલાશક, સ્નેહક, પીલુક, કરીરક, વગેરે આભિપ્રાયિક નામ જાણવા. આ પ્રમાણે સ્થાપના પ્રમાણનું કથન પૂર્ણ થયું. હે ભદત ! દ્રવ્યપ્રમાણ કેટલા પ્રકારે છે ? દ્રવ્યપ્રમાણના છ પ્રકાર પ્રરૂપ્યા છે, ધમસ્તિકાય, યાવતુ અદ્ધાસમય આ રીતે દ્રવ્ય પ્રમાણ જાણવું. ભાવપ્રમાણ એટલે શું ? ભાવપ્રમાણ સામાસિક, તદ્ધિતજ, ધાતુજ અને નિરુકિતજ રૂપ ચાર પ્રકારે છે. [૨૪૮] ભદત ! સામાસિક ભાવપ્રમાણ એટલે શું ? બે કે તેથી વધારે પદોની વિભક્તિનો લોપ કરી ભેગા કરવામાં આવેલ પદને સમાસ કહે છે. તે સમાસ સાત હોય છે. તે આ પ્રમાણે- દ્વન્દ્ર બહુદ્વીતિ કર્મધારય દ્વિગુ તત્પરુષ અવ્યયીભાવ એકશેષ. [૨૪૯ ભદત ! દ્વન્દ્રસમાસ એટલે શું? જે સમાસના બધા પદો પ્રધાન હોય અને વિગ્રહ કરતાં પદોનો સંબંધ થ' કે “અને' થી થાય તેને દ્વન્દ્રસમાસ કહે છે.બહુવ્રીહિ સમાસ શું છે? સમાસમાં આવેલ પદો જ્યારે પોતાથી ભિન્ન કોઈ અન્ય પદાર્થનો બોધ કરાવે એટલે જે સમાસ અન્ય પદાર્થ પ્રધાન હોય ત્યારે તે બહુવ્રીહિ સમાસ કહેવાય છે. જેમ આ પર્વત ઉપર કુટજ, કદંબવૃક્ષો પુષ્પિત છે તેથી આ પર્વત “ફુલ્લકુટજકંબ” છે. અહીં “ફુલ્લકુટજકદંબ બદ્રીહિસમાસ છે. ભદત ! કર્મધારય સમાસ શું છે ? જેમાં ઉપમાન-ઉપમેય, વિશેષણ-વિશેષ્યનો સમાસ થાય તે કર્મધારય સમામસ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy