SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ સુત્ર- ૧૩૮ ૩૨૭. ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે-પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અને અનાનુપૂર્વી. પૂવનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એક, દસ, સો, હજાર, દસ હજાર, લાખ, દસ લાખ, કરોડ, દસ કરોડ, અબજ, દસ અબજ, આ રીતે ગણતરી કરવી તે પૂવનુપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? દસ અબજથી લઈ ઉલ્ટા ક્રમે એક સુધીની ગણતરી કરવી તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈને દસ અબજ પર્યતની એક-એકની વૃદ્ધિવાળી. શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ ઉત્પન્ન થાય તેમાંથી આદિ અને અંતના બે ભંગને બાદ કરતાં જે ભંગો બાકી રહે તે અનાનુપૂર્વી છે. [૧૪૧] સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? સંસ્થાનાનુપૂર્વીની-આકારની પરિપાટીના ત્રણ પ્રકાર છે, તે આ પ્રમાણે પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી પૂવનુપૂર્વી એટલે શું ? સમચતુરગ્ન હોવું, વ્યગ્રોધપરિમંડળ સાદિસંસ્થાન કુન્જસંસ્થાન વામન સંસ્થાન-હુંડસંસ્થાન આ ક્રમે સંસ્થાનોનો વિન્યાસ કરવો તે પૂવનપૂર્વી. પક્ષાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? હુંડથી લઈને સમચતુરઅસંસ્થાન સુધી ઉલ્ટાક્રમથી સંસ્થાનોનો વિન્યાસ કરવો તે પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈને છ સંસ્થાનપર્યત એક-એકની વૃદ્ધિવાળી શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં અન્યોન્ય અભ્યસ્ત રાશિ બને. તેમાંથી આદિ અને અંતના બે ભંગો બાદ કરતાં શેષ ભંગો અનાનુપૂર્વી છે. આ પ્રકારનું સંસ્થાનાનુપૂર્વીનું સ્વરૂપ છે. [૧૪૨-૧૪૪] સામાચારી-આનુપૂર્વીનું સ્વરૂપ કેવુંછે?સામાચારી એટલે શિષ્ટજનો દ્વારા ચરિત ક્રિયાકલાપરૂપ સમાચારની પરિપાટીના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી, અને અનાનુપૂર્વી. પૂર્વાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? ઈચ્છાકારકોઈના દબાણ વિના વ્રત આચરવાની ઇચ્છા કરવી, મિથ્યાકાર-અકૃત્યનું સેવન થઈ જતાં પશ્ચાત્તાપદ્વારા ફરી ન સેવવા માટે નિશ્ચય કરવો, તથાકારગુરૂના- વચનોને તથત’ કહીને સ્વીકારવા, આવશ્યકી-આવશ્યક કાર્ય માટે ઉપાશ્રયથી બહાર જવું હોય ત્યારે ગુરુને નિવેદન કરવું, નૈધિકા-કાર્ય કરી પાછા ફયની ગુરુને સૂચના કરવી, પૂછવું, પ્રતિપ્રચ્છનાકાર્યનો આરંભ કરતી વખતે ફરી ગુરુને પૂછવું છંદના-અન્ય સાંભોગિક સાધુને પોતાના ભાગના આહારને ગ્રહણ કરવા વિનંતી કરવી, નિમંત્રણા આહારાદિ વહોરી લાવી દેવા અન્ય સાધુને નિમંત્રણ કરવું, ઉપસંપતુ-ગુરુની નિકટ રહેવું. આ ક્રમે પદોની સ્થાપના કરવી તે પૂવનુપૂર્વી સામાચારી છે. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ઉપસંપતુથી લઈને ઈચ્છાકારપર્યત ઉલ્ટા ક્રમથી સ્થાપના કરવી તે સામાચારીની પશ્ચાનુપૂર્વી છે. અનાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? એકથી લઈને દસપર્યત એક-એકની વૃદ્ધિ કરતાં દસ શ્રેણીમાં સ્થાપિત સંખ્યાનો પરસ્પર ગુણાકાર કરતાં જે રાશિ પ્રાપ્ત થાય તેમાંથી પ્રથમ અને અંતીમ ભંગ બાદ કરતાં જે ભંગો બાકી રહે તે બધા અનાનુપૂર્વી છે. [૧૪૫] ભાવાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે ? ભાવાનુપૂર્વીની-જીવના ઔદાયિકાદિ પરિણામ વિશેષરૂપ ભાવોની આનુપૂર્વી ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે પૂર્વનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી. પૂર્વનુપૂર્વી સ્વરૂપ કેવુછે? ઔદયિકભાવ, ઔપથમિકભાવ, ક્ષાવિકભાવ, ક્ષાયોપથમિકભાવ, પારિણામિકભાવ, સાન્નિપાતિ કભાવ, આ ક્રમે પદોનો ઉપવાસ કરવો તે પૂવનુપૂર્વી. પશ્ચાનુપૂર્વીનું સ્વરૂપ કેવું છે? સાન્નિપાતિક ભાવથી લઈને ઔદયિકભાવ પર્યત ભાવોને ઉલ્ટાક્રમથી સ્થાપવા તે પશ્ચાનુપૂર્વી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005060
Book TitleAgam Deep Agam 40 to 45 Gujarati Anuvaad Part 7
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherAgamdip Prakashan
Publication Year1997
Total Pages396
LanguageGujarati
ClassificationBook_Devnagari, Agam, & Canon
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy